જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-26 20:59:02

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. 

Jeegeesha Patel (@jeegeesha.patel.5) • Facebook

ગોંડલમાં પાટીદાર આગેવાન જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. ગોંડલ સીટી પોલીસ મથકે ૫ મહિલાઓ સહીત ૯ વ્યક્તિની સામે ફરિયાદ નોંધાઈ હતી. હવે મુખ્ય બે મહિલા આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. તેમાંથી એકનું નામ છે , ક્રિષ્ના રાવલ તેમજ યોગિતા ઉર્ફે દ્રષ્ટિ વિંઝુડાની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદ પોલીસ દ્વારા આ હુમલામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આપના નેતા જિગીષા પટેલ પર થોડાક સમય અગાઉ હુમલો થતા ચકચારી મચી ગઈ છે . જયારે તેઓ ગોંડલના ભગવતપરા વિસ્તાર પાસે સરગમ પાર્ક કે જે ઘોઘાવદર રોડ પર આવેલું છે ત્યાં , પાણી અને રસ્તાના પ્રશને મુલાકાતે ગયા હતા.  તેઓ જેવા જ  સ્થળ પર પહોંચ્યા ત્યારે જ એક મહિલા દ્વારા જિગીષા પટેલની ગાડી પર પથ્થમારો કરવામાં આવ્યો હતો. તેમની ગાડીને તો નુકશાન થયું છે જ સાથે જ જિગીષા પટેલ પણ ઈજાગ્રસ્ત થયા હતા . આ પછી જિગીષા પટેલને ગોંડલની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પછી , પોલીસ દ્વારા જિગીષા પટેલનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. 

પોલીસની આ કાર્યવાહી ખુબ દબાણ પછી સામે આવી છે. જિગીષા પટેલ પર હુમલાનો મુદ્દો વિધાનસભામાં પણ ગુંજ્યો હતો. વિસાવદરના MLA ગોપાલ ઇટાલિયા અને દેદિયાપાડાના MLA ચૈતર વસાવા દ્વારા જિગીષા પટેલ પર જે હુમલો થયો તેને સખત શબ્દોમાં વખોડી નાખવામાં આવ્યો હતો. ગોપાલ ઇટાલિયાએ આ સમગ્ર મુદ્દે , મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળીને રજુઆત કરવાની વાત પણ કરી હતી. આ પછી ,લાંબા સમય પછી ગોંડલ પોલીસ દ્વારા ૯ની સામે FIR નોંધવામાં આવી હતી. અને આજે , બે મહિલા ક્રિષ્ના રાવલ તેમજ યોગિતા ઉર્ફે દ્રષ્ટિ વિંઝુડાની ધરપકડ કરવામાં આવી છે. 



મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.