સોશિયલ મીડિયા પર છવાઈ 'આદિપૂરૂષ'! ફિલ્મના રાવણને લોકો કરી રહ્યા છે ટ્રોલ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-17 10:55:01

ઘણા વિવાદો અને ઘણા ચેન્જિસ બાદ સિનેમાઘરોમાં પ્રભાસ અને ક્રિતી સેનનની ફિલ્મ આદિપૂરુષ રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ અનેક લોકોએ ફિલ્મને લઈ એડવાન્સ બુકિંગ કરાવી લીધું હતું. અનેક થીયેટરોની બહાર દર્શકોની લાંબી લાઈન જોવા મળી હતી અને અનેક લોકો તો વહેલી સવારે જ થીયેટરો બહાર પહોંચી ગયા હતા. ભગવાન રામનો રોલ પ્રભાસ કરી રહ્યા છે જ્યારે ક્રિતી સેનન માતા સીતાની ભૂમિકા ભજવી રહ્યા છે. બોક્સ ઓફિસ પર ફિલ્મ સારી કમાણી કરી શકે છે તેવું હાલ લાગી રહ્યું છે.

અનેક સીનને લઈ છેડાયો હતો વિવાદ!

થિયેટરોમાં આજે આદિપૂરુષ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. રિલીઝ થાય તે પહેલા જ અનેક લોકોએ ફિલ્મને લઈ એડવાન્સ બૂકિંગ કરાવી લીધું હતું. રામ ભગવાનના રૂપમાં પ્રભાસને જોવા માટે દર્શકો આતુર હતા, તેમની આતુરતાનો આજે અંત આવ્યો છે. મોટા પડદા પર ફિલ્મ આવે તે પહેલા ઘણા વિવાદોમાં રહી હતી. ક્રિતી સેનન થોડા સમય પહેલા ચર્ચામાં આવી હતી તે સિવાય રામ ભગવાનને મૂછ ન હોય અને તે ચપ્પ્લ પહેર્તા ન હતા સહિતના અનેક વિવાદો આપણી સામે આવ્યા છે.

ફિલ્મની સ્ક્રીનિંગ વખતે આવ્યા કપિરાજ!

સોશિયલ મીડિયા પર ફિલ્મ આદિપૂરુષ ટ્રેન્ડ થઈ રહી છે. ફિલ્મને લઈ દર્શકોનો અલગ અલગ રિસ્પોન્સ મળી રહ્યો છે. હનુમાનજી માટે એક સીટ રિઝર્વ રાખવામાં આવશે અને તેની પર મૂર્તિ રાખવામાં આવશે તેવી વાતો પણ સામે આવી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કપિરાજ ફિલ્મ જોતા હોય એવું લાગી રહ્યું છે. કોઈ જગ્યાએથી દર્શકોનો ઉત્સાહ જોવા મળ્યો , લોકો નાચતા કુદતા દેખાયા હતા. સોશિયલ મીડિયા પર લોકો પોતાના રિવ્યું આપી રહ્યા છે. 

આદિપૂરૂષના રાવણને લોકો કરી રહ્યા છે ટ્રોલ!

આ ફિલ્મમાં રાવણની ભૂમિકા સૈફ અલી ખાન નિભાવી રહ્યા છે. ફિલ્મ આદિપુરૂષની સાથે સાથે રાવણ તેમજ સૈફ અલી ખાન ટ્વિટર પર ટ્રેન્ડિંગ થઈ રહ્યા છે. આદિપુરૂષનો રાવણનો ટ્રોલ થઈ રહ્યો છે. રાવણને 10 માથા હતા પરંતુ જે રીતે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે તેને જોઈ લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે.               




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.