હાઈકોર્ટની ટકોર બાદ પણ નબળી કામગીરીને કારણે અધિકારી વિરૂદ્ધ લેવાયા પગલા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 14:31:51

રસ્તા પર રખડતા ઢોર ગુજરાતમાં મોટો પ્રશ્ન બની ગયો છે. પશુને કારણે અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે તો અનેક વાહન ચાલકોને પણ ઢોર કારણે મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રસ્તા પર જ્યાં જુઓ ત્યાં રખડતા પશુઓ જોવા મળે છે. જેને હટાવવાની કામગીરી હાઈકોર્ટના આદેશ બાદ સરકાર દ્વારા હાથ ધરવામાં આવી હતી. પરંતુ વિભાગની નબળી કામગીરીને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશને ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગના વડાને સસ્પેન્ડ કરી દીધા છે. સીએનસીડી વિભાગના વડા નરેશ રાજપુત તેમજ ઈન્ચાર્જ સુપરિટેન્ડન્ટ ડો. પ્રતાપ રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બંને અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ બંને અધિકારીની જવાબદારી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટરને સોંપી દેવામાં આવી છે.  

Stray cattle in India get glow-in-the dark horns to prevent crashes with  vehicles | The World from PRX


હાઈકોર્ટની ટકોર બાદ પણ તંત્રની નબળી કામગીરી

અનેક વખત રસ્તા પર રહેતા ઢોરને કારણે રાહદારીઓને ગંભીર ઈજાઓ પહોંચડતી હોય છે. તે ઉપરાંત વાહન ચાલકોને પણ અનેક વખત ઢોરના ઝઘડાનો ભોગ બનવું પડે છે. જેને કારણે આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. રખડતાં ઢોર મામલે હાઈકોર્ટે અનેક વખત તંત્રને ટકોર કરી છે. હાઈકોર્ટે ઢોર પકડવા મામલે તંત્રની કામગીરીથી નારાજગી વ્યક્ત કરી છે.

Ahmedabad Blasts Convicts To Move High Court Against Special Court Verdict

અસંતોષ વ્યક્ત કરતા કોર્ટે કહ્યું કે આજે પણ શહેરના અનેક વિસ્તારના રોડ પરથી રઝળતાં ઢોરનો ઉપદ્રવ દૂર થયો નથી. સરકારના ફરમાન બાદ પણ અધિકારીઓની ઢીલી નીતિને કારણે રસ્તા પર ગાયો દેખાતી નજરે પડે છે. ગાયોને કારણે અડધા રસ્તાઓ બ્લોક થઈ જતા હોય છે. અત્યાર સુધી તંત્રએ 2323થી વધુ પશુઓને પકડી ડબે પૂરી દીધા છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.