સુરતના પલસાણાના તાંતિથૈયા ગામ પાસે બની દુર્ઘટના, કારે યુવકને 12 કિલોમીટર સુધી ઢસડ્યો


  • Published By :
  • Published Date : 2023-01-24 17:07:46

થોડા સમય પહેલા દિલ્હીમાં એક ઘટના બની હતી જેમાં કારે અંજલી નામની છોકરીને અનેક કિલોમીટર સુધી ઢસડી હતી. ત્યારે આવી જ ઘટના સુરતમાં બની છે. બાઈક પર જઈ રહેલા દંપતીને ગાડીએ ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ ચાલકે કાર હંકારી મૂકતા બાઈકસવાર  12 કિલોમીટર સુધી ઢસેડાયો હતો. પોલીસ કારચાલકની શોધખોળ કરી રહી હતી ત્યારે આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો હતો. જેને આધારે પોલીસ કારચાલકની તપાસ કરી રહી છે. આ ઘટનાથી અજાણ પત્ની ઘટના સ્થળે પોતાના પતિની શોધખોળ કરી પરંતુ બીજા દિવસે પતિની લાશ 12 કિલોમીટર દૂરથી મળી આવી હતી. આ ઘટના ગયા બુધવારની છે. 

પોલીસે વીડિયોના આધારે સમગ્ર તપાસ હાથ ધરી હતી.

અકસ્માત બાદ 12 કિલોમીટર ઢસેડાયો વ્યક્તિ  

ગુજરાતમાં અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. અકસ્માતને કારણે લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે સુરતના પલસાણામાં દિલ્હીના કાંઝવાલા જેવી ઘટના બની છે. આ ઘટનામાં પણ અકસ્માત સર્જયા બાદ એક વ્યક્તિ ગાડીની નીચે ઢસડાતો રહ્યો. અંદાજીત 12 કિલોમીટર સુધી કાર ચાલકે વ્યક્તિને ઢસડ્યો હતો. 

યુવકે પ્રેમલગ્ન કર્યા હતા.

સમગ્ર ઘટનાનો વીડિયો આવ્યો સામે  

સુરતના પલસાણાના તાંતિથૈયા ગામમાં આ ઘટના બની છે. જેમાં કારે બાઈક પર જઈ રહેલા દંપતીને ટક્કર મારી હતી. અકસ્માતને કારણે પત્ની પડી ગઈ હતી. પરંતુ પતિ કારની નીચે ઢસડાતો રહ્યો હતો. પત્નીએ પતિની શોધખોળ શરૂ કરી. પરંતુ પતિ ન મળ્યા. 12  કિલોમીટર સુધી તે ઢસડાતો રહ્યો. પોલીસને આ અંગે જાણ કરવામાં આવી. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી. ત્યારે એક વ્યક્તિએ પાછળથી આ વીડિયો ઉતાર્યો હતો. આ વીડિયો સામે આવવાથી પોલીસને તપાસ કરવામાં મદદરૂપ થશે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.