હાઈકોર્ટની ટકોર બાદ પણ નબળી કામગીરીને કારણે અધિકારી વિરૂદ્ધ લેવાયા પગલા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 14:31:51

રસ્તા પર રખડતા ઢોર ગુજરાતમાં મોટો પ્રશ્ન બની ગયો છે. પશુને કારણે અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે તો અનેક વાહન ચાલકોને પણ ઢોર કારણે મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રસ્તા પર જ્યાં જુઓ ત્યાં રખડતા પશુઓ જોવા મળે છે. જેને હટાવવાની કામગીરી હાઈકોર્ટના આદેશ બાદ સરકાર દ્વારા હાથ ધરવામાં આવી હતી. પરંતુ વિભાગની નબળી કામગીરીને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશને ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગના વડાને સસ્પેન્ડ કરી દીધા છે. સીએનસીડી વિભાગના વડા નરેશ રાજપુત તેમજ ઈન્ચાર્જ સુપરિટેન્ડન્ટ ડો. પ્રતાપ રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બંને અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ બંને અધિકારીની જવાબદારી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટરને સોંપી દેવામાં આવી છે.  

Stray cattle in India get glow-in-the dark horns to prevent crashes with  vehicles | The World from PRX


હાઈકોર્ટની ટકોર બાદ પણ તંત્રની નબળી કામગીરી

અનેક વખત રસ્તા પર રહેતા ઢોરને કારણે રાહદારીઓને ગંભીર ઈજાઓ પહોંચડતી હોય છે. તે ઉપરાંત વાહન ચાલકોને પણ અનેક વખત ઢોરના ઝઘડાનો ભોગ બનવું પડે છે. જેને કારણે આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. રખડતાં ઢોર મામલે હાઈકોર્ટે અનેક વખત તંત્રને ટકોર કરી છે. હાઈકોર્ટે ઢોર પકડવા મામલે તંત્રની કામગીરીથી નારાજગી વ્યક્ત કરી છે.

Ahmedabad Blasts Convicts To Move High Court Against Special Court Verdict

અસંતોષ વ્યક્ત કરતા કોર્ટે કહ્યું કે આજે પણ શહેરના અનેક વિસ્તારના રોડ પરથી રઝળતાં ઢોરનો ઉપદ્રવ દૂર થયો નથી. સરકારના ફરમાન બાદ પણ અધિકારીઓની ઢીલી નીતિને કારણે રસ્તા પર ગાયો દેખાતી નજરે પડે છે. ગાયોને કારણે અડધા રસ્તાઓ બ્લોક થઈ જતા હોય છે. અત્યાર સુધી તંત્રએ 2323થી વધુ પશુઓને પકડી ડબે પૂરી દીધા છે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.