દેશમાં કોરોનાના નોંધાયા 7 હજાર જેટલા કેસ, એક્ટિવ કેસની સંખ્યામાં પહોંચી 53 હજારને પાર!


  • Published By :
  • Published Date : 2023-04-28 14:52:41

દેશમાં કોરોના કેસમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 7 હજાર 533 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. જ્યારે 44 લોકોના મોત કોરોનાને કારણે થયા છે. ગુરૂવારે દેશમાં કોરોનાની એક્ટિવ કેસની સંખ્યા 53 હજારને પાર પહોંચી છે. દેશમાં હાલ એક્ટિવ કેસ 53852 પર પહોંચી છે. દેશમાં હજી સુધી 4.49 કરોડ જેટલા લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. દેશમાં કોરોનાને કારણે મરનારની સંખ્યા 5 લાખ 31 હજાર 468 પહોંચી ગઈ છે.

    

 

હજી સુધી આટલા લોકો થયા છે કોરોના સંક્રમિત!  

છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુરૂવારે દેશમાં કોરોનાના 9 હજાર 335 કેસ નોંધાયા હતા જ્યારે શુક્રવારે 7 હજાર 533 કેસ સામે આવ્યા છે. ગુરૂવારે 26 લોકોના મોત થયા હતા જ્યારે શુક્રવારે 44 લોકોના મોત કોરોનાને કારણે થયા છે. રિક્વરી રેટ પણ સતત વધી રહી છે. રાષ્ટ્રીય કોવિડ રિકવરી રેટ 98 ટકાની આસપાસ નોંધવામાં આવી છે. 4 કરોડ જેટલા લોકો કોરોનાની ઝપેટમાં હજી સુધી આવી ગયા છે.   


કોરોના કેસમાં જોવા મળ્યો ઘટાડો!

અઠવાડિયામાં નોંધાયેલા કોરોના કેસની વાત કરવામાં આવે તો 23 એપ્રિલ રવિવારે 6 હજાર 904 કોરોના કેસ નોંધાયા હતા, જ્યારે 16 લોકોના મોત થયા હતા. સોમવારે પણ કોરોના કેસ 6 હજાર 934 કેસ સામે આવ્યા હતા જ્યારે 24 લોકોના મોત થયા હતા. 25 એપ્રિલે 9 હજાર 629 દર્દી કોરોના સંક્રમિત નોંધાયા હતા જ્યારે 29 લોકોના મોત થયા હતા. 26 એપ્રિલ દ્વારા 9 હજાર 355 કેસ સામે આવ્યા હતા.        



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.