નવસારીમાં બન્યો ગોઝારો અકસ્માત, કાર બેકાબુ બનતા બસ સાથે અથડાતા સર્જાઈ દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2022-12-31 16:20:20

રોડ અકસ્માતને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે એક ગમખવાર અકસ્માત નવસારીમાં નેશનલ હાઈવે 48 પર સર્જાયો છે. બસ અને કાર વચ્ચે સર્જાયેલો અકસ્માત એટલો ગંભીર હતો કે આ અકસ્માતમાં 9 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે 32 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


કાર અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત 

2022નો આજે અંતિમ દિવસ છે. પરંતુ 2022ના છેલ્લા દિવસોમાં અનેક દુખદ સમાચારો મળી રહ્યા છે. અનેક અકસ્માતો થઈ રહ્યા છે જ્યારે અનેક લોકોના મોતને કારણે દુખનું વાતાવરણ ઉભું થઈ રહ્યું છે. ફરી એક વખત રોડ અકસ્માતને કારણે 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. નવસારીના નેશનલ હાઈવે 48 પર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત ગાડી અને બસ વચ્ચે સર્જાયો છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ ખાતે ચાલી રહેલા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની મુલાકાત લઈ આ બસ પરત ફરી રહી હતી તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. 


કારમાં સવાર 9 લોકોના થયા મોત  

ફોર્ચ્યુનર ગાડી અને બસ વચ્ચે અકસ્માત થતા કારમાં સવાર તમામ લોકો કાળનો કોળિયો બન્યા છે જ્યારે બસમાં બેઠેલા લોકોને પણ ઈજાઓ પહોંચી છે. ઉપરાંત બસ ડ્રાઈવરને એટેક આવતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો આગળનો ભાગ એકદમ તૂટી પડ્યો. અકસ્માત થતા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.   


વળતર ચૂકવવાની કરી જાહેરાત 

આ ઘટનાને લઈ અમિત શાહે દુખ વ્યક્ત કર્યું છે. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીની ઓફિસ દ્વારા પોસ્ટ શેર કરવામાં આવી જેમાં લખવામાં આવ્યું કે આ ઘટનામાં મૃત્યુ પામનાર લોકોને  2 લાખનું વળતર આપવામાં આવશે જ્યારે ઈજાગ્રસ્તોને 50000ની રકમ ચૂકવામાં આવશે.  





પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.