નવસારીમાં બન્યો ગોઝારો અકસ્માત, કાર બેકાબુ બનતા બસ સાથે અથડાતા સર્જાઈ દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2022-12-31 16:20:20

રોડ અકસ્માતને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે એક ગમખવાર અકસ્માત નવસારીમાં નેશનલ હાઈવે 48 પર સર્જાયો છે. બસ અને કાર વચ્ચે સર્જાયેલો અકસ્માત એટલો ગંભીર હતો કે આ અકસ્માતમાં 9 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે 32 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


કાર અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત 

2022નો આજે અંતિમ દિવસ છે. પરંતુ 2022ના છેલ્લા દિવસોમાં અનેક દુખદ સમાચારો મળી રહ્યા છે. અનેક અકસ્માતો થઈ રહ્યા છે જ્યારે અનેક લોકોના મોતને કારણે દુખનું વાતાવરણ ઉભું થઈ રહ્યું છે. ફરી એક વખત રોડ અકસ્માતને કારણે 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. નવસારીના નેશનલ હાઈવે 48 પર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત ગાડી અને બસ વચ્ચે સર્જાયો છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ ખાતે ચાલી રહેલા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની મુલાકાત લઈ આ બસ પરત ફરી રહી હતી તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. 


કારમાં સવાર 9 લોકોના થયા મોત  

ફોર્ચ્યુનર ગાડી અને બસ વચ્ચે અકસ્માત થતા કારમાં સવાર તમામ લોકો કાળનો કોળિયો બન્યા છે જ્યારે બસમાં બેઠેલા લોકોને પણ ઈજાઓ પહોંચી છે. ઉપરાંત બસ ડ્રાઈવરને એટેક આવતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો આગળનો ભાગ એકદમ તૂટી પડ્યો. અકસ્માત થતા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.   


વળતર ચૂકવવાની કરી જાહેરાત 

આ ઘટનાને લઈ અમિત શાહે દુખ વ્યક્ત કર્યું છે. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીની ઓફિસ દ્વારા પોસ્ટ શેર કરવામાં આવી જેમાં લખવામાં આવ્યું કે આ ઘટનામાં મૃત્યુ પામનાર લોકોને  2 લાખનું વળતર આપવામાં આવશે જ્યારે ઈજાગ્રસ્તોને 50000ની રકમ ચૂકવામાં આવશે.  





ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.