એક્ટ્રેસના મોતનો મામલો:વૈશાલી ઠક્કરની પાછળ પડ્યો હતો પરિણીત પાડોશી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 15:52:44

વૈશાલી ઠક્કરને તેનો પાડોશી પરેશાન કરતો હોવાનો ખુલાસો થયો.
વૈશાલી ઠક્કરના ડિસેમ્બરમાં કેલિફોર્નિયાના સોફ્ટવેર એન્જિનિયર સાથે લગ્ન થવાના હતા.
વૈશાલી ઠક્કરે સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી ટીવી પર ડેબ્યૂ કર્યું હતું.

Manmohini's Vaishali Takkar receives a sweet gesture from her fan; It  leaves her speechless - Times of India

ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરના આપઘાતના સમાચાર સૌને હચમચાવી નાખ્યા છે. પરિવાર હજી તો આ વાત સ્વીકારી નથી શક્યો. પોલીસે આત્મહત્યા કેસની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે એક્ટ્રેસનો કેટલોય સામાન જપ્ત કર્યો છે. જેમાં તેની ડાયરીનો પણ સમાવેશ થાય છે. પોલીસને સૂસાઈડ નોટ પણ મળી આવી છે.

Vaishali Thakkar Suicide note reveals Indore Police arrest Rahul Navlani  sdmp | Vaishali Thakkar Suicide Case: सुसाइड नोट में बताई पूरी कहानी, लिखा-  राहुल को छोड़ना मत! | Hindi News, Madhya Pradesh

'સસુરાલ સિમર કા' સીરિયલમાં દીપિકા કક્કડની દીકરીનો રોલ કરનારી એક્ટ્રેસ વૈશાલી ઠક્કર હવે આ દુનિયામાં નથી રહી. એક્ટ્રેસે 30 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી લીધી છે. તેના મોતના સમાચારે પરિવાર, મિત્રો અને ફેન્સને ઊંડો આઘાત આપ્યો છે. પોલીસને ઘટનાસ્થળેથી સૂસાઈડ નોટ મળી આવી છે જેમાં ઉલ્લેખ હતો કે વૈશાલીનો એક્સ-બોયફ્રેન્ડ તેને પરેશાન કરતો હતો. હવે પોલીસને નવો ખુલાસો કર્યો છે કે, વૈશાલીનો પાડોશી તેને પરેશાન કરતો હતો. પોલીસને વૈશાલીની ડાયરી મળી છે જેમાંથી કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે.

Vaishali Thakkar was facing torture for two and a half years, many secrets  are hidden in the diary!

રવિવારે બપોરે કરી આત્મહત્યા 

પોલીસના જણાવ્યા અનુસાર, વૈશાલીએ રવિવારે બપોરે 12.30 કલાકે આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ત્યાં પહોંચી હતી. કેસ દાખલ કર્યા બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો અને ત્યારબાદ વૈશાલીના અંતિમ સંસ્કાર થયા હતા. હવે પોલીસે જણાવ્યું કે, એક્ટ્રેસ ઈન્દોરની સાઈબાગ કોલોનીમાં રહેતી હતી. આ વિસ્તાર તેજાજી પોલીસ સ્ટેશન અંતર્ગત આવે છે.


‘બે દિવસ પહેલા જ અમારી વાત થઈ હતી’,બેસ્ટ ફ્રેન્ડ વૈશાલી ઠક્કરના નિધનથી ભાંગી પડ્યો છે રોહન મહેરા


પાડોશી શંકાના ઘેરામાં


પોલીસને વૈશાલીના ઘરેથી મળેલી સૂસાઈડ નોટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તેનો પૂર્વ પ્રેમી પરેશાન કરી રહ્યો છે. હવે પોલીસને જાણકારી મળી છે કે, રાહુલ નાવલાવી નામનો પાડોશી પણ વૈશાલીને પરેશાન કરતો હતો. પોલીસનું કહેવું છે કે, તે પરિવારનો ઓળખીતો છે અને તેના કારણે જ વૈશાલીએ અંતિમ પગલું ભરવાનો નિર્ણય કર્યો હતો. રાહુલ બિઝનેસમેન હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.


પાછળ પડ્યો હતો પાડોશી

ACP મોતી ઉર રહેમાને ન્યૂઝ એજન્સીને જણાવ્યું- 'રાહુલ, વૈશાલીનો પાડોશી હતો. તેની સૂસાઈડ નોટ આ વાતનો ઈશારો કરી રહી છે કે તે વૈશાલીને હેરાન કરતો હતો અને આ જ કારણે તેણે આ પગલું ભર્યું છે. તે અન્ય પુરુષ સાથે લગ્ન કરવાની હતી અને રાહુલ આ જ કારણે તેને પરેશાન કરતો હતો. હાલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.'


વૈશાલીની ડાયરી પોલીસે જપ્ત કરી

પોલીસે જણાવ્યું કે, રાહુલ પરણેલો છે અને હાલ તે ફરાર છે. પોલીસે રાહુલની શોધખોળ શરૂ કરી છે. ACPએ એમ પણ ઉમેર્યું કે, વૈશાલીની કેટલીય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે, જેમાં તેની ડાયરીનો સમાવેશ થાય છે. ડાયરીમાં તેણે ડિપ્રેશનનો ઉલ્લેખ કર્યો છે ઉપરાંત કેટલાક એવા નામો પણ લખ્યા છે જેનો સંબંધ કેસ સાથે હોઈ શકે છે. પોલીસનું કહેવું છે કે, વૈશાલીના પરિવારને હજી સુધી કોઈ પર શંકા નથી લાગતી. જોકે, તેમના નિવેદન નોંધવાના બાકી છે. સાથે જ હજી કોઈની સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો કેસ પણ નથી નોંધ્યો. પોલીસ બધા જ પાસા ચકાસી રહી છે અને પછી જ કોઈ એક્શન લેશે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી