ફ્લાઈટમાં મહિલા પેસેન્જર પર પેશાબ કરનાર શંકર મિશ્રા વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-01-19 17:44:34

છેલ્લા ઘણા સમયથી ફ્લાઈટથી એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેને લઈ ચર્ચાઓ થતી હોય છે. 26 નવંબર 2022ના રોજ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક યુવકે વૃદ્ધ મહિલા પર પેશાબ કરી લીધો હતો. આ ઘટનાના થોડા સમય બાદ આ વાત બહાર આવી હતી જે બાદ પેશાબ કરનાર વ્યક્તિ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી હતી.

  

એર ઈન્ડિયાએ શંકર મિશ્રા વિરૂદ્ધ કરી કાર્યવાહી  

એર ઈન્ડિયાની આ ઘટના બાદ આરોપીને શોધવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. મહિલાએ એર ઈન્ડિયામાં ફરિયાદ દાખલ કરી હતી જે બાદ એર ઈન્ડિયાએ પોલીસમાં આ ફરિયાદ નોંધાવી હતી. આ મામલાને લઈને પોલીસે શંકર મિશ્રાની ધરપકડ પણ કરી હતી. ઘટનાના 42 દિવસ સુધી આરોપી ફરાર હતો. પરંતુ અંતે પોલીસે તેમની ગિરફ્તારી કરી લીધી હતી. ત્યારે એર ઈન્ડિયાએ આરોપી શંકર મિશ્રા સામે કાર્યવાહી કરી છે. જે અંતર્ગત એર ઈન્ડિયાએ 4 મહિના માટે તેમની મુસાફરી પર બેન લગાવી દીધો છે. જેને કારણે શંકર મિશ્રા ચાર મહિના સુધી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી નહીં કરી શકે.      



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.