ઓપન ઓફરમાં શેર વેચનારાઓને અદાણીની ભેટ, પ્રત્યેક શેર પર મળશે 48 રૂપિયા એકસ્ટ્રા


  • Published By :
  • Published Date : 2023-01-03 16:54:14

ભારત અને એશિયાના સૌથી અમીર ગૌતમ અદાણીએ મિડીયા કંપની NDTVને ખરીદવા માટે આડખીલીરૂપ બાબત દુર કરી છે. ટેકઓવરના નિયમો મુજબ તમામ શેર હોલ્ડર્સને સમાન કિંમત આપવી જોઈએ. જો કે આ કેસમાં આવું થયું નથી. અડાણીની કંપની RRPR Holding Pvtએ NDTVના પ્રમોટર પ્રણવ રોય અને રાધિકા રાય પાસેથી 27.26 ટકા ભાગીદારી 342.65 રૂપિયા પ્રતિ શેરના ભાવે ખરીદી છે. જ્યારે લઘુમતી શેર હોલ્ડર્સને ઓપન ઓફરમાં 294 રૂપિયા પ્રતિ શેરની ઓફર કરી હતી. આ ઓફર 5 ડિસેમ્બરે બંધ થઈ હતી. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે માર્કેટ રેગ્યુલેટર  SEBI આ મુદ્દે કાર્યવાહી કરી શકે છે.


લઘુમતી શેર હોલ્ડર્સને ચૂકવશે વધુ રકમ


જો કે અદાણી ગ્રુપે આ મુદ્દે પહેલ કરીને ઓપન ઓફર હેઠળ ખરીદવામાં આવેલા  NDTVના શેરો માટે વધુ 48.65 પ્રતિ શેર ચૂકવવાનો નિર્ણય કર્યો છે. એટલે કે અદાણી ગ્રુપે હવે લઘુમતી સ્ટેકહોલ્ડર્સને પણ પ્રમોટર્સની સમાન જ રકમ ચૂકવી છે.અગાઉ NDTVના પ્રમોટર્સને લઘુમતી સ્ટેર હોલ્ડર્સની તુલનમાં 17 ટકા વધુ રકમ ચૂકવી હતી. હવે  NDTVમાં અડાણી ગ્રુપની ભાગીદારી વધીને 64.7 ટકા થઈ ગઈ છે.  NDTVના ત્રણ રાષ્ટ્રિય ચેનલ ચલાવે છે. જો કે NDTVમાં રોય પરિવારની 2.5 ટકા ભાગીદારી યથાવત રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે રોય દંપતીની સાથે-સાથે રવિશ કુમારે પણ NDTVમાંથી રાજીનામું આપી દીધુ છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.