એક્ટર સમીર ખખ્ખરે લીધા અંતિમ શ્વાસ, બિમારીથી પીડાઈ રહ્યા હતા અભિનેતા


  • Published By :
  • Published Date : 2023-03-15 15:28:35

થોડા સમય પહેલા સતીષ કૌશિકના નિધનના સમાચાર સામે આવ્યા હતા. તે બાદ આજે ફરી એક ખરાબ સમાચાર બોલિવૂડથી સામે આવી રહ્યા છે. બોલિવૂડ અભિનેતા સમીર ખખ્ખરનું નિધન થઈ ગયું છે. શ્વાસ લેવાની તકલીફ અને અન્ય બીમારીઓને કારણે તેમનું નિધન થયું છે. શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.  

 

અનેક ફિલ્મોમાં કર્યો હતો અભિનય

આજે ફરી એક વખત બોલિવુડ અભિનેતા, ખ્યાતનામ કલાકાર, ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ કલાકાર સમીર ખખ્ખરનું અવસાન થઈ ગયું છે. શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને ગઈ કાલે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન હોસ્પિટલમાં તેમનું નિધન થઈ ગયું હતું. તેમણે અનેક ફિલ્મોમાં જેવી કે પુષ્પક, શહેનશાહ, રખવાલા, દિલવાલે જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. 1996માં ભારત છોડી તેઓ અમેરિકા રહેવા જતા રહ્યા હતા. ફર્ઝીમાં તેઓ દેખાયા હતા. 

નુક્કડ સિરિયલથી મળી લોકપ્રિયતા 

દુરદર્શન પર આવતી સિરિયલ નુક્કડથી તેમણે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ સિરિયલમાં તેમણે ખોપડીનો રોલ નિભાવ્યો હતો જે બાદ લોકો તેમને ઓળખવા લાગ્યા હતા. તે ઉપરાંત શ્રીમાન શ્રીમતી સિરિયલમાં તેમણે ફિલ્મ નિર્દેશક ટોટોની ભૂમિકા પણ ભજવી હતી. તે સિવાય સંજીવની સિરિયલમાં પણ તેમણે અભિનય કર્યો હતો. તે સિવાય થોડા વર્ષો પહેલા આવેલી 'હસી તો ફસી', 'જય હો', ફિલ્મોમાં અભિનય કર્યો હતો.      



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .