સુરતના પલસાણાના તાંતિથૈયા ગામ પાસે બની દુર્ઘટના, કારે યુવકને 12 કિલોમીટર સુધી ઢસડ્યો


  • Published By :
  • Published Date : 2023-01-24 17:07:46

થોડા સમય પહેલા દિલ્હીમાં એક ઘટના બની હતી જેમાં કારે અંજલી નામની છોકરીને અનેક કિલોમીટર સુધી ઢસડી હતી. ત્યારે આવી જ ઘટના સુરતમાં બની છે. બાઈક પર જઈ રહેલા દંપતીને ગાડીએ ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ ચાલકે કાર હંકારી મૂકતા બાઈકસવાર  12 કિલોમીટર સુધી ઢસેડાયો હતો. પોલીસ કારચાલકની શોધખોળ કરી રહી હતી ત્યારે આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો હતો. જેને આધારે પોલીસ કારચાલકની તપાસ કરી રહી છે. આ ઘટનાથી અજાણ પત્ની ઘટના સ્થળે પોતાના પતિની શોધખોળ કરી પરંતુ બીજા દિવસે પતિની લાશ 12 કિલોમીટર દૂરથી મળી આવી હતી. આ ઘટના ગયા બુધવારની છે. 

પોલીસે વીડિયોના આધારે સમગ્ર તપાસ હાથ ધરી હતી.

અકસ્માત બાદ 12 કિલોમીટર ઢસેડાયો વ્યક્તિ  

ગુજરાતમાં અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. અકસ્માતને કારણે લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે સુરતના પલસાણામાં દિલ્હીના કાંઝવાલા જેવી ઘટના બની છે. આ ઘટનામાં પણ અકસ્માત સર્જયા બાદ એક વ્યક્તિ ગાડીની નીચે ઢસડાતો રહ્યો. અંદાજીત 12 કિલોમીટર સુધી કાર ચાલકે વ્યક્તિને ઢસડ્યો હતો. 

યુવકે પ્રેમલગ્ન કર્યા હતા.

સમગ્ર ઘટનાનો વીડિયો આવ્યો સામે  

સુરતના પલસાણાના તાંતિથૈયા ગામમાં આ ઘટના બની છે. જેમાં કારે બાઈક પર જઈ રહેલા દંપતીને ટક્કર મારી હતી. અકસ્માતને કારણે પત્ની પડી ગઈ હતી. પરંતુ પતિ કારની નીચે ઢસડાતો રહ્યો હતો. પત્નીએ પતિની શોધખોળ શરૂ કરી. પરંતુ પતિ ન મળ્યા. 12  કિલોમીટર સુધી તે ઢસડાતો રહ્યો. પોલીસને આ અંગે જાણ કરવામાં આવી. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી. ત્યારે એક વ્યક્તિએ પાછળથી આ વીડિયો ઉતાર્યો હતો. આ વીડિયો સામે આવવાથી પોલીસને તપાસ કરવામાં મદદરૂપ થશે.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.