હાઈકોર્ટે જામીન અરજી ફગાવતા વિપુલ ચૌધરીની મુશ્કેલીમાં વધારો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 10:57:46

વિપુલ ચૌધરીની સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હાઈકોર્ટે વિપુલ ચૌધરીની જામીન અરજીને ફગાવી નાખી છે. હાઈકોર્ટે આ મામલે અવલોકન આપતા કહ્યું કે આ ગંભીર ગુન્હો છે. રાજનૈતિક કિન્નાખોરીમાં તેમની ઉપર કેસ કરવામાં આવ્યો છે. તેમ કહી તેમણે જામીન માટે અરજી કરી હતી. પરંતુ હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી છે.  


હાઈકોર્ટે ફગાવી જામીન માટેની અરજી 

એક તરફ દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને મુક્ત કરવા અર્બૂદા સેના જેલ ભરો આંદોલન કરી રહી છે. ગાંધીનગર ખાતે તેવો આંદોલન કરી રહ્યા છે. આંદોલન કરનાર તમામ લોકોની પોલીસે અટકાયત કરી દીધી હતી. વિપુલ ચૌધરીએ નિયમિત જામીન માટે અરજી કરી હતી. ત્યારે તેમણે રાજકીય કિન્નાખોરીમાં પોતાની ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો છે તેવું કહી તેમણે જામીન માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટે તેમની અરજીનો અસ્વીકાર કરી ફજાવી નાખી છે.         


આંદોલન કરી રહેલી અર્બુદા સેના વધારી શકે છે સરકારની મુશ્કેલી

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. જેને લઈ સરકાર ચૂંટણીની તૈયારીઓમાં લાગી છે. ત્યારે વિપુલ ચૌધરીના સમર્થનમાં આવી અર્બુદા સેના વાળા આંદોલન કરી રહ્યા હતા. જેલ ભરો આંદોલન કરી તેઓ વિપુલ ચૌધરીને જેલમાંથી મુક્ત કરવા મેદાનમાં ઉતર્યા છે. આ બધા વચ્ચે હાઈકોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે.  100થી વધુ લોકોની અટકાયત કરી લેવામાં આવે છે. પોતાની માગ સાથે અર્બુદા સેના સત્યાગ્રહ છાવણીનો ઘેરાવો કરી રહી છે. 30 સપ્ટેમ્બર સુધી તેઓ ધરણા કરવાના છે. ત્યારે આ વાતને અર્બુદા સેના વાળા કેવી રીતે લે છે તે જોવું રહ્યું. ચૂંટણી સમયે આવા આંદોલન થાય છે તો તે સરકારીની ચિંતા વધારવાનું કામ કરે છે.      



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .