રાજકારણમાં આવવા અભિનેત્રી કંગના રનૌત તૈયાર.... ચૂંટણી લડવાની દર્શાવી તૈયારી


  • Published By :
  • Published Date : 2022-10-30 10:24:03

બોલિવુડમાં પોતાની કિસ્મત અજમાવ્યા બાદ અનેક અભિનેતા-અભિનેત્રીઓ રાજકારણમાં આવતા હોય છે. લોકચાહનાને કારણે અનેક વખત તેઓ જીત પણ હાંસલ કરે છે. ત્યારે પોતાના નિવેદનને કારણે હમેંશા ચર્ચામાં રહેતી અભિનેત્રી કંગના રનૌતે રાજકારણમાં આવવાની ઈચ્છા દર્શાવી છે. જો ભાજપ કંગનાને ચૂંટણી લડવાનો મોકો આપે તો તે હિમાચલ પ્રદેશના મંડીથી તે ચૂંટણી લડવાનું પસંદ કરશે. 

Kangana Ranaut pairs her ₹600 saree with Dior bag | Bollywood - Hindustan  Times

જો ભાજપ ટિકિટ આપશે તો હિમાચલમાં લડશે ચૂંટણીમાં 

એક્ટ્રેસ હોવા છતાં કંગના રાજકારણમાં ઉંડો રસ ધરાવે છે. રાજકીય મુદ્દો હોય કે સામાજીક મુદ્દો હોય પોતાની વાતને એકદમ ક્લિયર રાખવાને કારણે અનેક વખત વિવાદોમાં ઘેરાઈ જતી હોય છે. કંગનાએ રાજકારણમાં એન્ટ્રી કરવાની પૂરેપૂરી તૈયારી દર્શાવી છે. હિમાચલ પ્રદેશમાં આયોજીત એક કાર્યક્રમમાં કંગનાએ ભાગ લીધો હતો જેમાં તેણે કહ્યું કે તે હિમાચલમાં ચૂંટણી લડવા માગે છે. જો જનતા ઈચ્છે અને ભાજપ ટિકિટ આપે તો તે ચૂંટણી લડવા તૈયાર છે. 

Kangana Ranaut says she predicted 'doom of ex-Twitter heads' | Bollywood -  Hindustan Times

રાજકીય પરિવારમાંથી આવે છે કંગના 

કંગનાએ કહ્યું કે જો સરકાર રાજનીતિમાં મારી ભાગીદારી ઈચ્છે તો હું સંપૂર્ણ રીતે તૈયાર છું. હિમાચલ પ્રદેશના લોકોની સેવા કરવાની તક આપવીએ મારા માટે સૌભાગ્યની વાત છે. કંગનાના પિતા પણ રાજકારણમાં હતા. વડાપ્રધાનથી પ્રભાવિત થઈ કંગનાના પિતાએ કોંગ્રેસને છોડી ભાજપનો સાથ પકડી લીધો હતો. ત્યારે જોવાનું એ રહ્યું કે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રીને ભાજપ ચૂંટણી મેદાનમાં ઉતારશે?



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.