રાષ્ટ્રગીતનું અપમાન કરવા બદલ ભરૂચમાં નોંધાઈ ફરિયાદ, ભાજપના નેતા સહિત 11 લોકો વિરુદ્ધ લેવાશે પગલા!


  • Published By :
  • Published Date : 2023-02-14 13:50:50

રાષ્ટ્રગીતને સન્માન આપવું આપણા સૌ કોઈનું કર્તવ્ય છે. જ્યારે રાષ્ટ્રગીત ગવાતું હોય તે દરમિયાન અનેક નિયમોનું પાલન કરવું પડતું હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલાક લોકો ખુરશી પર બેઠા બેઠા રાષ્ટ્રગીત ગાઈ રહ્યા છે. વીડિયોમાં 11 જેટલા લોકો જોવા મળી રહ્યા છે જેમાં ભાજપના આગેવાન પણ દેખાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા ભરૂચ બી ડિવિઝન પોલીસને જાણ થતાં પોલીસે જાતે જ ફરિયાદી બની વીડિયોમાં દેખાતા તમામ 11 લોકો વિરૂદ્ધ ગુન્હો નોંધ્યો છે.


પોલીસે ફરિયાદી બની નોંધાવી ફરિયાદ   

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતાં હોય છે જે ટોક ઓફ ધી ટાઉન બનતા હોય છે. ત્યારે હાલ ભરૂચનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 11 લોકો રાષ્ટ્રગીત દરમિયાન પાલન કરવામાં આવતા નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. મંડપમાં બેઠા બેઠા  રાષ્ટ્રગીત ગાતા હતા. મળતી માહિતી અનુસાર આ વીડિયો ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારનો છે. જ્યાં રહેતા ઐયુબ ઈબ્રાહિમ પટેલની પુત્રીનો રાત્રીના સમયે લગ્ન પ્રસંગ યોજાયો હતો. જેમાં ભાજપના આગેવાનો કાર્યકરો સહિત 11 જેટલા લોકો મંડપમાં જ રાષ્ટ્રગીત ગાવાનું શરૂ કર્યું હતું. પાંચ શખ્સોએ ખુરશીમાં બેઠા બેઠા જ્યારે બાકીના પાંચ લોકો સાવધાન અવસ્થામાં ઉભા રહ્યા વિના રાષ્ટ્રગીત ગાઈ રહ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભરૂચ બી ડિવીઝન પોલીસે જાતે જ ફરિયાદી બની વીડિયોમાં દેખાતા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. 


વીડિયો સાથે છેડછાડ નથી કરાઈને તે અંગે કરાઈ રહી છે તપાસ 

જે મોબાઈલમાં રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું તેને કબજે કરી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે તમામની અટકાયત કરી હતી તે ઉપરાંત મોબાઈલને એફએસએલમાં મોકલી દેવામાં આવ્યા છે. વીડિયો સાથે કોઈ છેડછાડ કે અન્ય કૃત્ય થયુ નથી તે અંગેનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ વીડિયોમાં ભરૂચના ભાજપના લઘુમતિ મોરચાના અગ્રણી ઈમરાન ખંડરા દેખાય છે. આ વીડિયો વાયરલ થતા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.