વડોદરામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, એસટી બસ અને બાઈક વચ્ચેની ટક્કરમાં થયાં ત્રણ લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-04-10 08:50:43

બેફામ રીતે વાહન ચલાવવાને કારણે અનેક વખત ગંભીર અકસ્માત સર્જાતા હોય છે. અકસ્માતમાં અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે તો અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે. અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રવિવારે વડોદરામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટનાસ્થળ પર ત્રણ લોકોના મોત થઈ ગયા છે. એસટી બસ અને બાઈક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે ઘટનાસ્થળ પર આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 


એસટી બસ અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત 

અકસ્માતોની સંખ્યામાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. અકસ્માતને કારણે અનેક લોકોના જીવ પણ ગયા છે. સ્પિડમાં વાહન ચલાવવાને કારણે મુખ્યત્વે અકસ્માતો સર્જાતા હોય છે. ઝડપની મજા અનેક વખત મોતની સજામાં પરિણમતી હોય છે. સરકારી બસ પણ અનેક વખત બેફામ દોડતી જોવા મળતી હોય છે. ત્યારે રવિવારે  વડોદરામાં આવેલા હાલોલ રોડ પર એસટી બસ અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી જેમાં બાઈક સવાર ત્રણ લોકોના મોત ઘટનાસ્થળ પર થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર મૃતકોમાં એક જ પરિવારના બે સગા ભાઈ હતા અને એક મિત્ર હતો જે મોતને ભેટ્યો છે.  


અકસ્માતમાં ત્રણ લોકોના થયા મોત 

ત્રણ યુવાનોના મોત થતાં લોકોમાં શોક વ્યાપી ઉઠ્યો હતો. દુખની લાગણી પ્રસરી હતી. એસટી બસ વડોદરાથી હાલોલ તરફ જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બની છે. પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એક જ ગામના ત્રણ લોકોના મોત થતાં ગામમાં પણ શોકનો માહોલ વ્યાપી ઉઠ્યો છે.     

 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.