દેશમાં કોરોનાના નોંધાયા 7 હજાર જેટલા કેસ, એક્ટિવ કેસની સંખ્યામાં પહોંચી 53 હજારને પાર!


  • Published By :
  • Published Date : 2023-04-28 14:52:41

દેશમાં કોરોના કેસમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 7 હજાર 533 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. જ્યારે 44 લોકોના મોત કોરોનાને કારણે થયા છે. ગુરૂવારે દેશમાં કોરોનાની એક્ટિવ કેસની સંખ્યા 53 હજારને પાર પહોંચી છે. દેશમાં હાલ એક્ટિવ કેસ 53852 પર પહોંચી છે. દેશમાં હજી સુધી 4.49 કરોડ જેટલા લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. દેશમાં કોરોનાને કારણે મરનારની સંખ્યા 5 લાખ 31 હજાર 468 પહોંચી ગઈ છે.

    

 

હજી સુધી આટલા લોકો થયા છે કોરોના સંક્રમિત!  

છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુરૂવારે દેશમાં કોરોનાના 9 હજાર 335 કેસ નોંધાયા હતા જ્યારે શુક્રવારે 7 હજાર 533 કેસ સામે આવ્યા છે. ગુરૂવારે 26 લોકોના મોત થયા હતા જ્યારે શુક્રવારે 44 લોકોના મોત કોરોનાને કારણે થયા છે. રિક્વરી રેટ પણ સતત વધી રહી છે. રાષ્ટ્રીય કોવિડ રિકવરી રેટ 98 ટકાની આસપાસ નોંધવામાં આવી છે. 4 કરોડ જેટલા લોકો કોરોનાની ઝપેટમાં હજી સુધી આવી ગયા છે.   


કોરોના કેસમાં જોવા મળ્યો ઘટાડો!

અઠવાડિયામાં નોંધાયેલા કોરોના કેસની વાત કરવામાં આવે તો 23 એપ્રિલ રવિવારે 6 હજાર 904 કોરોના કેસ નોંધાયા હતા, જ્યારે 16 લોકોના મોત થયા હતા. સોમવારે પણ કોરોના કેસ 6 હજાર 934 કેસ સામે આવ્યા હતા જ્યારે 24 લોકોના મોત થયા હતા. 25 એપ્રિલે 9 હજાર 629 દર્દી કોરોના સંક્રમિત નોંધાયા હતા જ્યારે 29 લોકોના મોત થયા હતા. 26 એપ્રિલ દ્વારા 9 હજાર 355 કેસ સામે આવ્યા હતા.        



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.