આખરે "ઓપરેશન જંગલેશ્વર" આજે થયું પૂરું!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-24 20:43:39

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે.  મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.  રાજકોટનું જંગલેશ્વર ડિમોલિશન આજે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો મુદ્દો બન્યું છે. ગઈકાલથી ત્યાં ડિમોલિશનની કામગીરી શરુ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારને ૭ ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો હતો. જેમાં કુલ ૪૨ ટીમો કાર્યરત હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એક પણ અનિચ્છનીય બનાવ ના બને તે રીતે , આખો વિસ્તાર ખુલ્લા મેદાનમાં ફેરવાઈ ગયો છે. રાજકોટના જંગલેશ્વર ખાતે ડિમોલિશન કરીને , સરકાર દ્વારા અસામાજિક તત્વોને કડક સંદેશો આપવામાં આવ્યો છે. પોલીસ રેકોર્ડ પરના ૧૧ હિસ્ટ્રીશીટરોના બાંધકામ જમીન દોસ્ત કરવામાં આવ્યા છે. ગુનાહિત પ્રવૃતિઓથી ઉભા કરાયેલા ૮ આલીશાન બંગલા તોડી પાડવામાં આવ્યા છે. નદીના પટ્ટમાં જે ગેરકાયદેસર ઓરડીઓ બનાવીને ભાડે આપવામાં આવી હતી તેને પણ તોડી નખાઈ છે. 

Demolition underway in Jangleshwar

અસામાજિક તત્વોની વાત કરીએ તો , સમીર ઉર્ફે સંજય ઉર્ફે સંજલો જાવિદ જુનેજા જે ૧૨ ગુનામાં સંડોવાયેલો હતો. હાલમાં તે GUJSITOC અંતર્ગત જેલમાં છે. તેની ૧૬ ઓરડીઓ તોડી પડાઈ છે. આ ઉપરાંત , અન્ય એક આરોપી જેનું નામ છે , સમીર ઉર્ફે મરઘો યાસીન પઠાણની ત્રણ ઓરડીઓ તોડી પડાઈ છે. જેની પર પણ અત્યારસુધીમાં ૧૪ ગુનાઓ લાગેલા છે, બે વખત પાસામાં જઈને આવેલો છે. હાલમાં તે GUJSITOKમાં જેલમાં છે. આ ઉપરાંત , અન્ય ગુનેગારોની વાત કરીએ , તો ૧૭ ગુનામાં સંડોવાયેલ આશિષ ઉર્ફે ગંધારાનું એક મકાન અને દિનેશ જીવાની એક ઓરડી તોડી પડાઈ છે. ડિમોલિશનની કામગીરી પૂર્ણ થયા પછી હવે , કાટમાળ ખસેડવાની કામગીરી શરુ કરવામાં આવી છે. ગઈકાલે ૧૦૦૦ મેટ્રિક ટન અને આજે ૨૫૦૦ મેટ્રિક ટન જેટલો કાટમાળ ખસેડવામાં આવ્યો છે. હાલમાં જ આ કાટમાળ દેવપરા વિસ્તારમાં એક ખાનગી પ્લોટમાં એકત્રિત થયો છે , જ્યાંથી આ પછી મનપાની ડમ્પિંગ સાઈટ પર લઇ જવામાં આવશે. 

Rajkot Launches Demolition Drive, Nearly 1,400 Illegal Homes to be Razed

જંગલેશ્વર ખાતે ડિમોલિશન પૂર્ણ થતા જ પોલીસ કમિશનર બ્રજેશ ઝા અને DCP બાગરવાએ ફૂટ માર્ચ કરી હતી. આ આખી કામગીરી દરમ્યાન , ૪ DCP , ૧૭ ACP , ૩૫ PI , ૧૪૦ PSI , ૧૦૦૦ પોલીસ જવાન ખડે પગે રહ્યા હતા. ડિમોલિશનની કામગીરી દરમ્યાન , કાટમાળ ધરાશાયી થતા , કોર્પોરેશનનો એક કર્મચારી માંડ માંડ બચ્યો હતો.ડિમોલિશનની કામગીરી સમયે મહિલા સહીત બે વ્યક્તિઓને ઇજા પણ પહોંચી હતી.



સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.