એકબાજુ કોંગ્રેસે કસ્ટોડિયલ ડેથનો મુદ્દો ઉઠાવ્યો અને બીજીબાજુ રાજકોટમાં આરોપીનું પોલીસ મથકમાં મોત


  • Published By :
  • Published Date : 2023-03-15 19:45:27

આજે જ ગુજરાત કોંગ્રેસે પત્રકાર પરિષદ કરીને ગુજરાતની જેલમાં થતા આરોપીઓના મોત મામલે આંકડાઓ સામે રાખ્યા અને આજે જ રાજકોટના કુવાડવા પોલીસ મથકમાં એક આરોપીનું મોત થયાનો મામલો સામે આવ્યો છે. પરિવારજનોએ રાજકોટ પોલીસ પર આક્ષેપ કર્યા છે કે પોલીસે માર માર્યો હોવાના કારણે મોત થયું છે. આક્ષેપ સાથે જ મામલો ચગી ગયો છે. 


"પોલીસના મારથી આરોપીનું મોત થયું"

ગઈકાલે રાત્રે દસ વાગ્યા નજીક રાજકોટની કુવાડવા પોલીસે જુગારના કેસમાં ચાર લોકોની ધરપકડ કરી હતી. મોડી રાત્રે અઢી વાગ્યે કુવાડવા પોલીસ સ્ટેશનમાં જેન્તી લાખા અગેચણિયા નામનો શખ્સ ઢળી પડ્યો હતો. રાજકોટ પોલીસે આરોપીને મોડી રાત્રે હોસ્પિટલ દાખલ કરાવ્યો હતો જ્યાં સારવાર પહેલા તેનું મોત થઈ ગયું હતું. સમગ્ર મામલાની વાત જેન્તી અગેચણિયાના પરિવારને થતાં તેણે રાજકોટ પોલીસ પર આક્ષેપ કર્યો હતો કે પોલીસના મારથી જેન્તી અગેચણિયાનું મોત થયું છે. 


કસ્ટડીમાં મોત થતાં પોલીસે શું કહ્યું?

સમગ્ર મામલે રાજકોટ પોલીસ એસીપી બીએ શર્માએ માહિતી આપી હતી કે કુવાડવા પોલીસે જુગારના કેસમાં ચાર આરોપીને પકડ્યા હતા. પકડાયેલા આરોપીમાંથી જેન્તી નામનો આરોપી અચાનક બે વાગ્યે રાતે ઢળી પડ્યો હતો. પોલીસ તેને સારવાર માટે લઈ ગઈ. પોલીસ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ જેન્તી અગેચણિયાનું મોત થઈ ગયું હતું. ડોક્ટરે આરોપીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આરોપીના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

આજે જ કોંગ્રેસે કસ્ટોડિયલ ડેથનો મુદ્દો ઉઠાવ્યો હતો 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસે કહ્યું હતું કે કસ્ટોડિયલ ડેથ કેસમાં ગુજરાત દેશમાં પહેલા નંબરે છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીના મોત થયા હતા. 2019-20ની સરખામણીએ વર્ષ 2021-22માં 24 મોત સાથે કસ્ટોડિયલ કેસમાં બમણો વધારો થયો હતો. કોંગ્રેસે સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સરકાર મે આઈ હેલ્પ યુ જેવી જાહેરાતોના બોર્ડ લગાવે છે પણ કંઈ થતું નથી. કોંગ્રેસે આરોપ લગાવ્યા હતા કે પોલીસના માર મારવાના બનાવોથી અને ટોર્ચર કરવાથી આરોપીઓના મોત થયા હતા. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.