આદિપુરુષ ફિલ્મનું ટીઝર પોસ્ટર લોન્ચ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 21:24:48

સાઉથના દિગ્ગજ સ્ટાર પ્રભાસ અને ક્રિતી સેનનની આગામી ફિલ્મ આદિપુરુષનું ટીઝર પોસ્ટર આજે સવારે લોન્ચ થયું છે. લોકો પોસ્ટર મામલે સારી પ્રતિક્રિયા આપી રહ્યા છે. પ્રભાસે આ પોસ્ટરને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. 


ક્યારે આવશે આદિપુરુષ ફિલ્મ
આદિપુરુષ ફિલ્મ આવતા વર્ષના જાન્યુઆરી મહિનાની 12 તારીખે થિયેટરમાં મૂકાશે. આદિપુરુષ Adipurush ફિલ્મ ઓમ રાઉતે ડિરેક્ટર કરી છે. ભૂષણ કુમાર, ક્રિષન કુમાર, ઓમ રાઉત પ્રસાદ સુતાર અને રાજેશ નાયરે પ્રોડ્યૂસ કરી છે. 


પ્રભાસે શું પોસ્ટ કરી છે?

બાહુબલી ફિલ્મથી મોટી લોકપ્રિયતા મેળવનાર સ્ટાર પ્રભાસે પોસ્ટ મૂકતા લખ્યું છે કે, "અમેં અયોધ્યાની સરયુ નદી કિનારે જાદુઈ પ્રવાસ શરૂ કરીએ ત્યારે અમારી સાથે જોડાજો." આ પોસ્ટરમાં પ્રભાસ પોતાના ઘુંટણ પર બેસીને ધનુષ ખેંચતા નજરે પડે છે. ધનુષના તીરની દિશા આકાશ તરફ હોય તેવું નજરે પડી રહ્યું છે. 


આદિપુરુષ ફિલ્મમાં શું ખાસ છે કે લોકોને ગમી રહી છે પોસ્ટ?

500 કરોડના ખર્ચે Adipurush ફિલ્મ પૌરાણિક કથા રામાયણ પર બનાવવામાં આવી છે. આ ફિલ્મની સ્ટોરી લાઈન અયોધ્યાના રાજા રાઘવના(ભગવાન રામના પાત્રથી પ્રેરાઈને બનાવેલું પાત્ર) જીવન પર આધારિત છે. રાઘવ પોતાની પત્નીને બચાવવા માટે શ્રીલંકા જાય છે અને રાવણ નામના રાજાનો વધ કરે છે તે દર્શાવવામાં આવ્યું છે. કૃતિ સેનન માતા જાનકીના રોલમાં નજર આવશે. 

  



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.