ગુટખા કંપનીની જાહેરાત કરવી ભારે પડી, શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગનને સરકારે ફટકારી નોટિસ


  • Published By :
  • Published Date : 2023-12-10 18:29:54

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar), શાહરૂખ ખાન (Shahrukh Khan)અને અજય દેવગન(Ajay Devgn)ને એક ગુટખા કંપનીને પ્રમોટ કરવા બદલ કેન્દ્ર સરકાર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. કેન્દ્ર સરકારે તિરસ્કારની અરજીનો જવાબ આપતાં અલ્હાબાદ કોર્ટની લખનૌ બેંચને કહ્યું હતું કે બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને અજય દેવગણ સામે ગુટખા (Gutka) કંપનીઓ માટે કરવામાં આવેલી જાહેરાતોના મામલે નોટીસ પાઠવવામાં આવી છે. 


કેન્દ્ર સરકારે નોટિસ જારી કરી

 

કેન્દ્રના વકીલે શુક્રવારે હાઈકોર્ટને માહિતી આપી હતી કે સુપ્રીમ કોર્ટ પણ આ જ મુદ્દા પર સુનાવણી કરી રહી છે અને આવી સ્થિતિમાં અરજીને તાત્કાલિક ફગાવી દેવી જોઈએ. દલીલો સાંભળ્યા બાદ બેન્ચે 9 મે, 2024ના રોજ સુનાવણી નક્કી કરી છે. ન્યાયમૂર્તિ રાજેશ સિંહ ચૌહાણની ખંડપીઠે અગાઉ કેન્દ્ર સરકારને અરજદારની રજૂઆત પર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો. અરજદારની મુખ્ય દલીલ એ હતી કે જે અભિનેતાઓ અને મહાનુભાવોને હાઈ પ્રોફાઈલ એવોર્ડ આપવામાં આવ્યા હતા તેમની સામે પગલાં લેવાવા જોઈએ કારણે કે તેઓ ગુટખા કંપનીઓ માટે જાહેરાત કરી રહ્યા હતા.


ડેપ્યુટી સોલિસિટર જનરલે હાઈકોર્ટને આપી માહિતી


અરજદારે દલીલ કરી હતી કે 22 ઓક્ટોબરે સરકારને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ પછી, અવમાનના અરજી પર સુનાવણી કરતી વખતે, હાઇકોર્ટે કેન્દ્ર સરકારના કેબિનેટ સચિવને નોટિસ પાઠવી હતી. શુક્રવારે ડેપ્યુટી સોલિસિટર જનરલ એસબી પાંડેએ હાઈકોર્ટને જણાવ્યું કે કેન્દ્રએ અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને અજય દેવગનને કારણ બતાવો નોટિસ જારી કરી છે. કોર્ટને એમ પણ કહેવામાં આવ્યું હતું કે અમિતાભ બચ્ચને એક ગુટખા કંપનીને કાનૂની નોટિસ મોકલી હતી. અમિતાભ બચ્ચને કંપની સાથેનો કરાર રદ કરી નાખ્યો હોવા છતાં કંપની તેમની જાહેરાત બતાવી રહી હતી.



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.