રાજકારણમાં આવવા અભિનેત્રી કંગના રનૌત તૈયાર.... ચૂંટણી લડવાની દર્શાવી તૈયારી


  • Published By :
  • Published Date : 2022-10-30 10:24:03

બોલિવુડમાં પોતાની કિસ્મત અજમાવ્યા બાદ અનેક અભિનેતા-અભિનેત્રીઓ રાજકારણમાં આવતા હોય છે. લોકચાહનાને કારણે અનેક વખત તેઓ જીત પણ હાંસલ કરે છે. ત્યારે પોતાના નિવેદનને કારણે હમેંશા ચર્ચામાં રહેતી અભિનેત્રી કંગના રનૌતે રાજકારણમાં આવવાની ઈચ્છા દર્શાવી છે. જો ભાજપ કંગનાને ચૂંટણી લડવાનો મોકો આપે તો તે હિમાચલ પ્રદેશના મંડીથી તે ચૂંટણી લડવાનું પસંદ કરશે. 

Kangana Ranaut pairs her ₹600 saree with Dior bag | Bollywood - Hindustan  Times

જો ભાજપ ટિકિટ આપશે તો હિમાચલમાં લડશે ચૂંટણીમાં 

એક્ટ્રેસ હોવા છતાં કંગના રાજકારણમાં ઉંડો રસ ધરાવે છે. રાજકીય મુદ્દો હોય કે સામાજીક મુદ્દો હોય પોતાની વાતને એકદમ ક્લિયર રાખવાને કારણે અનેક વખત વિવાદોમાં ઘેરાઈ જતી હોય છે. કંગનાએ રાજકારણમાં એન્ટ્રી કરવાની પૂરેપૂરી તૈયારી દર્શાવી છે. હિમાચલ પ્રદેશમાં આયોજીત એક કાર્યક્રમમાં કંગનાએ ભાગ લીધો હતો જેમાં તેણે કહ્યું કે તે હિમાચલમાં ચૂંટણી લડવા માગે છે. જો જનતા ઈચ્છે અને ભાજપ ટિકિટ આપે તો તે ચૂંટણી લડવા તૈયાર છે. 

Kangana Ranaut says she predicted 'doom of ex-Twitter heads' | Bollywood -  Hindustan Times

રાજકીય પરિવારમાંથી આવે છે કંગના 

કંગનાએ કહ્યું કે જો સરકાર રાજનીતિમાં મારી ભાગીદારી ઈચ્છે તો હું સંપૂર્ણ રીતે તૈયાર છું. હિમાચલ પ્રદેશના લોકોની સેવા કરવાની તક આપવીએ મારા માટે સૌભાગ્યની વાત છે. કંગનાના પિતા પણ રાજકારણમાં હતા. વડાપ્રધાનથી પ્રભાવિત થઈ કંગનાના પિતાએ કોંગ્રેસને છોડી ભાજપનો સાથ પકડી લીધો હતો. ત્યારે જોવાનું એ રહ્યું કે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રીને ભાજપ ચૂંટણી મેદાનમાં ઉતારશે?



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી