એક્ટ્રેસના મોતનો મામલો:વૈશાલી ઠક્કરની પાછળ પડ્યો હતો પરિણીત પાડોશી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 15:52:44

વૈશાલી ઠક્કરને તેનો પાડોશી પરેશાન કરતો હોવાનો ખુલાસો થયો.
વૈશાલી ઠક્કરના ડિસેમ્બરમાં કેલિફોર્નિયાના સોફ્ટવેર એન્જિનિયર સાથે લગ્ન થવાના હતા.
વૈશાલી ઠક્કરે સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી ટીવી પર ડેબ્યૂ કર્યું હતું.

Manmohini's Vaishali Takkar receives a sweet gesture from her fan; It  leaves her speechless - Times of India

ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરના આપઘાતના સમાચાર સૌને હચમચાવી નાખ્યા છે. પરિવાર હજી તો આ વાત સ્વીકારી નથી શક્યો. પોલીસે આત્મહત્યા કેસની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે એક્ટ્રેસનો કેટલોય સામાન જપ્ત કર્યો છે. જેમાં તેની ડાયરીનો પણ સમાવેશ થાય છે. પોલીસને સૂસાઈડ નોટ પણ મળી આવી છે.

Vaishali Thakkar Suicide note reveals Indore Police arrest Rahul Navlani  sdmp | Vaishali Thakkar Suicide Case: सुसाइड नोट में बताई पूरी कहानी, लिखा-  राहुल को छोड़ना मत! | Hindi News, Madhya Pradesh

'સસુરાલ સિમર કા' સીરિયલમાં દીપિકા કક્કડની દીકરીનો રોલ કરનારી એક્ટ્રેસ વૈશાલી ઠક્કર હવે આ દુનિયામાં નથી રહી. એક્ટ્રેસે 30 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી લીધી છે. તેના મોતના સમાચારે પરિવાર, મિત્રો અને ફેન્સને ઊંડો આઘાત આપ્યો છે. પોલીસને ઘટનાસ્થળેથી સૂસાઈડ નોટ મળી આવી છે જેમાં ઉલ્લેખ હતો કે વૈશાલીનો એક્સ-બોયફ્રેન્ડ તેને પરેશાન કરતો હતો. હવે પોલીસને નવો ખુલાસો કર્યો છે કે, વૈશાલીનો પાડોશી તેને પરેશાન કરતો હતો. પોલીસને વૈશાલીની ડાયરી મળી છે જેમાંથી કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે.

Vaishali Thakkar was facing torture for two and a half years, many secrets  are hidden in the diary!

રવિવારે બપોરે કરી આત્મહત્યા 

પોલીસના જણાવ્યા અનુસાર, વૈશાલીએ રવિવારે બપોરે 12.30 કલાકે આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ત્યાં પહોંચી હતી. કેસ દાખલ કર્યા બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો અને ત્યારબાદ વૈશાલીના અંતિમ સંસ્કાર થયા હતા. હવે પોલીસે જણાવ્યું કે, એક્ટ્રેસ ઈન્દોરની સાઈબાગ કોલોનીમાં રહેતી હતી. આ વિસ્તાર તેજાજી પોલીસ સ્ટેશન અંતર્ગત આવે છે.


‘બે દિવસ પહેલા જ અમારી વાત થઈ હતી’,બેસ્ટ ફ્રેન્ડ વૈશાલી ઠક્કરના નિધનથી ભાંગી પડ્યો છે રોહન મહેરા


પાડોશી શંકાના ઘેરામાં


પોલીસને વૈશાલીના ઘરેથી મળેલી સૂસાઈડ નોટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તેનો પૂર્વ પ્રેમી પરેશાન કરી રહ્યો છે. હવે પોલીસને જાણકારી મળી છે કે, રાહુલ નાવલાવી નામનો પાડોશી પણ વૈશાલીને પરેશાન કરતો હતો. પોલીસનું કહેવું છે કે, તે પરિવારનો ઓળખીતો છે અને તેના કારણે જ વૈશાલીએ અંતિમ પગલું ભરવાનો નિર્ણય કર્યો હતો. રાહુલ બિઝનેસમેન હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.


પાછળ પડ્યો હતો પાડોશી

ACP મોતી ઉર રહેમાને ન્યૂઝ એજન્સીને જણાવ્યું- 'રાહુલ, વૈશાલીનો પાડોશી હતો. તેની સૂસાઈડ નોટ આ વાતનો ઈશારો કરી રહી છે કે તે વૈશાલીને હેરાન કરતો હતો અને આ જ કારણે તેણે આ પગલું ભર્યું છે. તે અન્ય પુરુષ સાથે લગ્ન કરવાની હતી અને રાહુલ આ જ કારણે તેને પરેશાન કરતો હતો. હાલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.'


વૈશાલીની ડાયરી પોલીસે જપ્ત કરી

પોલીસે જણાવ્યું કે, રાહુલ પરણેલો છે અને હાલ તે ફરાર છે. પોલીસે રાહુલની શોધખોળ શરૂ કરી છે. ACPએ એમ પણ ઉમેર્યું કે, વૈશાલીની કેટલીય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે, જેમાં તેની ડાયરીનો સમાવેશ થાય છે. ડાયરીમાં તેણે ડિપ્રેશનનો ઉલ્લેખ કર્યો છે ઉપરાંત કેટલાક એવા નામો પણ લખ્યા છે જેનો સંબંધ કેસ સાથે હોઈ શકે છે. પોલીસનું કહેવું છે કે, વૈશાલીના પરિવારને હજી સુધી કોઈ પર શંકા નથી લાગતી. જોકે, તેમના નિવેદન નોંધવાના બાકી છે. સાથે જ હજી કોઈની સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો કેસ પણ નથી નોંધ્યો. પોલીસ બધા જ પાસા ચકાસી રહી છે અને પછી જ કોઈ એક્શન લેશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.