જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-26 20:59:02

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. 

Jeegeesha Patel (@jeegeesha.patel.5) • Facebook

ગોંડલમાં પાટીદાર આગેવાન જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. ગોંડલ સીટી પોલીસ મથકે ૫ મહિલાઓ સહીત ૯ વ્યક્તિની સામે ફરિયાદ નોંધાઈ હતી. હવે મુખ્ય બે મહિલા આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. તેમાંથી એકનું નામ છે , ક્રિષ્ના રાવલ તેમજ યોગિતા ઉર્ફે દ્રષ્ટિ વિંઝુડાની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદ પોલીસ દ્વારા આ હુમલામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આપના નેતા જિગીષા પટેલ પર થોડાક સમય અગાઉ હુમલો થતા ચકચારી મચી ગઈ છે . જયારે તેઓ ગોંડલના ભગવતપરા વિસ્તાર પાસે સરગમ પાર્ક કે જે ઘોઘાવદર રોડ પર આવેલું છે ત્યાં , પાણી અને રસ્તાના પ્રશને મુલાકાતે ગયા હતા.  તેઓ જેવા જ  સ્થળ પર પહોંચ્યા ત્યારે જ એક મહિલા દ્વારા જિગીષા પટેલની ગાડી પર પથ્થમારો કરવામાં આવ્યો હતો. તેમની ગાડીને તો નુકશાન થયું છે જ સાથે જ જિગીષા પટેલ પણ ઈજાગ્રસ્ત થયા હતા . આ પછી જિગીષા પટેલને ગોંડલની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પછી , પોલીસ દ્વારા જિગીષા પટેલનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. 

પોલીસની આ કાર્યવાહી ખુબ દબાણ પછી સામે આવી છે. જિગીષા પટેલ પર હુમલાનો મુદ્દો વિધાનસભામાં પણ ગુંજ્યો હતો. વિસાવદરના MLA ગોપાલ ઇટાલિયા અને દેદિયાપાડાના MLA ચૈતર વસાવા દ્વારા જિગીષા પટેલ પર જે હુમલો થયો તેને સખત શબ્દોમાં વખોડી નાખવામાં આવ્યો હતો. ગોપાલ ઇટાલિયાએ આ સમગ્ર મુદ્દે , મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળીને રજુઆત કરવાની વાત પણ કરી હતી. આ પછી ,લાંબા સમય પછી ગોંડલ પોલીસ દ્વારા ૯ની સામે FIR નોંધવામાં આવી હતી. અને આજે , બે મહિલા ક્રિષ્ના રાવલ તેમજ યોગિતા ઉર્ફે દ્રષ્ટિ વિંઝુડાની ધરપકડ કરવામાં આવી છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.