ગાંધીનગરના ઋષભ પટેલના કેસમાં પોલીસે કરી કાર્યવાહી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-01-30 23:18:50

ગાંધીનગરમાં ચકચાર મચાવનારા બિલ્ડર પુત્રના કેસમાં એક નવા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરમાં બિલ્ડરના પુત્રએ માત્ર લગ્નના ૧૨ થી ૧૩ દિવસની અંદર પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પોલીસને આ યુવકની અંતિમ ચિઠ્ઠી મળી આવી છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આ અંતિમ પગલું ભર્યું હોવાની માહિતી સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. તો હવે પોલીસે આરોપીઓની સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી શરુ કરી છે. 

12 જાન્યુઆરીએ લગ્ન, અને 25 જાન્યુઆરીએ આપઘાત : 13 દિવસમાં એવું તો શું બન્યું  કે બિલ્ડર પુત્રને મોત મીઠું કરવુ પડ્યું

ગાંધીનગરના બિલ્ડર પુત્રના જીવન ટૂંકાવવાના કેસમાં નવા વળાંકો સામે આવ્યા છે. પોલીસે મૃતકના પરિવારજનોની ફરિયાદ તથા અંતિમ ચિઠ્ઠીના આધારે 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પોલીસે ચારેય શખ્સોની શોધખોળ શરુ કરી દીધી છે. ઈન્ફોસિટી પોલીસે કલ્પેશ પટેલ, મનીષ પટેલ, ક્રિશાલ પટેલ, મહિપાલસિંહ નામના શખ્સો સામે ફરિયાદ નોંધી છે. બિલ્ડર પુત્ર ઋષભ પટેલની અંતિમ ચિઠ્ઠીના આધારે પિતાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં પૈસા બાબતે જાહેરમાં માર મારતા યુવક ઋષભ પટેલે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.  ઋષભ પટેલના પરિવારજનોએ દાવો કર્યો છે કે, બિલ્ડરના દીકરા તથા પૂર્વ કાઉન્સિલર તારા પટેલના દીકરા મનીષ પટેલ દ્વારા પૈસાની લેતીદેતીના મુદ્દે ઋષભનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને માર મારવામાં આવ્યો હતો. પરિવારનું કહેવું છે કે આ ત્રાસથી કંટાળી યુવકે જીવન ટૂંકાવવાનો પગલું ભર્યું. આ ચારેય આરોપીઓ ઋષભના સસરાના પરિચિતો છે અને ચાર આરોપી પૈકીનો એક શખ્સ મનીષ ઉર્ફે સ્પ્લેન્ડર પૂર્વ કોર્પોરેટર તારાબેન પટેલનો દીકરો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં આ ચારેય શખ્સો વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી એકની ધરપકડ પણ કરી લીધી છે. જ્યારે અન્ય ત્રણ ફરાર આરોપીઓની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ગાંધીનગરના સુઘડ ખાતે રહેતા અને કન્સ્ટ્રકશન વ્યવસાય સાથે સંકળાયેલા 25 વર્ષીય ઋષભ પટેલે લગ્નજીવનના 13 દિવસમાં જ  પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મૃતકની કારની ડેકીમાંથી પ્લાસ્ટિકની થેલીમાંથી બે પાનાંની અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી . આ અંગે મૃતકના પિતા પ્રવીણ પટેલે ફરિયાદ નોંધાવી છે કે તેઓ સાંનિધ્ય હાઇટસ નામથી કન્સ્ટ્રકશન સાઇટ ચલાવે છે. તેમના મોટા પુત્ર ઋષભ કરાઇ ખાતેની કન્સ્ટ્રકશન સાઇટ સંભાળતો હતો. ઋષભના લગ્ન તા. 12 જાન્યુઆરીના હેલી સાથે થયા હતા. 25મી જાન્યુઆરીએ ઋષભ ઘરેથી બપોરના આશરે સાડાબારેક વાગે જમીને પોતાની સાઈટ પર ગયો હતો. બાદમાં પોતાની ક્રેટા ગાડી નરોડા ખાતે સર્વિસ સેન્ટર ખાતે લેવા ગયો હતો. બાદ સાંજના રાત થવા આવી છતાં ઋષભનો મોબાઈલ સ્વિચ ઓફ આવતાં સગાંસંબંધીઓએ મોડીરાત સુધી તેની શોધખોળ કરી હતું, પરંતુ ઋષભનો કોઈ પત્તો લાગ્યો નહોતો. 




ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.