વડોદરામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, એસટી બસ અને બાઈક વચ્ચેની ટક્કરમાં થયાં ત્રણ લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-04-10 08:50:43

બેફામ રીતે વાહન ચલાવવાને કારણે અનેક વખત ગંભીર અકસ્માત સર્જાતા હોય છે. અકસ્માતમાં અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે તો અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે. અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રવિવારે વડોદરામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટનાસ્થળ પર ત્રણ લોકોના મોત થઈ ગયા છે. એસટી બસ અને બાઈક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે ઘટનાસ્થળ પર આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 


એસટી બસ અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત 

અકસ્માતોની સંખ્યામાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. અકસ્માતને કારણે અનેક લોકોના જીવ પણ ગયા છે. સ્પિડમાં વાહન ચલાવવાને કારણે મુખ્યત્વે અકસ્માતો સર્જાતા હોય છે. ઝડપની મજા અનેક વખત મોતની સજામાં પરિણમતી હોય છે. સરકારી બસ પણ અનેક વખત બેફામ દોડતી જોવા મળતી હોય છે. ત્યારે રવિવારે  વડોદરામાં આવેલા હાલોલ રોડ પર એસટી બસ અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી જેમાં બાઈક સવાર ત્રણ લોકોના મોત ઘટનાસ્થળ પર થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર મૃતકોમાં એક જ પરિવારના બે સગા ભાઈ હતા અને એક મિત્ર હતો જે મોતને ભેટ્યો છે.  


અકસ્માતમાં ત્રણ લોકોના થયા મોત 

ત્રણ યુવાનોના મોત થતાં લોકોમાં શોક વ્યાપી ઉઠ્યો હતો. દુખની લાગણી પ્રસરી હતી. એસટી બસ વડોદરાથી હાલોલ તરફ જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બની છે. પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એક જ ગામના ત્રણ લોકોના મોત થતાં ગામમાં પણ શોકનો માહોલ વ્યાપી ઉઠ્યો છે.     

 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.