વડોદરામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, એસટી બસ અને બાઈક વચ્ચેની ટક્કરમાં થયાં ત્રણ લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-04-10 08:50:43

બેફામ રીતે વાહન ચલાવવાને કારણે અનેક વખત ગંભીર અકસ્માત સર્જાતા હોય છે. અકસ્માતમાં અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે તો અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે. અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રવિવારે વડોદરામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટનાસ્થળ પર ત્રણ લોકોના મોત થઈ ગયા છે. એસટી બસ અને બાઈક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે ઘટનાસ્થળ પર આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 


એસટી બસ અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત 

અકસ્માતોની સંખ્યામાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. અકસ્માતને કારણે અનેક લોકોના જીવ પણ ગયા છે. સ્પિડમાં વાહન ચલાવવાને કારણે મુખ્યત્વે અકસ્માતો સર્જાતા હોય છે. ઝડપની મજા અનેક વખત મોતની સજામાં પરિણમતી હોય છે. સરકારી બસ પણ અનેક વખત બેફામ દોડતી જોવા મળતી હોય છે. ત્યારે રવિવારે  વડોદરામાં આવેલા હાલોલ રોડ પર એસટી બસ અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી જેમાં બાઈક સવાર ત્રણ લોકોના મોત ઘટનાસ્થળ પર થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર મૃતકોમાં એક જ પરિવારના બે સગા ભાઈ હતા અને એક મિત્ર હતો જે મોતને ભેટ્યો છે.  


અકસ્માતમાં ત્રણ લોકોના થયા મોત 

ત્રણ યુવાનોના મોત થતાં લોકોમાં શોક વ્યાપી ઉઠ્યો હતો. દુખની લાગણી પ્રસરી હતી. એસટી બસ વડોદરાથી હાલોલ તરફ જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બની છે. પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એક જ ગામના ત્રણ લોકોના મોત થતાં ગામમાં પણ શોકનો માહોલ વ્યાપી ઉઠ્યો છે.     

 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે