રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર સર્જાયો ગોઝારો અકસ્માત, ચાર લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2022-12-23 09:59:07

રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર અનેક વખત અકસ્માતના કિસ્સાઓ બની રહ્યા છે. અકસ્માત થવાને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર ઈકો કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં અંદાજીત 4 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈકો કાર ડમ્પરની પાછળ ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો છે. 


બે લોકોના ઘટના સ્થળે થયા મોત

અકસ્માતોની સંખ્યમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. અકસ્માતમાં અનેક લોકો મોતને ભેટે છે. ગઈ કાલે મહેસાણા નજીક અકસ્માત સર્જાયો હતો જ્યારે વધુ એક અકસ્માત રાજકોટ-અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર માલિયાસણ ગામ નજીક ઈકો કાર અને ડમ્પર વચ્ચે સર્જાયો છે. ઈકો કાર ડમ્પરની પાછળ ઘૂસી ગઈ હતી જેને કારણે આ એક્સિડન્ટ થયો છે. અકસ્માત થતા બે લોકોના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે સારવાર દરમિયાન અન્ય બે લોકોના મોત થયા છે. ઉપરાંત ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


પોલીસની અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી 

ગોઝારા અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને મળતી માહિતી અનુસાર ફૂલ સ્પીડમાં આવતી ઈકો કાર ડમ્પરની અંદર ઘૂસી ગઈ હતી. ઈકો કાર અંદાજીત ડમ્પરને ચીરીને બેથી ત્રણ ફૂટ અંદર જતી રહી હતી. ઘટનાની જાણ થતા 108ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં બે લોકોના મોત ઘટનાસ્થળે જ થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે લોકોના મોત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોની હાલત હાલ ગંભીર બતાવામાં આવી રહી છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.