કોર્ટ સમક્ષ આફતાબે કરી કબૂલાત, કહ્યું મારાથી ગુસ્સામાં આ ગુન્હો થયો છે


  • Published By :
  • Published Date : 2022-11-22 14:31:27

શ્રદ્ધા મર્ડર કેસમાં એક મોટો ખુલાસો થયો છે. દિલ્હીની સાકેત કોર્ટમાં આફતાબને રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં આફતાબની કસ્ટડીને ચાર દિવસ માટે વધારી દેવામાં આવી છે. કોર્ટમાં પેસી દરમિયાન આફતાબે કબૂલ્યું કે આ Heat Of The Moment છે. મતલબ જે પણ ઘટના બની તે ગુસ્સામાં થયું હતું. ઉપરાંત તેણે કઈ જગ્યાઓ પર શ્રદ્ધાના શરીરના ટુકડા ફેંક્યા છે તે પણ જણાવ્યું હતું. ઉપરાંત પોલીસ આજે આફતાબનું પોલીગ્રાફ ટેસ્ટ કરાવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.


આફતાબને કોર્ટ સમક્ષ રજૂ કરાયો 

આફતાબે કોર્ટ સમક્ષ કહ્યું કે તે તપાસમાં સારી રીતે સહયોગ આપી રહ્યો છે. ઉપરાંત ટૂકડા કઈ કઈ જગ્યાઓ પર ફેંક્યા હતા તે પણ તેણે જણાવ્યું. આ ઘટનાને ઘણો પસાર થવાને કારણે તેને વધુ યાદ નથી. ઉપરાંત આફતાબે તળાવનું ચિત્ર બનાવ્યું હતું જેમાં તેણે શ્રદ્ધાનું માથું ફેક્યું હતું.

  

પોલીસને જંગલમાંથી મળ્યા હતા હાડકા

આ કેસમાં રોજે નવા નવા વળાંક આવી રહ્યા છે. કેસની તપાસ કરી રહેલી પોલીસ પાસે નવા પુરાવા આવી રહ્યા છે. પોલીસને જંગલમાંથી હાડકા મળી આવ્યા હતા. ઉપરાંત પોલીસને આશંકા હતી કે શ્રદ્ધાનું માથું આફતાબે તળાવમાં ફેકી દીધું હતું. ત્યારે પોલીસે તળાવ ખાલી કરવી માથું શોધવાનો પ્રયાસ કરી રહી છે. આફતાબ આ કેસને લઈ વધુ વિગતો આપે તે માટે નાર્કો ટેસ્ટ કરવામાં આવવાનો હતો પરંતુ તે થઈ શક્યો ન હતો. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે હવે તેનો પોલીગ્રાફ ટેસ્ટ થવાનો છે.     



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.