અમદાવાદમાં ફરી એક વખત સર્જાયો ગમખ્વાર અકસ્માત, અમદાવાદ-બગોદરા હાઇવે પર થયેલા અકસ્માતમાં બુજાઈ આટલા લોકોની જીંદગી


  • Published By :
  • Published Date : 2023-08-11 14:58:09

થોડા સમય પહેલા ઈસ્કોન બ્રિજ પાસે થયેલા અકસ્માતની ચર્ચાઓ નથી શાંત થઈ. ત્યારે ફરી એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં 10 નિર્દોષ લોકોના મોત થયા છે. અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો છે જેમાં 5 મહિલા, 3 બાળકો સહિત 10 જેટલા લોકો મોતને ભેટ્યા છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તેના વિશે વાત કરીએ તો મિની ટ્રક પાછળ ટ્રક ઘૂસી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માત અમદાવાદથી 50 કિમી દૂર સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સીએમ ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઈજાગસ્ત થયા છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો કપડવંજના વતની હતા. અને ચોટીલાથી દર્શન કરી પરત ફરી વળ્યા હતા.    



રસ્તા પર ઉભેલી ટ્રક પાછળ ઘૂસી મીનિ ટ્રક 

અમદાવાદમાં ફરી એક વખત ગંભીર અકસ્માત સર્જાયો છે. ચોટીલાના દર્શનેથી પાછી ફરતી વખતે આ અકસ્માત સર્જાયો છે. ટ્રક પાછળ મીનિ ટ્રક ઘૂસી જવાને કારણે આ અકસ્માત સર્જાયો છે 10 લોકો કાળનો કોળિયો બન્યા છે. મૃતકોમાં 5 મહિલા, 3 બાળકો અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. અનેક લોકો ઘાયલ પણ થયા અને મળતી માહિતી અનુસાર ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધી પણ શકે છે. સારવાર અર્થે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે થોડા સમય પહેલા થયેલા અકસ્માતની ચર્ચા હજી શાંત નથી થઈ ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.