સુરતના પલસાણાના તાંતિથૈયા ગામ પાસે બની દુર્ઘટના, કારે યુવકને 12 કિલોમીટર સુધી ઢસડ્યો


  • Published By :
  • Published Date : 2023-01-24 17:07:46

થોડા સમય પહેલા દિલ્હીમાં એક ઘટના બની હતી જેમાં કારે અંજલી નામની છોકરીને અનેક કિલોમીટર સુધી ઢસડી હતી. ત્યારે આવી જ ઘટના સુરતમાં બની છે. બાઈક પર જઈ રહેલા દંપતીને ગાડીએ ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ ચાલકે કાર હંકારી મૂકતા બાઈકસવાર  12 કિલોમીટર સુધી ઢસેડાયો હતો. પોલીસ કારચાલકની શોધખોળ કરી રહી હતી ત્યારે આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો હતો. જેને આધારે પોલીસ કારચાલકની તપાસ કરી રહી છે. આ ઘટનાથી અજાણ પત્ની ઘટના સ્થળે પોતાના પતિની શોધખોળ કરી પરંતુ બીજા દિવસે પતિની લાશ 12 કિલોમીટર દૂરથી મળી આવી હતી. આ ઘટના ગયા બુધવારની છે. 

પોલીસે વીડિયોના આધારે સમગ્ર તપાસ હાથ ધરી હતી.

અકસ્માત બાદ 12 કિલોમીટર ઢસેડાયો વ્યક્તિ  

ગુજરાતમાં અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. અકસ્માતને કારણે લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે સુરતના પલસાણામાં દિલ્હીના કાંઝવાલા જેવી ઘટના બની છે. આ ઘટનામાં પણ અકસ્માત સર્જયા બાદ એક વ્યક્તિ ગાડીની નીચે ઢસડાતો રહ્યો. અંદાજીત 12 કિલોમીટર સુધી કાર ચાલકે વ્યક્તિને ઢસડ્યો હતો. 

યુવકે પ્રેમલગ્ન કર્યા હતા.

સમગ્ર ઘટનાનો વીડિયો આવ્યો સામે  

સુરતના પલસાણાના તાંતિથૈયા ગામમાં આ ઘટના બની છે. જેમાં કારે બાઈક પર જઈ રહેલા દંપતીને ટક્કર મારી હતી. અકસ્માતને કારણે પત્ની પડી ગઈ હતી. પરંતુ પતિ કારની નીચે ઢસડાતો રહ્યો હતો. પત્નીએ પતિની શોધખોળ શરૂ કરી. પરંતુ પતિ ન મળ્યા. 12  કિલોમીટર સુધી તે ઢસડાતો રહ્યો. પોલીસને આ અંગે જાણ કરવામાં આવી. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી. ત્યારે એક વ્યક્તિએ પાછળથી આ વીડિયો ઉતાર્યો હતો. આ વીડિયો સામે આવવાથી પોલીસને તપાસ કરવામાં મદદરૂપ થશે.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.