કેશોદમાં એકસાથે 150 જેટલા લોકોએ કર્યું ધર્મ પરિવર્તન


  • Published By :
  • Published Date : 2022-12-27 11:01:50

આજકાલ અનેક લોકો હિંદુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મને અપનાવી રહ્યા છે. ત્યારે કેશોદમાં એકસાથે 150થી વધુ લોકોએ બોદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો છે. એકસાથે 150 જેટલા લોકોએ એક સાથે ધર્મ પરિવર્તન કરી લેતા ચર્ચાનો વિષય બન્યો છે. આ પ્રસંગે બૌદ્ધ ધર્મના અનુયાયીઓની સાક્ષીએ બૌદ્ધ સાહિત્યને સાક્ષી રાખી હિંદુ ધર્મનો ત્યાગ કર્યો છે. 


તંત્રની પરવાનગી બાદ કર્યો ધર્મ પરિવર્તન 

હિંદુ ધર્મનો ત્યાગ કરી અનેક લોકો બોદ્ધ ધર્મનો સ્વીકાર કરી રહ્યા છે. અત્યાર સુધીમાં અનેક લોકોએ બોદ્ધ ધર્મનો સ્વીકાર કરી લીધો છે. ત્યારે થોડા દિવસો પહેલા કેશોદમાં અંદાજીત 150 જેટલા લોકોએ હિંદુ ધર્મનો ત્યાગ કર્યો છે. મળતી માહિતી અનુસાર જે લોકોએ હિંદુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો છે. ધર્મ પરિવર્તન કરવા માટે તંત્રની મંજૂરી લીધી હતી. મંજૂરી લીધા બાદ બૌદ્ધ ધર્મ અંગીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના વિસ્તારમાંથી અનેક લોકો ઉપસ્થિત હતા. અશોક બૌદ્ધ વિહાર પોરબંદરના સાધુ અને અનુયાયીઓએ ધર્મ પરિવર્તન કરવા ઈચ્છિત પરિવારોને બૌદ્ધ ધર્મની દીક્ષા અપાવી હતી. 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.