કોર્ટ સમક્ષ આફતાબે કરી કબૂલાત, કહ્યું મારાથી ગુસ્સામાં આ ગુન્હો થયો છે


  • Published By :
  • Published Date : 2022-11-22 14:31:27

શ્રદ્ધા મર્ડર કેસમાં એક મોટો ખુલાસો થયો છે. દિલ્હીની સાકેત કોર્ટમાં આફતાબને રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં આફતાબની કસ્ટડીને ચાર દિવસ માટે વધારી દેવામાં આવી છે. કોર્ટમાં પેસી દરમિયાન આફતાબે કબૂલ્યું કે આ Heat Of The Moment છે. મતલબ જે પણ ઘટના બની તે ગુસ્સામાં થયું હતું. ઉપરાંત તેણે કઈ જગ્યાઓ પર શ્રદ્ધાના શરીરના ટુકડા ફેંક્યા છે તે પણ જણાવ્યું હતું. ઉપરાંત પોલીસ આજે આફતાબનું પોલીગ્રાફ ટેસ્ટ કરાવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.


આફતાબને કોર્ટ સમક્ષ રજૂ કરાયો 

આફતાબે કોર્ટ સમક્ષ કહ્યું કે તે તપાસમાં સારી રીતે સહયોગ આપી રહ્યો છે. ઉપરાંત ટૂકડા કઈ કઈ જગ્યાઓ પર ફેંક્યા હતા તે પણ તેણે જણાવ્યું. આ ઘટનાને ઘણો પસાર થવાને કારણે તેને વધુ યાદ નથી. ઉપરાંત આફતાબે તળાવનું ચિત્ર બનાવ્યું હતું જેમાં તેણે શ્રદ્ધાનું માથું ફેક્યું હતું.

  

પોલીસને જંગલમાંથી મળ્યા હતા હાડકા

આ કેસમાં રોજે નવા નવા વળાંક આવી રહ્યા છે. કેસની તપાસ કરી રહેલી પોલીસ પાસે નવા પુરાવા આવી રહ્યા છે. પોલીસને જંગલમાંથી હાડકા મળી આવ્યા હતા. ઉપરાંત પોલીસને આશંકા હતી કે શ્રદ્ધાનું માથું આફતાબે તળાવમાં ફેકી દીધું હતું. ત્યારે પોલીસે તળાવ ખાલી કરવી માથું શોધવાનો પ્રયાસ કરી રહી છે. આફતાબ આ કેસને લઈ વધુ વિગતો આપે તે માટે નાર્કો ટેસ્ટ કરવામાં આવવાનો હતો પરંતુ તે થઈ શક્યો ન હતો. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે હવે તેનો પોલીગ્રાફ ટેસ્ટ થવાનો છે.     



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.