નવસારીમાં બન્યો ગોઝારો અકસ્માત, કાર બેકાબુ બનતા બસ સાથે અથડાતા સર્જાઈ દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2022-12-31 16:20:20

રોડ અકસ્માતને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે એક ગમખવાર અકસ્માત નવસારીમાં નેશનલ હાઈવે 48 પર સર્જાયો છે. બસ અને કાર વચ્ચે સર્જાયેલો અકસ્માત એટલો ગંભીર હતો કે આ અકસ્માતમાં 9 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે 32 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


કાર અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત 

2022નો આજે અંતિમ દિવસ છે. પરંતુ 2022ના છેલ્લા દિવસોમાં અનેક દુખદ સમાચારો મળી રહ્યા છે. અનેક અકસ્માતો થઈ રહ્યા છે જ્યારે અનેક લોકોના મોતને કારણે દુખનું વાતાવરણ ઉભું થઈ રહ્યું છે. ફરી એક વખત રોડ અકસ્માતને કારણે 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. નવસારીના નેશનલ હાઈવે 48 પર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત ગાડી અને બસ વચ્ચે સર્જાયો છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ ખાતે ચાલી રહેલા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની મુલાકાત લઈ આ બસ પરત ફરી રહી હતી તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. 


કારમાં સવાર 9 લોકોના થયા મોત  

ફોર્ચ્યુનર ગાડી અને બસ વચ્ચે અકસ્માત થતા કારમાં સવાર તમામ લોકો કાળનો કોળિયો બન્યા છે જ્યારે બસમાં બેઠેલા લોકોને પણ ઈજાઓ પહોંચી છે. ઉપરાંત બસ ડ્રાઈવરને એટેક આવતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો આગળનો ભાગ એકદમ તૂટી પડ્યો. અકસ્માત થતા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.   


વળતર ચૂકવવાની કરી જાહેરાત 

આ ઘટનાને લઈ અમિત શાહે દુખ વ્યક્ત કર્યું છે. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીની ઓફિસ દ્વારા પોસ્ટ શેર કરવામાં આવી જેમાં લખવામાં આવ્યું કે આ ઘટનામાં મૃત્યુ પામનાર લોકોને  2 લાખનું વળતર આપવામાં આવશે જ્યારે ઈજાગ્રસ્તોને 50000ની રકમ ચૂકવામાં આવશે.  





ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.