ગુટખા કંપનીની જાહેરાત કરવી ભારે પડી, શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગનને સરકારે ફટકારી નોટિસ


  • Published By :
  • Published Date : 2023-12-10 18:29:54

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar), શાહરૂખ ખાન (Shahrukh Khan)અને અજય દેવગન(Ajay Devgn)ને એક ગુટખા કંપનીને પ્રમોટ કરવા બદલ કેન્દ્ર સરકાર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. કેન્દ્ર સરકારે તિરસ્કારની અરજીનો જવાબ આપતાં અલ્હાબાદ કોર્ટની લખનૌ બેંચને કહ્યું હતું કે બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને અજય દેવગણ સામે ગુટખા (Gutka) કંપનીઓ માટે કરવામાં આવેલી જાહેરાતોના મામલે નોટીસ પાઠવવામાં આવી છે. 


કેન્દ્ર સરકારે નોટિસ જારી કરી

 

કેન્દ્રના વકીલે શુક્રવારે હાઈકોર્ટને માહિતી આપી હતી કે સુપ્રીમ કોર્ટ પણ આ જ મુદ્દા પર સુનાવણી કરી રહી છે અને આવી સ્થિતિમાં અરજીને તાત્કાલિક ફગાવી દેવી જોઈએ. દલીલો સાંભળ્યા બાદ બેન્ચે 9 મે, 2024ના રોજ સુનાવણી નક્કી કરી છે. ન્યાયમૂર્તિ રાજેશ સિંહ ચૌહાણની ખંડપીઠે અગાઉ કેન્દ્ર સરકારને અરજદારની રજૂઆત પર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો. અરજદારની મુખ્ય દલીલ એ હતી કે જે અભિનેતાઓ અને મહાનુભાવોને હાઈ પ્રોફાઈલ એવોર્ડ આપવામાં આવ્યા હતા તેમની સામે પગલાં લેવાવા જોઈએ કારણે કે તેઓ ગુટખા કંપનીઓ માટે જાહેરાત કરી રહ્યા હતા.


ડેપ્યુટી સોલિસિટર જનરલે હાઈકોર્ટને આપી માહિતી


અરજદારે દલીલ કરી હતી કે 22 ઓક્ટોબરે સરકારને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ પછી, અવમાનના અરજી પર સુનાવણી કરતી વખતે, હાઇકોર્ટે કેન્દ્ર સરકારના કેબિનેટ સચિવને નોટિસ પાઠવી હતી. શુક્રવારે ડેપ્યુટી સોલિસિટર જનરલ એસબી પાંડેએ હાઈકોર્ટને જણાવ્યું કે કેન્દ્રએ અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને અજય દેવગનને કારણ બતાવો નોટિસ જારી કરી છે. કોર્ટને એમ પણ કહેવામાં આવ્યું હતું કે અમિતાભ બચ્ચને એક ગુટખા કંપનીને કાનૂની નોટિસ મોકલી હતી. અમિતાભ બચ્ચને કંપની સાથેનો કરાર રદ કરી નાખ્યો હોવા છતાં કંપની તેમની જાહેરાત બતાવી રહી હતી.



અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.