કેશોદમાં એકસાથે 150 જેટલા લોકોએ કર્યું ધર્મ પરિવર્તન


  • Published By :
  • Published Date : 2022-12-27 11:01:50

આજકાલ અનેક લોકો હિંદુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મને અપનાવી રહ્યા છે. ત્યારે કેશોદમાં એકસાથે 150થી વધુ લોકોએ બોદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો છે. એકસાથે 150 જેટલા લોકોએ એક સાથે ધર્મ પરિવર્તન કરી લેતા ચર્ચાનો વિષય બન્યો છે. આ પ્રસંગે બૌદ્ધ ધર્મના અનુયાયીઓની સાક્ષીએ બૌદ્ધ સાહિત્યને સાક્ષી રાખી હિંદુ ધર્મનો ત્યાગ કર્યો છે. 


તંત્રની પરવાનગી બાદ કર્યો ધર્મ પરિવર્તન 

હિંદુ ધર્મનો ત્યાગ કરી અનેક લોકો બોદ્ધ ધર્મનો સ્વીકાર કરી રહ્યા છે. અત્યાર સુધીમાં અનેક લોકોએ બોદ્ધ ધર્મનો સ્વીકાર કરી લીધો છે. ત્યારે થોડા દિવસો પહેલા કેશોદમાં અંદાજીત 150 જેટલા લોકોએ હિંદુ ધર્મનો ત્યાગ કર્યો છે. મળતી માહિતી અનુસાર જે લોકોએ હિંદુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો છે. ધર્મ પરિવર્તન કરવા માટે તંત્રની મંજૂરી લીધી હતી. મંજૂરી લીધા બાદ બૌદ્ધ ધર્મ અંગીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના વિસ્તારમાંથી અનેક લોકો ઉપસ્થિત હતા. અશોક બૌદ્ધ વિહાર પોરબંદરના સાધુ અને અનુયાયીઓએ ધર્મ પરિવર્તન કરવા ઈચ્છિત પરિવારોને બૌદ્ધ ધર્મની દીક્ષા અપાવી હતી. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.