આખરે "ઓપરેશન જંગલેશ્વર" આજે થયું પૂરું!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-24 20:43:39

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે.  મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.  રાજકોટનું જંગલેશ્વર ડિમોલિશન આજે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો મુદ્દો બન્યું છે. ગઈકાલથી ત્યાં ડિમોલિશનની કામગીરી શરુ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારને ૭ ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો હતો. જેમાં કુલ ૪૨ ટીમો કાર્યરત હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એક પણ અનિચ્છનીય બનાવ ના બને તે રીતે , આખો વિસ્તાર ખુલ્લા મેદાનમાં ફેરવાઈ ગયો છે. રાજકોટના જંગલેશ્વર ખાતે ડિમોલિશન કરીને , સરકાર દ્વારા અસામાજિક તત્વોને કડક સંદેશો આપવામાં આવ્યો છે. પોલીસ રેકોર્ડ પરના ૧૧ હિસ્ટ્રીશીટરોના બાંધકામ જમીન દોસ્ત કરવામાં આવ્યા છે. ગુનાહિત પ્રવૃતિઓથી ઉભા કરાયેલા ૮ આલીશાન બંગલા તોડી પાડવામાં આવ્યા છે. નદીના પટ્ટમાં જે ગેરકાયદેસર ઓરડીઓ બનાવીને ભાડે આપવામાં આવી હતી તેને પણ તોડી નખાઈ છે. 

Demolition underway in Jangleshwar

અસામાજિક તત્વોની વાત કરીએ તો , સમીર ઉર્ફે સંજય ઉર્ફે સંજલો જાવિદ જુનેજા જે ૧૨ ગુનામાં સંડોવાયેલો હતો. હાલમાં તે GUJSITOC અંતર્ગત જેલમાં છે. તેની ૧૬ ઓરડીઓ તોડી પડાઈ છે. આ ઉપરાંત , અન્ય એક આરોપી જેનું નામ છે , સમીર ઉર્ફે મરઘો યાસીન પઠાણની ત્રણ ઓરડીઓ તોડી પડાઈ છે. જેની પર પણ અત્યારસુધીમાં ૧૪ ગુનાઓ લાગેલા છે, બે વખત પાસામાં જઈને આવેલો છે. હાલમાં તે GUJSITOKમાં જેલમાં છે. આ ઉપરાંત , અન્ય ગુનેગારોની વાત કરીએ , તો ૧૭ ગુનામાં સંડોવાયેલ આશિષ ઉર્ફે ગંધારાનું એક મકાન અને દિનેશ જીવાની એક ઓરડી તોડી પડાઈ છે. ડિમોલિશનની કામગીરી પૂર્ણ થયા પછી હવે , કાટમાળ ખસેડવાની કામગીરી શરુ કરવામાં આવી છે. ગઈકાલે ૧૦૦૦ મેટ્રિક ટન અને આજે ૨૫૦૦ મેટ્રિક ટન જેટલો કાટમાળ ખસેડવામાં આવ્યો છે. હાલમાં જ આ કાટમાળ દેવપરા વિસ્તારમાં એક ખાનગી પ્લોટમાં એકત્રિત થયો છે , જ્યાંથી આ પછી મનપાની ડમ્પિંગ સાઈટ પર લઇ જવામાં આવશે. 

Rajkot Launches Demolition Drive, Nearly 1,400 Illegal Homes to be Razed

જંગલેશ્વર ખાતે ડિમોલિશન પૂર્ણ થતા જ પોલીસ કમિશનર બ્રજેશ ઝા અને DCP બાગરવાએ ફૂટ માર્ચ કરી હતી. આ આખી કામગીરી દરમ્યાન , ૪ DCP , ૧૭ ACP , ૩૫ PI , ૧૪૦ PSI , ૧૦૦૦ પોલીસ જવાન ખડે પગે રહ્યા હતા. ડિમોલિશનની કામગીરી દરમ્યાન , કાટમાળ ધરાશાયી થતા , કોર્પોરેશનનો એક કર્મચારી માંડ માંડ બચ્યો હતો.ડિમોલિશનની કામગીરી સમયે મહિલા સહીત બે વ્યક્તિઓને ઇજા પણ પહોંચી હતી.



ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.

ગુજરાત સરકારમાં મંત્રી પરષોત્તમ સોલંકી અને જીતુ વાઘાણી વચ્ચે મુલાકાત થઇ છે. જેમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. મુલાકાતના આ ફોટોસ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યાં છે. આપને જણાવી દયિકે , બગદાણાની બબાલના કારણે , કોળી સમાજમાં ખુબ ગુસ્સો જોવા મળ્યો હતો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના આગેવાનોએ ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું હતું.