મહારાષ્ટ્રના નાસિક-શિરડી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનામાં 10 લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-01-13 10:42:09

અકસ્માતોની સંખ્ય પ્રતિદિન વધી રહી છે. દરરોજ અનેક અકસ્માત થાય છે જેમાં લોકો મોતને ભેટતા હોય છે અથવા તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે ગમખ્વાર અકસ્માત મહારાષ્ટ્રના નાસિકમાં થયો છે જેમાં 10 લોકોના મોત થયા છે જ્યારે 40 જેટલા લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર તમામ મુસાફરો શિરડી ખાતે આવેલા સાંઈ બાબાના દર્શન કરવા જઈ રહ્યા હતા.

બસમાં સવાર 10 લોકોના ઘટના સ્થળે થયા મોત 

શુક્રવારની સવારે એક અકસ્માત સર્જાયો છે જેમાં 10 લોકોના મોત થયા છે જ્યારે 40 જેટલા લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત મહારાષ્ટ્રના શિરડી હાઈવે પર થયો છે. બસ અને ટ્રક ભટકાતા બંને વચ્ચે ગંભીર અકસ્માત સર્જોયો હતો. અકસ્માતને કારણે બસમાં સવાર 10 લોકોના મોત થયા છે જ્યારે 40 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતને લઈ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે. ઉપરાંત મૃતકોને પાંચ લાખ વળતર આપવાની જાહેરાત કરી છે.


અકસ્માતમાં અનેક લોકો થાય છે ઈજાગ્રસ્ત 

દેશમાં અકસ્માતોને કારણે મોત પામનાર લોકોનો આંકડો સતત વધી રહ્યો છે. કોઈ વખત ખીણમાં પડી જવાથી, કોઈ વખત ઝાડ સાથે ભટકાવવાથી તો કોઈ વખત બે વાહનો વચ્ચે ટક્કર થવાથી અકસ્માત સર્જાતા હોય છે. આ અકસ્માત બસ અને ટ્રક વચ્ચે સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના નાસિક-શિરડી હાઈવે પર બની હતી. બસમાં સવાર મુસાફરો શિરડીના સાંઈ બાબાના દર્શન કરવા જઈ રહ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે 10 લોકોના મોત ઘટના સ્થળે થઈ ગયા હતા.     




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.