ગુટખા કંપનીની જાહેરાત કરવી ભારે પડી, શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગનને સરકારે ફટકારી નોટિસ


  • Published By :
  • Published Date : 2023-12-10 18:29:54

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar), શાહરૂખ ખાન (Shahrukh Khan)અને અજય દેવગન(Ajay Devgn)ને એક ગુટખા કંપનીને પ્રમોટ કરવા બદલ કેન્દ્ર સરકાર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. કેન્દ્ર સરકારે તિરસ્કારની અરજીનો જવાબ આપતાં અલ્હાબાદ કોર્ટની લખનૌ બેંચને કહ્યું હતું કે બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને અજય દેવગણ સામે ગુટખા (Gutka) કંપનીઓ માટે કરવામાં આવેલી જાહેરાતોના મામલે નોટીસ પાઠવવામાં આવી છે. 


કેન્દ્ર સરકારે નોટિસ જારી કરી

 

કેન્દ્રના વકીલે શુક્રવારે હાઈકોર્ટને માહિતી આપી હતી કે સુપ્રીમ કોર્ટ પણ આ જ મુદ્દા પર સુનાવણી કરી રહી છે અને આવી સ્થિતિમાં અરજીને તાત્કાલિક ફગાવી દેવી જોઈએ. દલીલો સાંભળ્યા બાદ બેન્ચે 9 મે, 2024ના રોજ સુનાવણી નક્કી કરી છે. ન્યાયમૂર્તિ રાજેશ સિંહ ચૌહાણની ખંડપીઠે અગાઉ કેન્દ્ર સરકારને અરજદારની રજૂઆત પર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો. અરજદારની મુખ્ય દલીલ એ હતી કે જે અભિનેતાઓ અને મહાનુભાવોને હાઈ પ્રોફાઈલ એવોર્ડ આપવામાં આવ્યા હતા તેમની સામે પગલાં લેવાવા જોઈએ કારણે કે તેઓ ગુટખા કંપનીઓ માટે જાહેરાત કરી રહ્યા હતા.


ડેપ્યુટી સોલિસિટર જનરલે હાઈકોર્ટને આપી માહિતી


અરજદારે દલીલ કરી હતી કે 22 ઓક્ટોબરે સરકારને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ પછી, અવમાનના અરજી પર સુનાવણી કરતી વખતે, હાઇકોર્ટે કેન્દ્ર સરકારના કેબિનેટ સચિવને નોટિસ પાઠવી હતી. શુક્રવારે ડેપ્યુટી સોલિસિટર જનરલ એસબી પાંડેએ હાઈકોર્ટને જણાવ્યું કે કેન્દ્રએ અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને અજય દેવગનને કારણ બતાવો નોટિસ જારી કરી છે. કોર્ટને એમ પણ કહેવામાં આવ્યું હતું કે અમિતાભ બચ્ચને એક ગુટખા કંપનીને કાનૂની નોટિસ મોકલી હતી. અમિતાભ બચ્ચને કંપની સાથેનો કરાર રદ કરી નાખ્યો હોવા છતાં કંપની તેમની જાહેરાત બતાવી રહી હતી.



રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી એક વખત સોશિયલ મીડિયા પર કવિતા શેર કરી છે. ભાજપ પર પ્રહાર કર્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં હતા. વલસાડમાં તેમજ છોટા ઉદેપુરમાં તેમણે જનસભાને સંબોધી..અનેક વિષયો પર તેમણે વાત કરી હતી..પોતાના ભાષણ દરમિયાન કોંગ્રેસને આડેહાથ લીધી હતી.

શબ્દોનો પણ મહિમા હોય છે અને મૌનનો પણ મહિમા હોય છે.. કોઈ સતત બોલતું રહે છે અને કોઈ સતત મૌન રહે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે તુષાર શુક્લની રચના - ચાલ, લઈ લઈએ થોડા અબોલા

આ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓની માટે પુરી બેઠક પરથી સુચરિતા મોહંતીને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી હતી. પણ હવે તેમણે પોતાની ટિકિટ પરત કરી દીધી છે . ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના વડા કે.સી. વેણુગોપાલને મોકલેલા મેલમાં, મોહંતીએ ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો હતો