એકબાજુ કોંગ્રેસે કસ્ટોડિયલ ડેથનો મુદ્દો ઉઠાવ્યો અને બીજીબાજુ રાજકોટમાં આરોપીનું પોલીસ મથકમાં મોત


  • Published By :
  • Published Date : 2023-03-15 19:45:27

આજે જ ગુજરાત કોંગ્રેસે પત્રકાર પરિષદ કરીને ગુજરાતની જેલમાં થતા આરોપીઓના મોત મામલે આંકડાઓ સામે રાખ્યા અને આજે જ રાજકોટના કુવાડવા પોલીસ મથકમાં એક આરોપીનું મોત થયાનો મામલો સામે આવ્યો છે. પરિવારજનોએ રાજકોટ પોલીસ પર આક્ષેપ કર્યા છે કે પોલીસે માર માર્યો હોવાના કારણે મોત થયું છે. આક્ષેપ સાથે જ મામલો ચગી ગયો છે. 


"પોલીસના મારથી આરોપીનું મોત થયું"

ગઈકાલે રાત્રે દસ વાગ્યા નજીક રાજકોટની કુવાડવા પોલીસે જુગારના કેસમાં ચાર લોકોની ધરપકડ કરી હતી. મોડી રાત્રે અઢી વાગ્યે કુવાડવા પોલીસ સ્ટેશનમાં જેન્તી લાખા અગેચણિયા નામનો શખ્સ ઢળી પડ્યો હતો. રાજકોટ પોલીસે આરોપીને મોડી રાત્રે હોસ્પિટલ દાખલ કરાવ્યો હતો જ્યાં સારવાર પહેલા તેનું મોત થઈ ગયું હતું. સમગ્ર મામલાની વાત જેન્તી અગેચણિયાના પરિવારને થતાં તેણે રાજકોટ પોલીસ પર આક્ષેપ કર્યો હતો કે પોલીસના મારથી જેન્તી અગેચણિયાનું મોત થયું છે. 


કસ્ટડીમાં મોત થતાં પોલીસે શું કહ્યું?

સમગ્ર મામલે રાજકોટ પોલીસ એસીપી બીએ શર્માએ માહિતી આપી હતી કે કુવાડવા પોલીસે જુગારના કેસમાં ચાર આરોપીને પકડ્યા હતા. પકડાયેલા આરોપીમાંથી જેન્તી નામનો આરોપી અચાનક બે વાગ્યે રાતે ઢળી પડ્યો હતો. પોલીસ તેને સારવાર માટે લઈ ગઈ. પોલીસ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ જેન્તી અગેચણિયાનું મોત થઈ ગયું હતું. ડોક્ટરે આરોપીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આરોપીના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

આજે જ કોંગ્રેસે કસ્ટોડિયલ ડેથનો મુદ્દો ઉઠાવ્યો હતો 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસે કહ્યું હતું કે કસ્ટોડિયલ ડેથ કેસમાં ગુજરાત દેશમાં પહેલા નંબરે છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીના મોત થયા હતા. 2019-20ની સરખામણીએ વર્ષ 2021-22માં 24 મોત સાથે કસ્ટોડિયલ કેસમાં બમણો વધારો થયો હતો. કોંગ્રેસે સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સરકાર મે આઈ હેલ્પ યુ જેવી જાહેરાતોના બોર્ડ લગાવે છે પણ કંઈ થતું નથી. કોંગ્રેસે આરોપ લગાવ્યા હતા કે પોલીસના માર મારવાના બનાવોથી અને ટોર્ચર કરવાથી આરોપીઓના મોત થયા હતા. 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.