છત્તીસગઢમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, દુર્ઘટનામાં થયા અનેક લોકોના મોત, સીએમે ઘટના અંગે શોક પ્રગટ કર્યો


  • Published By :
  • Published Date : 2023-02-24 10:46:21

અકસ્મતોની સંખ્યામાં વધારો થયો છે. અકસ્માતને કારણે રોજે રોજ કોઈનો જીવ જતો હોય છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના છત્તીસગઢથી સામે આવી છે. બલૌદાબજાર-ભાટાપારા રોડ ગુરૂવાર રાતે ટ્રક અને પિક અપ વેન વચ્ચે થયેલી ટક્કરથી 11 લોકોના મોત થયા છે. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર મૃતકો એક જ પરિવારના સદસ્યો હતા અને પારિવારિક કામથી તેઓ બહાર ગયા હતા. મૃતકોમાં 4 બાળકોનો પણ સમાવેશ થાય છે.

  

11 લોકોના થયા મોત  

એક્સિડન્ટની અનેક એવી ઘટનાઓ સામે આવી છે જેમાં અનેક લોકોના મોત થયા હોય છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોય છે. ત્યારે એક ગમખ્વાર અકસ્માત છત્તીસગઢમાં થયો છે જેમાં 11 લોકોના મોત થઈ ગયા છે. ટ્રક અને પિક અપ વેન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી જેમાં 15 જેટલા લોકો ઘાયલ થયા છે. બધા લોકો એક જ પરિવારના લોકો હતા એવું માનવામાં  આવી રહ્યું  છે અને કોઈ અંગત કામથી ખિલોરાથી અર્જૂની ગામ જઈ રહ્યા હતા.


મૃતકો એક જ પરિવારના હોવાનું અનુમાન 

આ ઘટનામાં 11 લોકોના મોત થયા છે જ્યારે 15 જેટલા લોકો ગંભીર રીતે ઘવાયા છે. મરનાર લોકોમાં 4 બાળકોનો સમાવેશ થાય છે. જેમની ઉંમર 12થી 13 વર્ષ વચ્ચેની હતી. મળતી માહિતી અનુસાર મોડી રાત્રે બલૌદાબાજારના ખિલોરાથી સાહુ પરિવાર પિકઅપ વાનમાં સવાર થઈ ગઈ રહ્યા હતા ત્યારે ટ્રક સાથે અકસ્માત થયો છે. ટક્કર એટલી જોરદાર હતી કે 11 લોકોના મોત થયા છે. ઘટના સ્થળે 7 લોકોના મોત થયા હતા, જ્યારે 4 લોકોના મોત સારવાર દરમિયાન થયા હતા. 10 જેટલા ઘાયલ લોકોની સારવાર ચાલી રહી છે. પોલીસે ઘટના સ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી. ટક્કર બાદ ટ્રકમાં આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. પિકઅપ વાનમાં 22 જેટલા લોકો સવાર હતા.      


ઘટનાને લઈ સીએમએ શોક કર્યો વ્યક્ત 

આ ઘટનાને લઈ લોકોમાં દુખ વ્યાપી ઉઠ્યો છે. આ ઘટના પર મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે શોક પ્રગટ કર્યો છે. મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ઉપરાંત સારવાર સારી થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. સંભવ મદદ કરવા તેમણે જણાવ્યું હતું. 




ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ એક મહત્વનું નિવેદન ભારત માટે આપ્યું છે. જેમાં ઈરાને ભારતની ભૂમિકાની પ્રશંસા કરી છે. તો બીજી તરફ , ઈરાન દ્વારા બેલિસ્ટિક મિસાઇલોનો ૮૦મોં રાઉન્ડ ઇઝરાયેલ તરફ છોડવામાં આવ્યો છે. સામે ખાડી દેશોમાં કુવૈત એ પહેલો દેશ છે જેણે ઈરાન પર હુમલો કરી દીધો છે. કુવૈત દ્વારા સંભવિત પરમાણુ યુદ્ધની તૈયારીના ભાગરૂપે પોતાના નાગરિકો માટે એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે .જેનાથી ઈરાન યુદ્ધ ભયાનકતાની નવી ચરમસીમાએ પહોંચી ચૂક્યું છે.

ઉત્તર ગુજરાતમાં આજકાલ એક અસામાજિક તત્વનું નામ ખુબ ચર્ચામાં છે તે છે , ભાવેશ રબારી. આ એજ ભાવેશ રબારી છે કે જેના રામાધણી નામના ફાર્મ હાઉસ પર પોલીસ પર ૧૮ જેટલા અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ , આ ૧૮ જેટલા અસામાજિક તત્વોનો વરઘોડો ચાણસ્માના બજારમાં કાઢવામાં આવ્યો હતો. આ પછી , ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી નાખવામાં આવે છે. આજે ભાવેશ રબારી અને તેના સાગરીતોની સામે નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આપણી બંધારણીય સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલેકે , GPSCને ગુજરાતની વડી અદાલત દ્વારા વેધક ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે GPSCને આપખુદ ગણાવી છે. આ ઉપરાંત, GPSCના પેપર સેંટરને લઇને ફરી સવાલ ઉભા થયા છે. હવે હાઇકોર્ટે GPSCને પેપર સેંટરના નામ પણ ડિસ્કલોઝ કરવાનો આદેશ આપ્યો છે.

વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.