ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે ABP C-વોટર સર્વેમાં આશ્ચર્યજનક ઘટષ્ફોટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 19:10:46

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થોડા મહિનામાં યોજાવાની છે ત્યારે તમામ રાજકીય પક્ષો મતદારોને રિઝવવામાં લાગ્યા છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને હવે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં છે. આ ત્રણેય પક્ષોમાંથી કોણ ગાંધીનગરની ખુરશી મેળશે તેના પર લોકોની નજર છે. જો કે આ વિધાનસભાની ચૂંટણીને લઈ  ABP સી-વોટરના ઓપિનિયન પોલમાં આ વખતે કોની સરકાર રચાશે તે અંગે આશ્ચર્યજનક ખુલાસો કરવામાં આવ્યો છે. 



ભાજપને મળી શકે 131-147 જેટલી બેઠકો


ગુજરાતમાં આ વખતની ચૂંટણીમાં ભાજપના ફાળે 131-147 જેટલી બેઠકો આવશે તેવું ABP-C વોટરના સર્વે પરથી જાણવા મળે છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીને 32-48 જેટલી સીટો તથા આમ આદમી પાર્ટીને માત્ર 3-5 જેટલી સીટ મળતી હોવાનું અનુમાન છે. અને અન્યના ફાળે 3-5 જેટલી સીટ મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.


40 ટકા લોકો સરકારથી નારાજ


ABP સી-વોટરના સર્વેમાં લોકોને એક સવાલ પૂછાયો હતો કે, ગુજરાતમાં કેટલા ટકા લોકો વર્તમાન સરકાર બદલવા માગે છે? સવાલના જવાબમાં 34 ટકા લોકોએ સરકારથી નારાજ હોવાનું અને બદલવા માગે છે તેમ કહ્યું. જ્યારે 40 ટકા લોકોએ સરકારથી નારાજ હોવાનું સ્વીકાર્યું પણ બદલવા ન માગતા હોવાનું કહ્યું. જ્યારે 26 ટકા લોકોએ સરકારથી નારાજ પણ નથી અને બદલવી પણ નથી તેમ જણાવ્યું હતું.


63 ટકા લોકોના મતે BJPની સરકાર બનશે


ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં કોણ જીતશે? તેવો ABP C-વોટર સર્વેમાં સવાલ પૂછવામાં આવ્યો હતો. આ સવાલના જવાબમાં 63 ટકા લોકોએ ભાજપ, 9 ટકાએ કોંગ્રેસ તથા 19 ટકાએ AAP જીતશે એમ જણાવ્યું હતું. જ્યારે 2 ટકાએ અન્ય, 2 ટકાએ ત્રિશંકુ સરકાર તો 5 ટકા લોકો ખબર નથી એવો જવાબ આપ્યો હતો.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .