રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર સર્જાયો ગોઝારો અકસ્માત, ચાર લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2022-12-23 09:59:07

રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર અનેક વખત અકસ્માતના કિસ્સાઓ બની રહ્યા છે. અકસ્માત થવાને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર ઈકો કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં અંદાજીત 4 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈકો કાર ડમ્પરની પાછળ ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો છે. 


બે લોકોના ઘટના સ્થળે થયા મોત

અકસ્માતોની સંખ્યમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. અકસ્માતમાં અનેક લોકો મોતને ભેટે છે. ગઈ કાલે મહેસાણા નજીક અકસ્માત સર્જાયો હતો જ્યારે વધુ એક અકસ્માત રાજકોટ-અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર માલિયાસણ ગામ નજીક ઈકો કાર અને ડમ્પર વચ્ચે સર્જાયો છે. ઈકો કાર ડમ્પરની પાછળ ઘૂસી ગઈ હતી જેને કારણે આ એક્સિડન્ટ થયો છે. અકસ્માત થતા બે લોકોના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે સારવાર દરમિયાન અન્ય બે લોકોના મોત થયા છે. ઉપરાંત ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


પોલીસની અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી 

ગોઝારા અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને મળતી માહિતી અનુસાર ફૂલ સ્પીડમાં આવતી ઈકો કાર ડમ્પરની અંદર ઘૂસી ગઈ હતી. ઈકો કાર અંદાજીત ડમ્પરને ચીરીને બેથી ત્રણ ફૂટ અંદર જતી રહી હતી. ઘટનાની જાણ થતા 108ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં બે લોકોના મોત ઘટનાસ્થળે જ થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે લોકોના મોત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોની હાલત હાલ ગંભીર બતાવામાં આવી રહી છે.   



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.