આદિપુરુષ ફિલ્મનું ટીઝર પોસ્ટર લોન્ચ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 21:24:48

સાઉથના દિગ્ગજ સ્ટાર પ્રભાસ અને ક્રિતી સેનનની આગામી ફિલ્મ આદિપુરુષનું ટીઝર પોસ્ટર આજે સવારે લોન્ચ થયું છે. લોકો પોસ્ટર મામલે સારી પ્રતિક્રિયા આપી રહ્યા છે. પ્રભાસે આ પોસ્ટરને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. 


ક્યારે આવશે આદિપુરુષ ફિલ્મ
આદિપુરુષ ફિલ્મ આવતા વર્ષના જાન્યુઆરી મહિનાની 12 તારીખે થિયેટરમાં મૂકાશે. આદિપુરુષ Adipurush ફિલ્મ ઓમ રાઉતે ડિરેક્ટર કરી છે. ભૂષણ કુમાર, ક્રિષન કુમાર, ઓમ રાઉત પ્રસાદ સુતાર અને રાજેશ નાયરે પ્રોડ્યૂસ કરી છે. 


પ્રભાસે શું પોસ્ટ કરી છે?

બાહુબલી ફિલ્મથી મોટી લોકપ્રિયતા મેળવનાર સ્ટાર પ્રભાસે પોસ્ટ મૂકતા લખ્યું છે કે, "અમેં અયોધ્યાની સરયુ નદી કિનારે જાદુઈ પ્રવાસ શરૂ કરીએ ત્યારે અમારી સાથે જોડાજો." આ પોસ્ટરમાં પ્રભાસ પોતાના ઘુંટણ પર બેસીને ધનુષ ખેંચતા નજરે પડે છે. ધનુષના તીરની દિશા આકાશ તરફ હોય તેવું નજરે પડી રહ્યું છે. 


આદિપુરુષ ફિલ્મમાં શું ખાસ છે કે લોકોને ગમી રહી છે પોસ્ટ?

500 કરોડના ખર્ચે Adipurush ફિલ્મ પૌરાણિક કથા રામાયણ પર બનાવવામાં આવી છે. આ ફિલ્મની સ્ટોરી લાઈન અયોધ્યાના રાજા રાઘવના(ભગવાન રામના પાત્રથી પ્રેરાઈને બનાવેલું પાત્ર) જીવન પર આધારિત છે. રાઘવ પોતાની પત્નીને બચાવવા માટે શ્રીલંકા જાય છે અને રાવણ નામના રાજાનો વધ કરે છે તે દર્શાવવામાં આવ્યું છે. કૃતિ સેનન માતા જાનકીના રોલમાં નજર આવશે. 

  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી