અમદાવાદમાં ફરી એક વખત સર્જાયો ગમખ્વાર અકસ્માત, અમદાવાદ-બગોદરા હાઇવે પર થયેલા અકસ્માતમાં બુજાઈ આટલા લોકોની જીંદગી


  • Published By :
  • Published Date : 2023-08-11 14:58:09

થોડા સમય પહેલા ઈસ્કોન બ્રિજ પાસે થયેલા અકસ્માતની ચર્ચાઓ નથી શાંત થઈ. ત્યારે ફરી એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં 10 નિર્દોષ લોકોના મોત થયા છે. અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો છે જેમાં 5 મહિલા, 3 બાળકો સહિત 10 જેટલા લોકો મોતને ભેટ્યા છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તેના વિશે વાત કરીએ તો મિની ટ્રક પાછળ ટ્રક ઘૂસી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માત અમદાવાદથી 50 કિમી દૂર સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સીએમ ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઈજાગસ્ત થયા છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો કપડવંજના વતની હતા. અને ચોટીલાથી દર્શન કરી પરત ફરી વળ્યા હતા.    



રસ્તા પર ઉભેલી ટ્રક પાછળ ઘૂસી મીનિ ટ્રક 

અમદાવાદમાં ફરી એક વખત ગંભીર અકસ્માત સર્જાયો છે. ચોટીલાના દર્શનેથી પાછી ફરતી વખતે આ અકસ્માત સર્જાયો છે. ટ્રક પાછળ મીનિ ટ્રક ઘૂસી જવાને કારણે આ અકસ્માત સર્જાયો છે 10 લોકો કાળનો કોળિયો બન્યા છે. મૃતકોમાં 5 મહિલા, 3 બાળકો અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. અનેક લોકો ઘાયલ પણ થયા અને મળતી માહિતી અનુસાર ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધી પણ શકે છે. સારવાર અર્થે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે થોડા સમય પહેલા થયેલા અકસ્માતની ચર્ચા હજી શાંત નથી થઈ ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.