સુરતના પલસાણાના તાંતિથૈયા ગામ પાસે બની દુર્ઘટના, કારે યુવકને 12 કિલોમીટર સુધી ઢસડ્યો


  • Published By :
  • Published Date : 2023-01-24 17:07:46

થોડા સમય પહેલા દિલ્હીમાં એક ઘટના બની હતી જેમાં કારે અંજલી નામની છોકરીને અનેક કિલોમીટર સુધી ઢસડી હતી. ત્યારે આવી જ ઘટના સુરતમાં બની છે. બાઈક પર જઈ રહેલા દંપતીને ગાડીએ ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ ચાલકે કાર હંકારી મૂકતા બાઈકસવાર  12 કિલોમીટર સુધી ઢસેડાયો હતો. પોલીસ કારચાલકની શોધખોળ કરી રહી હતી ત્યારે આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો હતો. જેને આધારે પોલીસ કારચાલકની તપાસ કરી રહી છે. આ ઘટનાથી અજાણ પત્ની ઘટના સ્થળે પોતાના પતિની શોધખોળ કરી પરંતુ બીજા દિવસે પતિની લાશ 12 કિલોમીટર દૂરથી મળી આવી હતી. આ ઘટના ગયા બુધવારની છે. 

પોલીસે વીડિયોના આધારે સમગ્ર તપાસ હાથ ધરી હતી.

અકસ્માત બાદ 12 કિલોમીટર ઢસેડાયો વ્યક્તિ  

ગુજરાતમાં અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. અકસ્માતને કારણે લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે સુરતના પલસાણામાં દિલ્હીના કાંઝવાલા જેવી ઘટના બની છે. આ ઘટનામાં પણ અકસ્માત સર્જયા બાદ એક વ્યક્તિ ગાડીની નીચે ઢસડાતો રહ્યો. અંદાજીત 12 કિલોમીટર સુધી કાર ચાલકે વ્યક્તિને ઢસડ્યો હતો. 

યુવકે પ્રેમલગ્ન કર્યા હતા.

સમગ્ર ઘટનાનો વીડિયો આવ્યો સામે  

સુરતના પલસાણાના તાંતિથૈયા ગામમાં આ ઘટના બની છે. જેમાં કારે બાઈક પર જઈ રહેલા દંપતીને ટક્કર મારી હતી. અકસ્માતને કારણે પત્ની પડી ગઈ હતી. પરંતુ પતિ કારની નીચે ઢસડાતો રહ્યો હતો. પત્નીએ પતિની શોધખોળ શરૂ કરી. પરંતુ પતિ ન મળ્યા. 12  કિલોમીટર સુધી તે ઢસડાતો રહ્યો. પોલીસને આ અંગે જાણ કરવામાં આવી. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી. ત્યારે એક વ્યક્તિએ પાછળથી આ વીડિયો ઉતાર્યો હતો. આ વીડિયો સામે આવવાથી પોલીસને તપાસ કરવામાં મદદરૂપ થશે.    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.