ગાંધીનગરના ઋષભ પટેલના કેસમાં પોલીસે કરી કાર્યવાહી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-01-30 23:18:50

ગાંધીનગરમાં ચકચાર મચાવનારા બિલ્ડર પુત્રના કેસમાં એક નવા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરમાં બિલ્ડરના પુત્રએ માત્ર લગ્નના ૧૨ થી ૧૩ દિવસની અંદર પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પોલીસને આ યુવકની અંતિમ ચિઠ્ઠી મળી આવી છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આ અંતિમ પગલું ભર્યું હોવાની માહિતી સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. તો હવે પોલીસે આરોપીઓની સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી શરુ કરી છે. 

12 જાન્યુઆરીએ લગ્ન, અને 25 જાન્યુઆરીએ આપઘાત : 13 દિવસમાં એવું તો શું બન્યું  કે બિલ્ડર પુત્રને મોત મીઠું કરવુ પડ્યું

ગાંધીનગરના બિલ્ડર પુત્રના જીવન ટૂંકાવવાના કેસમાં નવા વળાંકો સામે આવ્યા છે. પોલીસે મૃતકના પરિવારજનોની ફરિયાદ તથા અંતિમ ચિઠ્ઠીના આધારે 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પોલીસે ચારેય શખ્સોની શોધખોળ શરુ કરી દીધી છે. ઈન્ફોસિટી પોલીસે કલ્પેશ પટેલ, મનીષ પટેલ, ક્રિશાલ પટેલ, મહિપાલસિંહ નામના શખ્સો સામે ફરિયાદ નોંધી છે. બિલ્ડર પુત્ર ઋષભ પટેલની અંતિમ ચિઠ્ઠીના આધારે પિતાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં પૈસા બાબતે જાહેરમાં માર મારતા યુવક ઋષભ પટેલે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.  ઋષભ પટેલના પરિવારજનોએ દાવો કર્યો છે કે, બિલ્ડરના દીકરા તથા પૂર્વ કાઉન્સિલર તારા પટેલના દીકરા મનીષ પટેલ દ્વારા પૈસાની લેતીદેતીના મુદ્દે ઋષભનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને માર મારવામાં આવ્યો હતો. પરિવારનું કહેવું છે કે આ ત્રાસથી કંટાળી યુવકે જીવન ટૂંકાવવાનો પગલું ભર્યું. આ ચારેય આરોપીઓ ઋષભના સસરાના પરિચિતો છે અને ચાર આરોપી પૈકીનો એક શખ્સ મનીષ ઉર્ફે સ્પ્લેન્ડર પૂર્વ કોર્પોરેટર તારાબેન પટેલનો દીકરો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં આ ચારેય શખ્સો વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી એકની ધરપકડ પણ કરી લીધી છે. જ્યારે અન્ય ત્રણ ફરાર આરોપીઓની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ગાંધીનગરના સુઘડ ખાતે રહેતા અને કન્સ્ટ્રકશન વ્યવસાય સાથે સંકળાયેલા 25 વર્ષીય ઋષભ પટેલે લગ્નજીવનના 13 દિવસમાં જ  પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મૃતકની કારની ડેકીમાંથી પ્લાસ્ટિકની થેલીમાંથી બે પાનાંની અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી . આ અંગે મૃતકના પિતા પ્રવીણ પટેલે ફરિયાદ નોંધાવી છે કે તેઓ સાંનિધ્ય હાઇટસ નામથી કન્સ્ટ્રકશન સાઇટ ચલાવે છે. તેમના મોટા પુત્ર ઋષભ કરાઇ ખાતેની કન્સ્ટ્રકશન સાઇટ સંભાળતો હતો. ઋષભના લગ્ન તા. 12 જાન્યુઆરીના હેલી સાથે થયા હતા. 25મી જાન્યુઆરીએ ઋષભ ઘરેથી બપોરના આશરે સાડાબારેક વાગે જમીને પોતાની સાઈટ પર ગયો હતો. બાદમાં પોતાની ક્રેટા ગાડી નરોડા ખાતે સર્વિસ સેન્ટર ખાતે લેવા ગયો હતો. બાદ સાંજના રાત થવા આવી છતાં ઋષભનો મોબાઈલ સ્વિચ ઓફ આવતાં સગાંસંબંધીઓએ મોડીરાત સુધી તેની શોધખોળ કરી હતું, પરંતુ ઋષભનો કોઈ પત્તો લાગ્યો નહોતો. 




વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.