રાષ્ટ્રગીતનું અપમાન કરવા બદલ ભરૂચમાં નોંધાઈ ફરિયાદ, ભાજપના નેતા સહિત 11 લોકો વિરુદ્ધ લેવાશે પગલા!


  • Published By :
  • Published Date : 2023-02-14 13:50:50

રાષ્ટ્રગીતને સન્માન આપવું આપણા સૌ કોઈનું કર્તવ્ય છે. જ્યારે રાષ્ટ્રગીત ગવાતું હોય તે દરમિયાન અનેક નિયમોનું પાલન કરવું પડતું હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલાક લોકો ખુરશી પર બેઠા બેઠા રાષ્ટ્રગીત ગાઈ રહ્યા છે. વીડિયોમાં 11 જેટલા લોકો જોવા મળી રહ્યા છે જેમાં ભાજપના આગેવાન પણ દેખાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા ભરૂચ બી ડિવિઝન પોલીસને જાણ થતાં પોલીસે જાતે જ ફરિયાદી બની વીડિયોમાં દેખાતા તમામ 11 લોકો વિરૂદ્ધ ગુન્હો નોંધ્યો છે.


પોલીસે ફરિયાદી બની નોંધાવી ફરિયાદ   

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતાં હોય છે જે ટોક ઓફ ધી ટાઉન બનતા હોય છે. ત્યારે હાલ ભરૂચનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 11 લોકો રાષ્ટ્રગીત દરમિયાન પાલન કરવામાં આવતા નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. મંડપમાં બેઠા બેઠા  રાષ્ટ્રગીત ગાતા હતા. મળતી માહિતી અનુસાર આ વીડિયો ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારનો છે. જ્યાં રહેતા ઐયુબ ઈબ્રાહિમ પટેલની પુત્રીનો રાત્રીના સમયે લગ્ન પ્રસંગ યોજાયો હતો. જેમાં ભાજપના આગેવાનો કાર્યકરો સહિત 11 જેટલા લોકો મંડપમાં જ રાષ્ટ્રગીત ગાવાનું શરૂ કર્યું હતું. પાંચ શખ્સોએ ખુરશીમાં બેઠા બેઠા જ્યારે બાકીના પાંચ લોકો સાવધાન અવસ્થામાં ઉભા રહ્યા વિના રાષ્ટ્રગીત ગાઈ રહ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભરૂચ બી ડિવીઝન પોલીસે જાતે જ ફરિયાદી બની વીડિયોમાં દેખાતા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. 


વીડિયો સાથે છેડછાડ નથી કરાઈને તે અંગે કરાઈ રહી છે તપાસ 

જે મોબાઈલમાં રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું તેને કબજે કરી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે તમામની અટકાયત કરી હતી તે ઉપરાંત મોબાઈલને એફએસએલમાં મોકલી દેવામાં આવ્યા છે. વીડિયો સાથે કોઈ છેડછાડ કે અન્ય કૃત્ય થયુ નથી તે અંગેનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ વીડિયોમાં ભરૂચના ભાજપના લઘુમતિ મોરચાના અગ્રણી ઈમરાન ખંડરા દેખાય છે. આ વીડિયો વાયરલ થતા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.