આદિપુરુષ ફિલ્મનું ટીઝર પોસ્ટર લોન્ચ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 21:24:48

સાઉથના દિગ્ગજ સ્ટાર પ્રભાસ અને ક્રિતી સેનનની આગામી ફિલ્મ આદિપુરુષનું ટીઝર પોસ્ટર આજે સવારે લોન્ચ થયું છે. લોકો પોસ્ટર મામલે સારી પ્રતિક્રિયા આપી રહ્યા છે. પ્રભાસે આ પોસ્ટરને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. 


ક્યારે આવશે આદિપુરુષ ફિલ્મ
આદિપુરુષ ફિલ્મ આવતા વર્ષના જાન્યુઆરી મહિનાની 12 તારીખે થિયેટરમાં મૂકાશે. આદિપુરુષ Adipurush ફિલ્મ ઓમ રાઉતે ડિરેક્ટર કરી છે. ભૂષણ કુમાર, ક્રિષન કુમાર, ઓમ રાઉત પ્રસાદ સુતાર અને રાજેશ નાયરે પ્રોડ્યૂસ કરી છે. 


પ્રભાસે શું પોસ્ટ કરી છે?

બાહુબલી ફિલ્મથી મોટી લોકપ્રિયતા મેળવનાર સ્ટાર પ્રભાસે પોસ્ટ મૂકતા લખ્યું છે કે, "અમેં અયોધ્યાની સરયુ નદી કિનારે જાદુઈ પ્રવાસ શરૂ કરીએ ત્યારે અમારી સાથે જોડાજો." આ પોસ્ટરમાં પ્રભાસ પોતાના ઘુંટણ પર બેસીને ધનુષ ખેંચતા નજરે પડે છે. ધનુષના તીરની દિશા આકાશ તરફ હોય તેવું નજરે પડી રહ્યું છે. 


આદિપુરુષ ફિલ્મમાં શું ખાસ છે કે લોકોને ગમી રહી છે પોસ્ટ?

500 કરોડના ખર્ચે Adipurush ફિલ્મ પૌરાણિક કથા રામાયણ પર બનાવવામાં આવી છે. આ ફિલ્મની સ્ટોરી લાઈન અયોધ્યાના રાજા રાઘવના(ભગવાન રામના પાત્રથી પ્રેરાઈને બનાવેલું પાત્ર) જીવન પર આધારિત છે. રાઘવ પોતાની પત્નીને બચાવવા માટે શ્રીલંકા જાય છે અને રાવણ નામના રાજાનો વધ કરે છે તે દર્શાવવામાં આવ્યું છે. કૃતિ સેનન માતા જાનકીના રોલમાં નજર આવશે. 

  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.