એક્ટ્રેસના મોતનો મામલો:વૈશાલી ઠક્કરની પાછળ પડ્યો હતો પરિણીત પાડોશી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 15:52:44

વૈશાલી ઠક્કરને તેનો પાડોશી પરેશાન કરતો હોવાનો ખુલાસો થયો.
વૈશાલી ઠક્કરના ડિસેમ્બરમાં કેલિફોર્નિયાના સોફ્ટવેર એન્જિનિયર સાથે લગ્ન થવાના હતા.
વૈશાલી ઠક્કરે સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી ટીવી પર ડેબ્યૂ કર્યું હતું.

Manmohini's Vaishali Takkar receives a sweet gesture from her fan; It  leaves her speechless - Times of India

ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરના આપઘાતના સમાચાર સૌને હચમચાવી નાખ્યા છે. પરિવાર હજી તો આ વાત સ્વીકારી નથી શક્યો. પોલીસે આત્મહત્યા કેસની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે એક્ટ્રેસનો કેટલોય સામાન જપ્ત કર્યો છે. જેમાં તેની ડાયરીનો પણ સમાવેશ થાય છે. પોલીસને સૂસાઈડ નોટ પણ મળી આવી છે.

Vaishali Thakkar Suicide note reveals Indore Police arrest Rahul Navlani  sdmp | Vaishali Thakkar Suicide Case: सुसाइड नोट में बताई पूरी कहानी, लिखा-  राहुल को छोड़ना मत! | Hindi News, Madhya Pradesh

'સસુરાલ સિમર કા' સીરિયલમાં દીપિકા કક્કડની દીકરીનો રોલ કરનારી એક્ટ્રેસ વૈશાલી ઠક્કર હવે આ દુનિયામાં નથી રહી. એક્ટ્રેસે 30 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી લીધી છે. તેના મોતના સમાચારે પરિવાર, મિત્રો અને ફેન્સને ઊંડો આઘાત આપ્યો છે. પોલીસને ઘટનાસ્થળેથી સૂસાઈડ નોટ મળી આવી છે જેમાં ઉલ્લેખ હતો કે વૈશાલીનો એક્સ-બોયફ્રેન્ડ તેને પરેશાન કરતો હતો. હવે પોલીસને નવો ખુલાસો કર્યો છે કે, વૈશાલીનો પાડોશી તેને પરેશાન કરતો હતો. પોલીસને વૈશાલીની ડાયરી મળી છે જેમાંથી કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે.

Vaishali Thakkar was facing torture for two and a half years, many secrets  are hidden in the diary!

રવિવારે બપોરે કરી આત્મહત્યા 

પોલીસના જણાવ્યા અનુસાર, વૈશાલીએ રવિવારે બપોરે 12.30 કલાકે આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ત્યાં પહોંચી હતી. કેસ દાખલ કર્યા બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો અને ત્યારબાદ વૈશાલીના અંતિમ સંસ્કાર થયા હતા. હવે પોલીસે જણાવ્યું કે, એક્ટ્રેસ ઈન્દોરની સાઈબાગ કોલોનીમાં રહેતી હતી. આ વિસ્તાર તેજાજી પોલીસ સ્ટેશન અંતર્ગત આવે છે.


‘બે દિવસ પહેલા જ અમારી વાત થઈ હતી’,બેસ્ટ ફ્રેન્ડ વૈશાલી ઠક્કરના નિધનથી ભાંગી પડ્યો છે રોહન મહેરા


પાડોશી શંકાના ઘેરામાં


પોલીસને વૈશાલીના ઘરેથી મળેલી સૂસાઈડ નોટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તેનો પૂર્વ પ્રેમી પરેશાન કરી રહ્યો છે. હવે પોલીસને જાણકારી મળી છે કે, રાહુલ નાવલાવી નામનો પાડોશી પણ વૈશાલીને પરેશાન કરતો હતો. પોલીસનું કહેવું છે કે, તે પરિવારનો ઓળખીતો છે અને તેના કારણે જ વૈશાલીએ અંતિમ પગલું ભરવાનો નિર્ણય કર્યો હતો. રાહુલ બિઝનેસમેન હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.


પાછળ પડ્યો હતો પાડોશી

ACP મોતી ઉર રહેમાને ન્યૂઝ એજન્સીને જણાવ્યું- 'રાહુલ, વૈશાલીનો પાડોશી હતો. તેની સૂસાઈડ નોટ આ વાતનો ઈશારો કરી રહી છે કે તે વૈશાલીને હેરાન કરતો હતો અને આ જ કારણે તેણે આ પગલું ભર્યું છે. તે અન્ય પુરુષ સાથે લગ્ન કરવાની હતી અને રાહુલ આ જ કારણે તેને પરેશાન કરતો હતો. હાલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.'


વૈશાલીની ડાયરી પોલીસે જપ્ત કરી

પોલીસે જણાવ્યું કે, રાહુલ પરણેલો છે અને હાલ તે ફરાર છે. પોલીસે રાહુલની શોધખોળ શરૂ કરી છે. ACPએ એમ પણ ઉમેર્યું કે, વૈશાલીની કેટલીય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે, જેમાં તેની ડાયરીનો સમાવેશ થાય છે. ડાયરીમાં તેણે ડિપ્રેશનનો ઉલ્લેખ કર્યો છે ઉપરાંત કેટલાક એવા નામો પણ લખ્યા છે જેનો સંબંધ કેસ સાથે હોઈ શકે છે. પોલીસનું કહેવું છે કે, વૈશાલીના પરિવારને હજી સુધી કોઈ પર શંકા નથી લાગતી. જોકે, તેમના નિવેદન નોંધવાના બાકી છે. સાથે જ હજી કોઈની સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો કેસ પણ નથી નોંધ્યો. પોલીસ બધા જ પાસા ચકાસી રહી છે અને પછી જ કોઈ એક્શન લેશે.



સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.

સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.