સોશિયલ મીડિયા પર છવાઈ 'આદિપૂરૂષ'! ફિલ્મના રાવણને લોકો કરી રહ્યા છે ટ્રોલ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-17 10:55:01

ઘણા વિવાદો અને ઘણા ચેન્જિસ બાદ સિનેમાઘરોમાં પ્રભાસ અને ક્રિતી સેનનની ફિલ્મ આદિપૂરુષ રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ અનેક લોકોએ ફિલ્મને લઈ એડવાન્સ બુકિંગ કરાવી લીધું હતું. અનેક થીયેટરોની બહાર દર્શકોની લાંબી લાઈન જોવા મળી હતી અને અનેક લોકો તો વહેલી સવારે જ થીયેટરો બહાર પહોંચી ગયા હતા. ભગવાન રામનો રોલ પ્રભાસ કરી રહ્યા છે જ્યારે ક્રિતી સેનન માતા સીતાની ભૂમિકા ભજવી રહ્યા છે. બોક્સ ઓફિસ પર ફિલ્મ સારી કમાણી કરી શકે છે તેવું હાલ લાગી રહ્યું છે.

અનેક સીનને લઈ છેડાયો હતો વિવાદ!

થિયેટરોમાં આજે આદિપૂરુષ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. રિલીઝ થાય તે પહેલા જ અનેક લોકોએ ફિલ્મને લઈ એડવાન્સ બૂકિંગ કરાવી લીધું હતું. રામ ભગવાનના રૂપમાં પ્રભાસને જોવા માટે દર્શકો આતુર હતા, તેમની આતુરતાનો આજે અંત આવ્યો છે. મોટા પડદા પર ફિલ્મ આવે તે પહેલા ઘણા વિવાદોમાં રહી હતી. ક્રિતી સેનન થોડા સમય પહેલા ચર્ચામાં આવી હતી તે સિવાય રામ ભગવાનને મૂછ ન હોય અને તે ચપ્પ્લ પહેર્તા ન હતા સહિતના અનેક વિવાદો આપણી સામે આવ્યા છે.

ફિલ્મની સ્ક્રીનિંગ વખતે આવ્યા કપિરાજ!

સોશિયલ મીડિયા પર ફિલ્મ આદિપૂરુષ ટ્રેન્ડ થઈ રહી છે. ફિલ્મને લઈ દર્શકોનો અલગ અલગ રિસ્પોન્સ મળી રહ્યો છે. હનુમાનજી માટે એક સીટ રિઝર્વ રાખવામાં આવશે અને તેની પર મૂર્તિ રાખવામાં આવશે તેવી વાતો પણ સામે આવી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કપિરાજ ફિલ્મ જોતા હોય એવું લાગી રહ્યું છે. કોઈ જગ્યાએથી દર્શકોનો ઉત્સાહ જોવા મળ્યો , લોકો નાચતા કુદતા દેખાયા હતા. સોશિયલ મીડિયા પર લોકો પોતાના રિવ્યું આપી રહ્યા છે. 

આદિપૂરૂષના રાવણને લોકો કરી રહ્યા છે ટ્રોલ!

આ ફિલ્મમાં રાવણની ભૂમિકા સૈફ અલી ખાન નિભાવી રહ્યા છે. ફિલ્મ આદિપુરૂષની સાથે સાથે રાવણ તેમજ સૈફ અલી ખાન ટ્વિટર પર ટ્રેન્ડિંગ થઈ રહ્યા છે. આદિપુરૂષનો રાવણનો ટ્રોલ થઈ રહ્યો છે. રાવણને 10 માથા હતા પરંતુ જે રીતે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે તેને જોઈ લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે.               




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .