ઓપન ઓફરમાં શેર વેચનારાઓને અદાણીની ભેટ, પ્રત્યેક શેર પર મળશે 48 રૂપિયા એકસ્ટ્રા


  • Published By :
  • Published Date : 2023-01-03 16:54:14

ભારત અને એશિયાના સૌથી અમીર ગૌતમ અદાણીએ મિડીયા કંપની NDTVને ખરીદવા માટે આડખીલીરૂપ બાબત દુર કરી છે. ટેકઓવરના નિયમો મુજબ તમામ શેર હોલ્ડર્સને સમાન કિંમત આપવી જોઈએ. જો કે આ કેસમાં આવું થયું નથી. અડાણીની કંપની RRPR Holding Pvtએ NDTVના પ્રમોટર પ્રણવ રોય અને રાધિકા રાય પાસેથી 27.26 ટકા ભાગીદારી 342.65 રૂપિયા પ્રતિ શેરના ભાવે ખરીદી છે. જ્યારે લઘુમતી શેર હોલ્ડર્સને ઓપન ઓફરમાં 294 રૂપિયા પ્રતિ શેરની ઓફર કરી હતી. આ ઓફર 5 ડિસેમ્બરે બંધ થઈ હતી. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે માર્કેટ રેગ્યુલેટર  SEBI આ મુદ્દે કાર્યવાહી કરી શકે છે.


લઘુમતી શેર હોલ્ડર્સને ચૂકવશે વધુ રકમ


જો કે અદાણી ગ્રુપે આ મુદ્દે પહેલ કરીને ઓપન ઓફર હેઠળ ખરીદવામાં આવેલા  NDTVના શેરો માટે વધુ 48.65 પ્રતિ શેર ચૂકવવાનો નિર્ણય કર્યો છે. એટલે કે અદાણી ગ્રુપે હવે લઘુમતી સ્ટેકહોલ્ડર્સને પણ પ્રમોટર્સની સમાન જ રકમ ચૂકવી છે.અગાઉ NDTVના પ્રમોટર્સને લઘુમતી સ્ટેર હોલ્ડર્સની તુલનમાં 17 ટકા વધુ રકમ ચૂકવી હતી. હવે  NDTVમાં અડાણી ગ્રુપની ભાગીદારી વધીને 64.7 ટકા થઈ ગઈ છે.  NDTVના ત્રણ રાષ્ટ્રિય ચેનલ ચલાવે છે. જો કે NDTVમાં રોય પરિવારની 2.5 ટકા ભાગીદારી યથાવત રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે રોય દંપતીની સાથે-સાથે રવિશ કુમારે પણ NDTVમાંથી રાજીનામું આપી દીધુ છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.