એક્ટર સમીર ખખ્ખરે લીધા અંતિમ શ્વાસ, બિમારીથી પીડાઈ રહ્યા હતા અભિનેતા


  • Published By :
  • Published Date : 2023-03-15 15:28:35

થોડા સમય પહેલા સતીષ કૌશિકના નિધનના સમાચાર સામે આવ્યા હતા. તે બાદ આજે ફરી એક ખરાબ સમાચાર બોલિવૂડથી સામે આવી રહ્યા છે. બોલિવૂડ અભિનેતા સમીર ખખ્ખરનું નિધન થઈ ગયું છે. શ્વાસ લેવાની તકલીફ અને અન્ય બીમારીઓને કારણે તેમનું નિધન થયું છે. શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.  

 

અનેક ફિલ્મોમાં કર્યો હતો અભિનય

આજે ફરી એક વખત બોલિવુડ અભિનેતા, ખ્યાતનામ કલાકાર, ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ કલાકાર સમીર ખખ્ખરનું અવસાન થઈ ગયું છે. શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને ગઈ કાલે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન હોસ્પિટલમાં તેમનું નિધન થઈ ગયું હતું. તેમણે અનેક ફિલ્મોમાં જેવી કે પુષ્પક, શહેનશાહ, રખવાલા, દિલવાલે જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. 1996માં ભારત છોડી તેઓ અમેરિકા રહેવા જતા રહ્યા હતા. ફર્ઝીમાં તેઓ દેખાયા હતા. 

નુક્કડ સિરિયલથી મળી લોકપ્રિયતા 

દુરદર્શન પર આવતી સિરિયલ નુક્કડથી તેમણે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ સિરિયલમાં તેમણે ખોપડીનો રોલ નિભાવ્યો હતો જે બાદ લોકો તેમને ઓળખવા લાગ્યા હતા. તે ઉપરાંત શ્રીમાન શ્રીમતી સિરિયલમાં તેમણે ફિલ્મ નિર્દેશક ટોટોની ભૂમિકા પણ ભજવી હતી. તે સિવાય સંજીવની સિરિયલમાં પણ તેમણે અભિનય કર્યો હતો. તે સિવાય થોડા વર્ષો પહેલા આવેલી 'હસી તો ફસી', 'જય હો', ફિલ્મોમાં અભિનય કર્યો હતો.      



ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .

ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?

કોઈ પણ કંપનીમાં જેમ એક ફાઉન્ડરની સાથે એક કો-ફાઉન્ડર હોય છે તેમ અમેરિકા માટે એવું કહેવાતું હતું કે , પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એક કો પ્રેસિડન્ટ છે જે છે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક . પરંતુ જ્યારથી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી રાજીનામુ આપી દીધું ત્યારથી જ બેઉ વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. એક બાજુ પ્લેટફોર્મ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચેની અસેહમતીઓ બહાર આવી ગઈ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના તણાવની અસર અમેરિકાની સિલિકોન વેલી પર પડવા જઈ રહી છે.