સોશિયલ મીડિયા પર છવાઈ 'આદિપૂરૂષ'! ફિલ્મના રાવણને લોકો કરી રહ્યા છે ટ્રોલ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-17 10:55:01

ઘણા વિવાદો અને ઘણા ચેન્જિસ બાદ સિનેમાઘરોમાં પ્રભાસ અને ક્રિતી સેનનની ફિલ્મ આદિપૂરુષ રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ અનેક લોકોએ ફિલ્મને લઈ એડવાન્સ બુકિંગ કરાવી લીધું હતું. અનેક થીયેટરોની બહાર દર્શકોની લાંબી લાઈન જોવા મળી હતી અને અનેક લોકો તો વહેલી સવારે જ થીયેટરો બહાર પહોંચી ગયા હતા. ભગવાન રામનો રોલ પ્રભાસ કરી રહ્યા છે જ્યારે ક્રિતી સેનન માતા સીતાની ભૂમિકા ભજવી રહ્યા છે. બોક્સ ઓફિસ પર ફિલ્મ સારી કમાણી કરી શકે છે તેવું હાલ લાગી રહ્યું છે.

અનેક સીનને લઈ છેડાયો હતો વિવાદ!

થિયેટરોમાં આજે આદિપૂરુષ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. રિલીઝ થાય તે પહેલા જ અનેક લોકોએ ફિલ્મને લઈ એડવાન્સ બૂકિંગ કરાવી લીધું હતું. રામ ભગવાનના રૂપમાં પ્રભાસને જોવા માટે દર્શકો આતુર હતા, તેમની આતુરતાનો આજે અંત આવ્યો છે. મોટા પડદા પર ફિલ્મ આવે તે પહેલા ઘણા વિવાદોમાં રહી હતી. ક્રિતી સેનન થોડા સમય પહેલા ચર્ચામાં આવી હતી તે સિવાય રામ ભગવાનને મૂછ ન હોય અને તે ચપ્પ્લ પહેર્તા ન હતા સહિતના અનેક વિવાદો આપણી સામે આવ્યા છે.

ફિલ્મની સ્ક્રીનિંગ વખતે આવ્યા કપિરાજ!

સોશિયલ મીડિયા પર ફિલ્મ આદિપૂરુષ ટ્રેન્ડ થઈ રહી છે. ફિલ્મને લઈ દર્શકોનો અલગ અલગ રિસ્પોન્સ મળી રહ્યો છે. હનુમાનજી માટે એક સીટ રિઝર્વ રાખવામાં આવશે અને તેની પર મૂર્તિ રાખવામાં આવશે તેવી વાતો પણ સામે આવી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કપિરાજ ફિલ્મ જોતા હોય એવું લાગી રહ્યું છે. કોઈ જગ્યાએથી દર્શકોનો ઉત્સાહ જોવા મળ્યો , લોકો નાચતા કુદતા દેખાયા હતા. સોશિયલ મીડિયા પર લોકો પોતાના રિવ્યું આપી રહ્યા છે. 

આદિપૂરૂષના રાવણને લોકો કરી રહ્યા છે ટ્રોલ!

આ ફિલ્મમાં રાવણની ભૂમિકા સૈફ અલી ખાન નિભાવી રહ્યા છે. ફિલ્મ આદિપુરૂષની સાથે સાથે રાવણ તેમજ સૈફ અલી ખાન ટ્વિટર પર ટ્રેન્ડિંગ થઈ રહ્યા છે. આદિપુરૂષનો રાવણનો ટ્રોલ થઈ રહ્યો છે. રાવણને 10 માથા હતા પરંતુ જે રીતે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે તેને જોઈ લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે.               




આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...

થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.