જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-26 20:59:02

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. 

Jeegeesha Patel (@jeegeesha.patel.5) • Facebook

ગોંડલમાં પાટીદાર આગેવાન જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. ગોંડલ સીટી પોલીસ મથકે ૫ મહિલાઓ સહીત ૯ વ્યક્તિની સામે ફરિયાદ નોંધાઈ હતી. હવે મુખ્ય બે મહિલા આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. તેમાંથી એકનું નામ છે , ક્રિષ્ના રાવલ તેમજ યોગિતા ઉર્ફે દ્રષ્ટિ વિંઝુડાની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદ પોલીસ દ્વારા આ હુમલામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આપના નેતા જિગીષા પટેલ પર થોડાક સમય અગાઉ હુમલો થતા ચકચારી મચી ગઈ છે . જયારે તેઓ ગોંડલના ભગવતપરા વિસ્તાર પાસે સરગમ પાર્ક કે જે ઘોઘાવદર રોડ પર આવેલું છે ત્યાં , પાણી અને રસ્તાના પ્રશને મુલાકાતે ગયા હતા.  તેઓ જેવા જ  સ્થળ પર પહોંચ્યા ત્યારે જ એક મહિલા દ્વારા જિગીષા પટેલની ગાડી પર પથ્થમારો કરવામાં આવ્યો હતો. તેમની ગાડીને તો નુકશાન થયું છે જ સાથે જ જિગીષા પટેલ પણ ઈજાગ્રસ્ત થયા હતા . આ પછી જિગીષા પટેલને ગોંડલની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પછી , પોલીસ દ્વારા જિગીષા પટેલનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. 

પોલીસની આ કાર્યવાહી ખુબ દબાણ પછી સામે આવી છે. જિગીષા પટેલ પર હુમલાનો મુદ્દો વિધાનસભામાં પણ ગુંજ્યો હતો. વિસાવદરના MLA ગોપાલ ઇટાલિયા અને દેદિયાપાડાના MLA ચૈતર વસાવા દ્વારા જિગીષા પટેલ પર જે હુમલો થયો તેને સખત શબ્દોમાં વખોડી નાખવામાં આવ્યો હતો. ગોપાલ ઇટાલિયાએ આ સમગ્ર મુદ્દે , મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળીને રજુઆત કરવાની વાત પણ કરી હતી. આ પછી ,લાંબા સમય પછી ગોંડલ પોલીસ દ્વારા ૯ની સામે FIR નોંધવામાં આવી હતી. અને આજે , બે મહિલા ક્રિષ્ના રાવલ તેમજ યોગિતા ઉર્ફે દ્રષ્ટિ વિંઝુડાની ધરપકડ કરવામાં આવી છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.