દેશમાં કોરોનાના નોંધાયા 7 હજાર જેટલા કેસ, એક્ટિવ કેસની સંખ્યામાં પહોંચી 53 હજારને પાર!


  • Published By :
  • Published Date : 2023-04-28 14:52:41

દેશમાં કોરોના કેસમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 7 હજાર 533 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. જ્યારે 44 લોકોના મોત કોરોનાને કારણે થયા છે. ગુરૂવારે દેશમાં કોરોનાની એક્ટિવ કેસની સંખ્યા 53 હજારને પાર પહોંચી છે. દેશમાં હાલ એક્ટિવ કેસ 53852 પર પહોંચી છે. દેશમાં હજી સુધી 4.49 કરોડ જેટલા લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. દેશમાં કોરોનાને કારણે મરનારની સંખ્યા 5 લાખ 31 હજાર 468 પહોંચી ગઈ છે.

    

 

હજી સુધી આટલા લોકો થયા છે કોરોના સંક્રમિત!  

છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુરૂવારે દેશમાં કોરોનાના 9 હજાર 335 કેસ નોંધાયા હતા જ્યારે શુક્રવારે 7 હજાર 533 કેસ સામે આવ્યા છે. ગુરૂવારે 26 લોકોના મોત થયા હતા જ્યારે શુક્રવારે 44 લોકોના મોત કોરોનાને કારણે થયા છે. રિક્વરી રેટ પણ સતત વધી રહી છે. રાષ્ટ્રીય કોવિડ રિકવરી રેટ 98 ટકાની આસપાસ નોંધવામાં આવી છે. 4 કરોડ જેટલા લોકો કોરોનાની ઝપેટમાં હજી સુધી આવી ગયા છે.   


કોરોના કેસમાં જોવા મળ્યો ઘટાડો!

અઠવાડિયામાં નોંધાયેલા કોરોના કેસની વાત કરવામાં આવે તો 23 એપ્રિલ રવિવારે 6 હજાર 904 કોરોના કેસ નોંધાયા હતા, જ્યારે 16 લોકોના મોત થયા હતા. સોમવારે પણ કોરોના કેસ 6 હજાર 934 કેસ સામે આવ્યા હતા જ્યારે 24 લોકોના મોત થયા હતા. 25 એપ્રિલે 9 હજાર 629 દર્દી કોરોના સંક્રમિત નોંધાયા હતા જ્યારે 29 લોકોના મોત થયા હતા. 26 એપ્રિલ દ્વારા 9 હજાર 355 કેસ સામે આવ્યા હતા.        



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.