અમદાવાદમાં ફરી એક વખત સર્જાયો ગમખ્વાર અકસ્માત, અમદાવાદ-બગોદરા હાઇવે પર થયેલા અકસ્માતમાં બુજાઈ આટલા લોકોની જીંદગી


  • Published By :
  • Published Date : 2023-08-11 14:58:09

થોડા સમય પહેલા ઈસ્કોન બ્રિજ પાસે થયેલા અકસ્માતની ચર્ચાઓ નથી શાંત થઈ. ત્યારે ફરી એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં 10 નિર્દોષ લોકોના મોત થયા છે. અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો છે જેમાં 5 મહિલા, 3 બાળકો સહિત 10 જેટલા લોકો મોતને ભેટ્યા છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તેના વિશે વાત કરીએ તો મિની ટ્રક પાછળ ટ્રક ઘૂસી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માત અમદાવાદથી 50 કિમી દૂર સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સીએમ ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઈજાગસ્ત થયા છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો કપડવંજના વતની હતા. અને ચોટીલાથી દર્શન કરી પરત ફરી વળ્યા હતા.    



રસ્તા પર ઉભેલી ટ્રક પાછળ ઘૂસી મીનિ ટ્રક 

અમદાવાદમાં ફરી એક વખત ગંભીર અકસ્માત સર્જાયો છે. ચોટીલાના દર્શનેથી પાછી ફરતી વખતે આ અકસ્માત સર્જાયો છે. ટ્રક પાછળ મીનિ ટ્રક ઘૂસી જવાને કારણે આ અકસ્માત સર્જાયો છે 10 લોકો કાળનો કોળિયો બન્યા છે. મૃતકોમાં 5 મહિલા, 3 બાળકો અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. અનેક લોકો ઘાયલ પણ થયા અને મળતી માહિતી અનુસાર ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધી પણ શકે છે. સારવાર અર્થે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે થોડા સમય પહેલા થયેલા અકસ્માતની ચર્ચા હજી શાંત નથી થઈ ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.