ઓપન ઓફરમાં શેર વેચનારાઓને અદાણીની ભેટ, પ્રત્યેક શેર પર મળશે 48 રૂપિયા એકસ્ટ્રા


  • Published By :
  • Published Date : 2023-01-03 16:54:14

ભારત અને એશિયાના સૌથી અમીર ગૌતમ અદાણીએ મિડીયા કંપની NDTVને ખરીદવા માટે આડખીલીરૂપ બાબત દુર કરી છે. ટેકઓવરના નિયમો મુજબ તમામ શેર હોલ્ડર્સને સમાન કિંમત આપવી જોઈએ. જો કે આ કેસમાં આવું થયું નથી. અડાણીની કંપની RRPR Holding Pvtએ NDTVના પ્રમોટર પ્રણવ રોય અને રાધિકા રાય પાસેથી 27.26 ટકા ભાગીદારી 342.65 રૂપિયા પ્રતિ શેરના ભાવે ખરીદી છે. જ્યારે લઘુમતી શેર હોલ્ડર્સને ઓપન ઓફરમાં 294 રૂપિયા પ્રતિ શેરની ઓફર કરી હતી. આ ઓફર 5 ડિસેમ્બરે બંધ થઈ હતી. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે માર્કેટ રેગ્યુલેટર  SEBI આ મુદ્દે કાર્યવાહી કરી શકે છે.


લઘુમતી શેર હોલ્ડર્સને ચૂકવશે વધુ રકમ


જો કે અદાણી ગ્રુપે આ મુદ્દે પહેલ કરીને ઓપન ઓફર હેઠળ ખરીદવામાં આવેલા  NDTVના શેરો માટે વધુ 48.65 પ્રતિ શેર ચૂકવવાનો નિર્ણય કર્યો છે. એટલે કે અદાણી ગ્રુપે હવે લઘુમતી સ્ટેકહોલ્ડર્સને પણ પ્રમોટર્સની સમાન જ રકમ ચૂકવી છે.અગાઉ NDTVના પ્રમોટર્સને લઘુમતી સ્ટેર હોલ્ડર્સની તુલનમાં 17 ટકા વધુ રકમ ચૂકવી હતી. હવે  NDTVમાં અડાણી ગ્રુપની ભાગીદારી વધીને 64.7 ટકા થઈ ગઈ છે.  NDTVના ત્રણ રાષ્ટ્રિય ચેનલ ચલાવે છે. જો કે NDTVમાં રોય પરિવારની 2.5 ટકા ભાગીદારી યથાવત રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે રોય દંપતીની સાથે-સાથે રવિશ કુમારે પણ NDTVમાંથી રાજીનામું આપી દીધુ છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.