રાજકારણમાં આવવા અભિનેત્રી કંગના રનૌત તૈયાર.... ચૂંટણી લડવાની દર્શાવી તૈયારી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-10-30 10:24:03

બોલિવુડમાં પોતાની કિસ્મત અજમાવ્યા બાદ અનેક અભિનેતા-અભિનેત્રીઓ રાજકારણમાં આવતા હોય છે. લોકચાહનાને કારણે અનેક વખત તેઓ જીત પણ હાંસલ કરે છે. ત્યારે પોતાના નિવેદનને કારણે હમેંશા ચર્ચામાં રહેતી અભિનેત્રી કંગના રનૌતે રાજકારણમાં આવવાની ઈચ્છા દર્શાવી છે. જો ભાજપ કંગનાને ચૂંટણી લડવાનો મોકો આપે તો તે હિમાચલ પ્રદેશના મંડીથી તે ચૂંટણી લડવાનું પસંદ કરશે. 

Kangana Ranaut pairs her ₹600 saree with Dior bag | Bollywood - Hindustan  Times

જો ભાજપ ટિકિટ આપશે તો હિમાચલમાં લડશે ચૂંટણીમાં 

એક્ટ્રેસ હોવા છતાં કંગના રાજકારણમાં ઉંડો રસ ધરાવે છે. રાજકીય મુદ્દો હોય કે સામાજીક મુદ્દો હોય પોતાની વાતને એકદમ ક્લિયર રાખવાને કારણે અનેક વખત વિવાદોમાં ઘેરાઈ જતી હોય છે. કંગનાએ રાજકારણમાં એન્ટ્રી કરવાની પૂરેપૂરી તૈયારી દર્શાવી છે. હિમાચલ પ્રદેશમાં આયોજીત એક કાર્યક્રમમાં કંગનાએ ભાગ લીધો હતો જેમાં તેણે કહ્યું કે તે હિમાચલમાં ચૂંટણી લડવા માગે છે. જો જનતા ઈચ્છે અને ભાજપ ટિકિટ આપે તો તે ચૂંટણી લડવા તૈયાર છે. 

Kangana Ranaut says she predicted 'doom of ex-Twitter heads' | Bollywood -  Hindustan Times

રાજકીય પરિવારમાંથી આવે છે કંગના 

કંગનાએ કહ્યું કે જો સરકાર રાજનીતિમાં મારી ભાગીદારી ઈચ્છે તો હું સંપૂર્ણ રીતે તૈયાર છું. હિમાચલ પ્રદેશના લોકોની સેવા કરવાની તક આપવીએ મારા માટે સૌભાગ્યની વાત છે. કંગનાના પિતા પણ રાજકારણમાં હતા. વડાપ્રધાનથી પ્રભાવિત થઈ કંગનાના પિતાએ કોંગ્રેસને છોડી ભાજપનો સાથ પકડી લીધો હતો. ત્યારે જોવાનું એ રહ્યું કે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રીને ભાજપ ચૂંટણી મેદાનમાં ઉતારશે?



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.