છત્તીસગઢમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, દુર્ઘટનામાં થયા અનેક લોકોના મોત, સીએમે ઘટના અંગે શોક પ્રગટ કર્યો


  • Published By :
  • Published Date : 2023-02-24 10:46:21

અકસ્મતોની સંખ્યામાં વધારો થયો છે. અકસ્માતને કારણે રોજે રોજ કોઈનો જીવ જતો હોય છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના છત્તીસગઢથી સામે આવી છે. બલૌદાબજાર-ભાટાપારા રોડ ગુરૂવાર રાતે ટ્રક અને પિક અપ વેન વચ્ચે થયેલી ટક્કરથી 11 લોકોના મોત થયા છે. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર મૃતકો એક જ પરિવારના સદસ્યો હતા અને પારિવારિક કામથી તેઓ બહાર ગયા હતા. મૃતકોમાં 4 બાળકોનો પણ સમાવેશ થાય છે.

  

11 લોકોના થયા મોત  

એક્સિડન્ટની અનેક એવી ઘટનાઓ સામે આવી છે જેમાં અનેક લોકોના મોત થયા હોય છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોય છે. ત્યારે એક ગમખ્વાર અકસ્માત છત્તીસગઢમાં થયો છે જેમાં 11 લોકોના મોત થઈ ગયા છે. ટ્રક અને પિક અપ વેન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી જેમાં 15 જેટલા લોકો ઘાયલ થયા છે. બધા લોકો એક જ પરિવારના લોકો હતા એવું માનવામાં  આવી રહ્યું  છે અને કોઈ અંગત કામથી ખિલોરાથી અર્જૂની ગામ જઈ રહ્યા હતા.


મૃતકો એક જ પરિવારના હોવાનું અનુમાન 

આ ઘટનામાં 11 લોકોના મોત થયા છે જ્યારે 15 જેટલા લોકો ગંભીર રીતે ઘવાયા છે. મરનાર લોકોમાં 4 બાળકોનો સમાવેશ થાય છે. જેમની ઉંમર 12થી 13 વર્ષ વચ્ચેની હતી. મળતી માહિતી અનુસાર મોડી રાત્રે બલૌદાબાજારના ખિલોરાથી સાહુ પરિવાર પિકઅપ વાનમાં સવાર થઈ ગઈ રહ્યા હતા ત્યારે ટ્રક સાથે અકસ્માત થયો છે. ટક્કર એટલી જોરદાર હતી કે 11 લોકોના મોત થયા છે. ઘટના સ્થળે 7 લોકોના મોત થયા હતા, જ્યારે 4 લોકોના મોત સારવાર દરમિયાન થયા હતા. 10 જેટલા ઘાયલ લોકોની સારવાર ચાલી રહી છે. પોલીસે ઘટના સ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી. ટક્કર બાદ ટ્રકમાં આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. પિકઅપ વાનમાં 22 જેટલા લોકો સવાર હતા.      


ઘટનાને લઈ સીએમએ શોક કર્યો વ્યક્ત 

આ ઘટનાને લઈ લોકોમાં દુખ વ્યાપી ઉઠ્યો છે. આ ઘટના પર મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે શોક પ્રગટ કર્યો છે. મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ઉપરાંત સારવાર સારી થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. સંભવ મદદ કરવા તેમણે જણાવ્યું હતું. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.