છત્તીસગઢમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, દુર્ઘટનામાં થયા અનેક લોકોના મોત, સીએમે ઘટના અંગે શોક પ્રગટ કર્યો


  • Published By :
  • Published Date : 2023-02-24 10:46:21

અકસ્મતોની સંખ્યામાં વધારો થયો છે. અકસ્માતને કારણે રોજે રોજ કોઈનો જીવ જતો હોય છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના છત્તીસગઢથી સામે આવી છે. બલૌદાબજાર-ભાટાપારા રોડ ગુરૂવાર રાતે ટ્રક અને પિક અપ વેન વચ્ચે થયેલી ટક્કરથી 11 લોકોના મોત થયા છે. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર મૃતકો એક જ પરિવારના સદસ્યો હતા અને પારિવારિક કામથી તેઓ બહાર ગયા હતા. મૃતકોમાં 4 બાળકોનો પણ સમાવેશ થાય છે.

  

11 લોકોના થયા મોત  

એક્સિડન્ટની અનેક એવી ઘટનાઓ સામે આવી છે જેમાં અનેક લોકોના મોત થયા હોય છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોય છે. ત્યારે એક ગમખ્વાર અકસ્માત છત્તીસગઢમાં થયો છે જેમાં 11 લોકોના મોત થઈ ગયા છે. ટ્રક અને પિક અપ વેન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી જેમાં 15 જેટલા લોકો ઘાયલ થયા છે. બધા લોકો એક જ પરિવારના લોકો હતા એવું માનવામાં  આવી રહ્યું  છે અને કોઈ અંગત કામથી ખિલોરાથી અર્જૂની ગામ જઈ રહ્યા હતા.


મૃતકો એક જ પરિવારના હોવાનું અનુમાન 

આ ઘટનામાં 11 લોકોના મોત થયા છે જ્યારે 15 જેટલા લોકો ગંભીર રીતે ઘવાયા છે. મરનાર લોકોમાં 4 બાળકોનો સમાવેશ થાય છે. જેમની ઉંમર 12થી 13 વર્ષ વચ્ચેની હતી. મળતી માહિતી અનુસાર મોડી રાત્રે બલૌદાબાજારના ખિલોરાથી સાહુ પરિવાર પિકઅપ વાનમાં સવાર થઈ ગઈ રહ્યા હતા ત્યારે ટ્રક સાથે અકસ્માત થયો છે. ટક્કર એટલી જોરદાર હતી કે 11 લોકોના મોત થયા છે. ઘટના સ્થળે 7 લોકોના મોત થયા હતા, જ્યારે 4 લોકોના મોત સારવાર દરમિયાન થયા હતા. 10 જેટલા ઘાયલ લોકોની સારવાર ચાલી રહી છે. પોલીસે ઘટના સ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી. ટક્કર બાદ ટ્રકમાં આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. પિકઅપ વાનમાં 22 જેટલા લોકો સવાર હતા.      


ઘટનાને લઈ સીએમએ શોક કર્યો વ્યક્ત 

આ ઘટનાને લઈ લોકોમાં દુખ વ્યાપી ઉઠ્યો છે. આ ઘટના પર મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે શોક પ્રગટ કર્યો છે. મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ઉપરાંત સારવાર સારી થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. સંભવ મદદ કરવા તેમણે જણાવ્યું હતું. 




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.