રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર સર્જાયો ગોઝારો અકસ્માત, ચાર લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2022-12-23 09:59:07

રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર અનેક વખત અકસ્માતના કિસ્સાઓ બની રહ્યા છે. અકસ્માત થવાને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર ઈકો કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં અંદાજીત 4 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈકો કાર ડમ્પરની પાછળ ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો છે. 


બે લોકોના ઘટના સ્થળે થયા મોત

અકસ્માતોની સંખ્યમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. અકસ્માતમાં અનેક લોકો મોતને ભેટે છે. ગઈ કાલે મહેસાણા નજીક અકસ્માત સર્જાયો હતો જ્યારે વધુ એક અકસ્માત રાજકોટ-અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર માલિયાસણ ગામ નજીક ઈકો કાર અને ડમ્પર વચ્ચે સર્જાયો છે. ઈકો કાર ડમ્પરની પાછળ ઘૂસી ગઈ હતી જેને કારણે આ એક્સિડન્ટ થયો છે. અકસ્માત થતા બે લોકોના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે સારવાર દરમિયાન અન્ય બે લોકોના મોત થયા છે. ઉપરાંત ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


પોલીસની અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી 

ગોઝારા અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને મળતી માહિતી અનુસાર ફૂલ સ્પીડમાં આવતી ઈકો કાર ડમ્પરની અંદર ઘૂસી ગઈ હતી. ઈકો કાર અંદાજીત ડમ્પરને ચીરીને બેથી ત્રણ ફૂટ અંદર જતી રહી હતી. ઘટનાની જાણ થતા 108ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં બે લોકોના મોત ઘટનાસ્થળે જ થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે લોકોના મોત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોની હાલત હાલ ગંભીર બતાવામાં આવી રહી છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.