ફ્લાઈટમાં મહિલા પેસેન્જર પર પેશાબ કરનાર શંકર મિશ્રા વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-01-19 17:44:34

છેલ્લા ઘણા સમયથી ફ્લાઈટથી એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેને લઈ ચર્ચાઓ થતી હોય છે. 26 નવંબર 2022ના રોજ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક યુવકે વૃદ્ધ મહિલા પર પેશાબ કરી લીધો હતો. આ ઘટનાના થોડા સમય બાદ આ વાત બહાર આવી હતી જે બાદ પેશાબ કરનાર વ્યક્તિ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી હતી.

  

એર ઈન્ડિયાએ શંકર મિશ્રા વિરૂદ્ધ કરી કાર્યવાહી  

એર ઈન્ડિયાની આ ઘટના બાદ આરોપીને શોધવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. મહિલાએ એર ઈન્ડિયામાં ફરિયાદ દાખલ કરી હતી જે બાદ એર ઈન્ડિયાએ પોલીસમાં આ ફરિયાદ નોંધાવી હતી. આ મામલાને લઈને પોલીસે શંકર મિશ્રાની ધરપકડ પણ કરી હતી. ઘટનાના 42 દિવસ સુધી આરોપી ફરાર હતો. પરંતુ અંતે પોલીસે તેમની ગિરફ્તારી કરી લીધી હતી. ત્યારે એર ઈન્ડિયાએ આરોપી શંકર મિશ્રા સામે કાર્યવાહી કરી છે. જે અંતર્ગત એર ઈન્ડિયાએ 4 મહિના માટે તેમની મુસાફરી પર બેન લગાવી દીધો છે. જેને કારણે શંકર મિશ્રા ચાર મહિના સુધી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી નહીં કરી શકે.      



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .