કેશોદમાં એકસાથે 150 જેટલા લોકોએ કર્યું ધર્મ પરિવર્તન


  • Published By :
  • Published Date : 2022-12-27 11:01:50

આજકાલ અનેક લોકો હિંદુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મને અપનાવી રહ્યા છે. ત્યારે કેશોદમાં એકસાથે 150થી વધુ લોકોએ બોદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો છે. એકસાથે 150 જેટલા લોકોએ એક સાથે ધર્મ પરિવર્તન કરી લેતા ચર્ચાનો વિષય બન્યો છે. આ પ્રસંગે બૌદ્ધ ધર્મના અનુયાયીઓની સાક્ષીએ બૌદ્ધ સાહિત્યને સાક્ષી રાખી હિંદુ ધર્મનો ત્યાગ કર્યો છે. 


તંત્રની પરવાનગી બાદ કર્યો ધર્મ પરિવર્તન 

હિંદુ ધર્મનો ત્યાગ કરી અનેક લોકો બોદ્ધ ધર્મનો સ્વીકાર કરી રહ્યા છે. અત્યાર સુધીમાં અનેક લોકોએ બોદ્ધ ધર્મનો સ્વીકાર કરી લીધો છે. ત્યારે થોડા દિવસો પહેલા કેશોદમાં અંદાજીત 150 જેટલા લોકોએ હિંદુ ધર્મનો ત્યાગ કર્યો છે. મળતી માહિતી અનુસાર જે લોકોએ હિંદુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો છે. ધર્મ પરિવર્તન કરવા માટે તંત્રની મંજૂરી લીધી હતી. મંજૂરી લીધા બાદ બૌદ્ધ ધર્મ અંગીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના વિસ્તારમાંથી અનેક લોકો ઉપસ્થિત હતા. અશોક બૌદ્ધ વિહાર પોરબંદરના સાધુ અને અનુયાયીઓએ ધર્મ પરિવર્તન કરવા ઈચ્છિત પરિવારોને બૌદ્ધ ધર્મની દીક્ષા અપાવી હતી. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.