સોશિયલ મીડિયા પર છવાઈ 'આદિપૂરૂષ'! ફિલ્મના રાવણને લોકો કરી રહ્યા છે ટ્રોલ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-17 10:55:01

ઘણા વિવાદો અને ઘણા ચેન્જિસ બાદ સિનેમાઘરોમાં પ્રભાસ અને ક્રિતી સેનનની ફિલ્મ આદિપૂરુષ રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ અનેક લોકોએ ફિલ્મને લઈ એડવાન્સ બુકિંગ કરાવી લીધું હતું. અનેક થીયેટરોની બહાર દર્શકોની લાંબી લાઈન જોવા મળી હતી અને અનેક લોકો તો વહેલી સવારે જ થીયેટરો બહાર પહોંચી ગયા હતા. ભગવાન રામનો રોલ પ્રભાસ કરી રહ્યા છે જ્યારે ક્રિતી સેનન માતા સીતાની ભૂમિકા ભજવી રહ્યા છે. બોક્સ ઓફિસ પર ફિલ્મ સારી કમાણી કરી શકે છે તેવું હાલ લાગી રહ્યું છે.

અનેક સીનને લઈ છેડાયો હતો વિવાદ!

થિયેટરોમાં આજે આદિપૂરુષ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. રિલીઝ થાય તે પહેલા જ અનેક લોકોએ ફિલ્મને લઈ એડવાન્સ બૂકિંગ કરાવી લીધું હતું. રામ ભગવાનના રૂપમાં પ્રભાસને જોવા માટે દર્શકો આતુર હતા, તેમની આતુરતાનો આજે અંત આવ્યો છે. મોટા પડદા પર ફિલ્મ આવે તે પહેલા ઘણા વિવાદોમાં રહી હતી. ક્રિતી સેનન થોડા સમય પહેલા ચર્ચામાં આવી હતી તે સિવાય રામ ભગવાનને મૂછ ન હોય અને તે ચપ્પ્લ પહેર્તા ન હતા સહિતના અનેક વિવાદો આપણી સામે આવ્યા છે.

ફિલ્મની સ્ક્રીનિંગ વખતે આવ્યા કપિરાજ!

સોશિયલ મીડિયા પર ફિલ્મ આદિપૂરુષ ટ્રેન્ડ થઈ રહી છે. ફિલ્મને લઈ દર્શકોનો અલગ અલગ રિસ્પોન્સ મળી રહ્યો છે. હનુમાનજી માટે એક સીટ રિઝર્વ રાખવામાં આવશે અને તેની પર મૂર્તિ રાખવામાં આવશે તેવી વાતો પણ સામે આવી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કપિરાજ ફિલ્મ જોતા હોય એવું લાગી રહ્યું છે. કોઈ જગ્યાએથી દર્શકોનો ઉત્સાહ જોવા મળ્યો , લોકો નાચતા કુદતા દેખાયા હતા. સોશિયલ મીડિયા પર લોકો પોતાના રિવ્યું આપી રહ્યા છે. 

આદિપૂરૂષના રાવણને લોકો કરી રહ્યા છે ટ્રોલ!

આ ફિલ્મમાં રાવણની ભૂમિકા સૈફ અલી ખાન નિભાવી રહ્યા છે. ફિલ્મ આદિપુરૂષની સાથે સાથે રાવણ તેમજ સૈફ અલી ખાન ટ્વિટર પર ટ્રેન્ડિંગ થઈ રહ્યા છે. આદિપુરૂષનો રાવણનો ટ્રોલ થઈ રહ્યો છે. રાવણને 10 માથા હતા પરંતુ જે રીતે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે તેને જોઈ લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે.               




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી