ગાંધીનગરના ઋષભ પટેલના કેસમાં પોલીસે કરી કાર્યવાહી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-01-30 23:18:50

ગાંધીનગરમાં ચકચાર મચાવનારા બિલ્ડર પુત્રના કેસમાં એક નવા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરમાં બિલ્ડરના પુત્રએ માત્ર લગ્નના ૧૨ થી ૧૩ દિવસની અંદર પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પોલીસને આ યુવકની અંતિમ ચિઠ્ઠી મળી આવી છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આ અંતિમ પગલું ભર્યું હોવાની માહિતી સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. તો હવે પોલીસે આરોપીઓની સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી શરુ કરી છે. 

12 જાન્યુઆરીએ લગ્ન, અને 25 જાન્યુઆરીએ આપઘાત : 13 દિવસમાં એવું તો શું બન્યું  કે બિલ્ડર પુત્રને મોત મીઠું કરવુ પડ્યું

ગાંધીનગરના બિલ્ડર પુત્રના જીવન ટૂંકાવવાના કેસમાં નવા વળાંકો સામે આવ્યા છે. પોલીસે મૃતકના પરિવારજનોની ફરિયાદ તથા અંતિમ ચિઠ્ઠીના આધારે 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પોલીસે ચારેય શખ્સોની શોધખોળ શરુ કરી દીધી છે. ઈન્ફોસિટી પોલીસે કલ્પેશ પટેલ, મનીષ પટેલ, ક્રિશાલ પટેલ, મહિપાલસિંહ નામના શખ્સો સામે ફરિયાદ નોંધી છે. બિલ્ડર પુત્ર ઋષભ પટેલની અંતિમ ચિઠ્ઠીના આધારે પિતાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં પૈસા બાબતે જાહેરમાં માર મારતા યુવક ઋષભ પટેલે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.  ઋષભ પટેલના પરિવારજનોએ દાવો કર્યો છે કે, બિલ્ડરના દીકરા તથા પૂર્વ કાઉન્સિલર તારા પટેલના દીકરા મનીષ પટેલ દ્વારા પૈસાની લેતીદેતીના મુદ્દે ઋષભનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને માર મારવામાં આવ્યો હતો. પરિવારનું કહેવું છે કે આ ત્રાસથી કંટાળી યુવકે જીવન ટૂંકાવવાનો પગલું ભર્યું. આ ચારેય આરોપીઓ ઋષભના સસરાના પરિચિતો છે અને ચાર આરોપી પૈકીનો એક શખ્સ મનીષ ઉર્ફે સ્પ્લેન્ડર પૂર્વ કોર્પોરેટર તારાબેન પટેલનો દીકરો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં આ ચારેય શખ્સો વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી એકની ધરપકડ પણ કરી લીધી છે. જ્યારે અન્ય ત્રણ ફરાર આરોપીઓની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ગાંધીનગરના સુઘડ ખાતે રહેતા અને કન્સ્ટ્રકશન વ્યવસાય સાથે સંકળાયેલા 25 વર્ષીય ઋષભ પટેલે લગ્નજીવનના 13 દિવસમાં જ  પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મૃતકની કારની ડેકીમાંથી પ્લાસ્ટિકની થેલીમાંથી બે પાનાંની અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી . આ અંગે મૃતકના પિતા પ્રવીણ પટેલે ફરિયાદ નોંધાવી છે કે તેઓ સાંનિધ્ય હાઇટસ નામથી કન્સ્ટ્રકશન સાઇટ ચલાવે છે. તેમના મોટા પુત્ર ઋષભ કરાઇ ખાતેની કન્સ્ટ્રકશન સાઇટ સંભાળતો હતો. ઋષભના લગ્ન તા. 12 જાન્યુઆરીના હેલી સાથે થયા હતા. 25મી જાન્યુઆરીએ ઋષભ ઘરેથી બપોરના આશરે સાડાબારેક વાગે જમીને પોતાની સાઈટ પર ગયો હતો. બાદમાં પોતાની ક્રેટા ગાડી નરોડા ખાતે સર્વિસ સેન્ટર ખાતે લેવા ગયો હતો. બાદ સાંજના રાત થવા આવી છતાં ઋષભનો મોબાઈલ સ્વિચ ઓફ આવતાં સગાંસંબંધીઓએ મોડીરાત સુધી તેની શોધખોળ કરી હતું, પરંતુ ઋષભનો કોઈ પત્તો લાગ્યો નહોતો. 




એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.