એકબાજુ કોંગ્રેસે કસ્ટોડિયલ ડેથનો મુદ્દો ઉઠાવ્યો અને બીજીબાજુ રાજકોટમાં આરોપીનું પોલીસ મથકમાં મોત


  • Published By :
  • Published Date : 2023-03-15 19:45:27

આજે જ ગુજરાત કોંગ્રેસે પત્રકાર પરિષદ કરીને ગુજરાતની જેલમાં થતા આરોપીઓના મોત મામલે આંકડાઓ સામે રાખ્યા અને આજે જ રાજકોટના કુવાડવા પોલીસ મથકમાં એક આરોપીનું મોત થયાનો મામલો સામે આવ્યો છે. પરિવારજનોએ રાજકોટ પોલીસ પર આક્ષેપ કર્યા છે કે પોલીસે માર માર્યો હોવાના કારણે મોત થયું છે. આક્ષેપ સાથે જ મામલો ચગી ગયો છે. 


"પોલીસના મારથી આરોપીનું મોત થયું"

ગઈકાલે રાત્રે દસ વાગ્યા નજીક રાજકોટની કુવાડવા પોલીસે જુગારના કેસમાં ચાર લોકોની ધરપકડ કરી હતી. મોડી રાત્રે અઢી વાગ્યે કુવાડવા પોલીસ સ્ટેશનમાં જેન્તી લાખા અગેચણિયા નામનો શખ્સ ઢળી પડ્યો હતો. રાજકોટ પોલીસે આરોપીને મોડી રાત્રે હોસ્પિટલ દાખલ કરાવ્યો હતો જ્યાં સારવાર પહેલા તેનું મોત થઈ ગયું હતું. સમગ્ર મામલાની વાત જેન્તી અગેચણિયાના પરિવારને થતાં તેણે રાજકોટ પોલીસ પર આક્ષેપ કર્યો હતો કે પોલીસના મારથી જેન્તી અગેચણિયાનું મોત થયું છે. 


કસ્ટડીમાં મોત થતાં પોલીસે શું કહ્યું?

સમગ્ર મામલે રાજકોટ પોલીસ એસીપી બીએ શર્માએ માહિતી આપી હતી કે કુવાડવા પોલીસે જુગારના કેસમાં ચાર આરોપીને પકડ્યા હતા. પકડાયેલા આરોપીમાંથી જેન્તી નામનો આરોપી અચાનક બે વાગ્યે રાતે ઢળી પડ્યો હતો. પોલીસ તેને સારવાર માટે લઈ ગઈ. પોલીસ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ જેન્તી અગેચણિયાનું મોત થઈ ગયું હતું. ડોક્ટરે આરોપીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આરોપીના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

આજે જ કોંગ્રેસે કસ્ટોડિયલ ડેથનો મુદ્દો ઉઠાવ્યો હતો 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસે કહ્યું હતું કે કસ્ટોડિયલ ડેથ કેસમાં ગુજરાત દેશમાં પહેલા નંબરે છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીના મોત થયા હતા. 2019-20ની સરખામણીએ વર્ષ 2021-22માં 24 મોત સાથે કસ્ટોડિયલ કેસમાં બમણો વધારો થયો હતો. કોંગ્રેસે સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સરકાર મે આઈ હેલ્પ યુ જેવી જાહેરાતોના બોર્ડ લગાવે છે પણ કંઈ થતું નથી. કોંગ્રેસે આરોપ લગાવ્યા હતા કે પોલીસના માર મારવાના બનાવોથી અને ટોર્ચર કરવાથી આરોપીઓના મોત થયા હતા. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.