છત્તીસગઢમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, દુર્ઘટનામાં થયા અનેક લોકોના મોત, સીએમે ઘટના અંગે શોક પ્રગટ કર્યો


  • Published By :
  • Published Date : 2023-02-24 10:46:21

અકસ્મતોની સંખ્યામાં વધારો થયો છે. અકસ્માતને કારણે રોજે રોજ કોઈનો જીવ જતો હોય છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના છત્તીસગઢથી સામે આવી છે. બલૌદાબજાર-ભાટાપારા રોડ ગુરૂવાર રાતે ટ્રક અને પિક અપ વેન વચ્ચે થયેલી ટક્કરથી 11 લોકોના મોત થયા છે. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર મૃતકો એક જ પરિવારના સદસ્યો હતા અને પારિવારિક કામથી તેઓ બહાર ગયા હતા. મૃતકોમાં 4 બાળકોનો પણ સમાવેશ થાય છે.

  

11 લોકોના થયા મોત  

એક્સિડન્ટની અનેક એવી ઘટનાઓ સામે આવી છે જેમાં અનેક લોકોના મોત થયા હોય છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોય છે. ત્યારે એક ગમખ્વાર અકસ્માત છત્તીસગઢમાં થયો છે જેમાં 11 લોકોના મોત થઈ ગયા છે. ટ્રક અને પિક અપ વેન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી જેમાં 15 જેટલા લોકો ઘાયલ થયા છે. બધા લોકો એક જ પરિવારના લોકો હતા એવું માનવામાં  આવી રહ્યું  છે અને કોઈ અંગત કામથી ખિલોરાથી અર્જૂની ગામ જઈ રહ્યા હતા.


મૃતકો એક જ પરિવારના હોવાનું અનુમાન 

આ ઘટનામાં 11 લોકોના મોત થયા છે જ્યારે 15 જેટલા લોકો ગંભીર રીતે ઘવાયા છે. મરનાર લોકોમાં 4 બાળકોનો સમાવેશ થાય છે. જેમની ઉંમર 12થી 13 વર્ષ વચ્ચેની હતી. મળતી માહિતી અનુસાર મોડી રાત્રે બલૌદાબાજારના ખિલોરાથી સાહુ પરિવાર પિકઅપ વાનમાં સવાર થઈ ગઈ રહ્યા હતા ત્યારે ટ્રક સાથે અકસ્માત થયો છે. ટક્કર એટલી જોરદાર હતી કે 11 લોકોના મોત થયા છે. ઘટના સ્થળે 7 લોકોના મોત થયા હતા, જ્યારે 4 લોકોના મોત સારવાર દરમિયાન થયા હતા. 10 જેટલા ઘાયલ લોકોની સારવાર ચાલી રહી છે. પોલીસે ઘટના સ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી. ટક્કર બાદ ટ્રકમાં આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. પિકઅપ વાનમાં 22 જેટલા લોકો સવાર હતા.      


ઘટનાને લઈ સીએમએ શોક કર્યો વ્યક્ત 

આ ઘટનાને લઈ લોકોમાં દુખ વ્યાપી ઉઠ્યો છે. આ ઘટના પર મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે શોક પ્રગટ કર્યો છે. મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ઉપરાંત સારવાર સારી થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. સંભવ મદદ કરવા તેમણે જણાવ્યું હતું. 




આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.