એકબાજુ કોંગ્રેસે કસ્ટોડિયલ ડેથનો મુદ્દો ઉઠાવ્યો અને બીજીબાજુ રાજકોટમાં આરોપીનું પોલીસ મથકમાં મોત


  • Published By :
  • Published Date : 2023-03-15 19:45:27

આજે જ ગુજરાત કોંગ્રેસે પત્રકાર પરિષદ કરીને ગુજરાતની જેલમાં થતા આરોપીઓના મોત મામલે આંકડાઓ સામે રાખ્યા અને આજે જ રાજકોટના કુવાડવા પોલીસ મથકમાં એક આરોપીનું મોત થયાનો મામલો સામે આવ્યો છે. પરિવારજનોએ રાજકોટ પોલીસ પર આક્ષેપ કર્યા છે કે પોલીસે માર માર્યો હોવાના કારણે મોત થયું છે. આક્ષેપ સાથે જ મામલો ચગી ગયો છે. 


"પોલીસના મારથી આરોપીનું મોત થયું"

ગઈકાલે રાત્રે દસ વાગ્યા નજીક રાજકોટની કુવાડવા પોલીસે જુગારના કેસમાં ચાર લોકોની ધરપકડ કરી હતી. મોડી રાત્રે અઢી વાગ્યે કુવાડવા પોલીસ સ્ટેશનમાં જેન્તી લાખા અગેચણિયા નામનો શખ્સ ઢળી પડ્યો હતો. રાજકોટ પોલીસે આરોપીને મોડી રાત્રે હોસ્પિટલ દાખલ કરાવ્યો હતો જ્યાં સારવાર પહેલા તેનું મોત થઈ ગયું હતું. સમગ્ર મામલાની વાત જેન્તી અગેચણિયાના પરિવારને થતાં તેણે રાજકોટ પોલીસ પર આક્ષેપ કર્યો હતો કે પોલીસના મારથી જેન્તી અગેચણિયાનું મોત થયું છે. 


કસ્ટડીમાં મોત થતાં પોલીસે શું કહ્યું?

સમગ્ર મામલે રાજકોટ પોલીસ એસીપી બીએ શર્માએ માહિતી આપી હતી કે કુવાડવા પોલીસે જુગારના કેસમાં ચાર આરોપીને પકડ્યા હતા. પકડાયેલા આરોપીમાંથી જેન્તી નામનો આરોપી અચાનક બે વાગ્યે રાતે ઢળી પડ્યો હતો. પોલીસ તેને સારવાર માટે લઈ ગઈ. પોલીસ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ જેન્તી અગેચણિયાનું મોત થઈ ગયું હતું. ડોક્ટરે આરોપીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આરોપીના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

આજે જ કોંગ્રેસે કસ્ટોડિયલ ડેથનો મુદ્દો ઉઠાવ્યો હતો 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસે કહ્યું હતું કે કસ્ટોડિયલ ડેથ કેસમાં ગુજરાત દેશમાં પહેલા નંબરે છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીના મોત થયા હતા. 2019-20ની સરખામણીએ વર્ષ 2021-22માં 24 મોત સાથે કસ્ટોડિયલ કેસમાં બમણો વધારો થયો હતો. કોંગ્રેસે સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સરકાર મે આઈ હેલ્પ યુ જેવી જાહેરાતોના બોર્ડ લગાવે છે પણ કંઈ થતું નથી. કોંગ્રેસે આરોપ લગાવ્યા હતા કે પોલીસના માર મારવાના બનાવોથી અને ટોર્ચર કરવાથી આરોપીઓના મોત થયા હતા. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.