ગુટખા કંપનીની જાહેરાત કરવી ભારે પડી, શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગનને સરકારે ફટકારી નોટિસ


  • Published By :
  • Published Date : 2023-12-10 18:29:54

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar), શાહરૂખ ખાન (Shahrukh Khan)અને અજય દેવગન(Ajay Devgn)ને એક ગુટખા કંપનીને પ્રમોટ કરવા બદલ કેન્દ્ર સરકાર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. કેન્દ્ર સરકારે તિરસ્કારની અરજીનો જવાબ આપતાં અલ્હાબાદ કોર્ટની લખનૌ બેંચને કહ્યું હતું કે બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને અજય દેવગણ સામે ગુટખા (Gutka) કંપનીઓ માટે કરવામાં આવેલી જાહેરાતોના મામલે નોટીસ પાઠવવામાં આવી છે. 


કેન્દ્ર સરકારે નોટિસ જારી કરી

 

કેન્દ્રના વકીલે શુક્રવારે હાઈકોર્ટને માહિતી આપી હતી કે સુપ્રીમ કોર્ટ પણ આ જ મુદ્દા પર સુનાવણી કરી રહી છે અને આવી સ્થિતિમાં અરજીને તાત્કાલિક ફગાવી દેવી જોઈએ. દલીલો સાંભળ્યા બાદ બેન્ચે 9 મે, 2024ના રોજ સુનાવણી નક્કી કરી છે. ન્યાયમૂર્તિ રાજેશ સિંહ ચૌહાણની ખંડપીઠે અગાઉ કેન્દ્ર સરકારને અરજદારની રજૂઆત પર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો. અરજદારની મુખ્ય દલીલ એ હતી કે જે અભિનેતાઓ અને મહાનુભાવોને હાઈ પ્રોફાઈલ એવોર્ડ આપવામાં આવ્યા હતા તેમની સામે પગલાં લેવાવા જોઈએ કારણે કે તેઓ ગુટખા કંપનીઓ માટે જાહેરાત કરી રહ્યા હતા.


ડેપ્યુટી સોલિસિટર જનરલે હાઈકોર્ટને આપી માહિતી


અરજદારે દલીલ કરી હતી કે 22 ઓક્ટોબરે સરકારને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ પછી, અવમાનના અરજી પર સુનાવણી કરતી વખતે, હાઇકોર્ટે કેન્દ્ર સરકારના કેબિનેટ સચિવને નોટિસ પાઠવી હતી. શુક્રવારે ડેપ્યુટી સોલિસિટર જનરલ એસબી પાંડેએ હાઈકોર્ટને જણાવ્યું કે કેન્દ્રએ અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને અજય દેવગનને કારણ બતાવો નોટિસ જારી કરી છે. કોર્ટને એમ પણ કહેવામાં આવ્યું હતું કે અમિતાભ બચ્ચને એક ગુટખા કંપનીને કાનૂની નોટિસ મોકલી હતી. અમિતાભ બચ્ચને કંપની સાથેનો કરાર રદ કરી નાખ્યો હોવા છતાં કંપની તેમની જાહેરાત બતાવી રહી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.