ફ્લાઈટમાં મહિલા પેસેન્જર પર પેશાબ કરનાર શંકર મિશ્રા વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-01-19 17:44:34

છેલ્લા ઘણા સમયથી ફ્લાઈટથી એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેને લઈ ચર્ચાઓ થતી હોય છે. 26 નવંબર 2022ના રોજ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક યુવકે વૃદ્ધ મહિલા પર પેશાબ કરી લીધો હતો. આ ઘટનાના થોડા સમય બાદ આ વાત બહાર આવી હતી જે બાદ પેશાબ કરનાર વ્યક્તિ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી હતી.

  

એર ઈન્ડિયાએ શંકર મિશ્રા વિરૂદ્ધ કરી કાર્યવાહી  

એર ઈન્ડિયાની આ ઘટના બાદ આરોપીને શોધવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. મહિલાએ એર ઈન્ડિયામાં ફરિયાદ દાખલ કરી હતી જે બાદ એર ઈન્ડિયાએ પોલીસમાં આ ફરિયાદ નોંધાવી હતી. આ મામલાને લઈને પોલીસે શંકર મિશ્રાની ધરપકડ પણ કરી હતી. ઘટનાના 42 દિવસ સુધી આરોપી ફરાર હતો. પરંતુ અંતે પોલીસે તેમની ગિરફ્તારી કરી લીધી હતી. ત્યારે એર ઈન્ડિયાએ આરોપી શંકર મિશ્રા સામે કાર્યવાહી કરી છે. જે અંતર્ગત એર ઈન્ડિયાએ 4 મહિના માટે તેમની મુસાફરી પર બેન લગાવી દીધો છે. જેને કારણે શંકર મિશ્રા ચાર મહિના સુધી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી નહીં કરી શકે.      



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.