કોર્ટ સમક્ષ આફતાબે કરી કબૂલાત, કહ્યું મારાથી ગુસ્સામાં આ ગુન્હો થયો છે


  • Published By :
  • Published Date : 2022-11-22 14:31:27

શ્રદ્ધા મર્ડર કેસમાં એક મોટો ખુલાસો થયો છે. દિલ્હીની સાકેત કોર્ટમાં આફતાબને રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં આફતાબની કસ્ટડીને ચાર દિવસ માટે વધારી દેવામાં આવી છે. કોર્ટમાં પેસી દરમિયાન આફતાબે કબૂલ્યું કે આ Heat Of The Moment છે. મતલબ જે પણ ઘટના બની તે ગુસ્સામાં થયું હતું. ઉપરાંત તેણે કઈ જગ્યાઓ પર શ્રદ્ધાના શરીરના ટુકડા ફેંક્યા છે તે પણ જણાવ્યું હતું. ઉપરાંત પોલીસ આજે આફતાબનું પોલીગ્રાફ ટેસ્ટ કરાવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.


આફતાબને કોર્ટ સમક્ષ રજૂ કરાયો 

આફતાબે કોર્ટ સમક્ષ કહ્યું કે તે તપાસમાં સારી રીતે સહયોગ આપી રહ્યો છે. ઉપરાંત ટૂકડા કઈ કઈ જગ્યાઓ પર ફેંક્યા હતા તે પણ તેણે જણાવ્યું. આ ઘટનાને ઘણો પસાર થવાને કારણે તેને વધુ યાદ નથી. ઉપરાંત આફતાબે તળાવનું ચિત્ર બનાવ્યું હતું જેમાં તેણે શ્રદ્ધાનું માથું ફેક્યું હતું.

  

પોલીસને જંગલમાંથી મળ્યા હતા હાડકા

આ કેસમાં રોજે નવા નવા વળાંક આવી રહ્યા છે. કેસની તપાસ કરી રહેલી પોલીસ પાસે નવા પુરાવા આવી રહ્યા છે. પોલીસને જંગલમાંથી હાડકા મળી આવ્યા હતા. ઉપરાંત પોલીસને આશંકા હતી કે શ્રદ્ધાનું માથું આફતાબે તળાવમાં ફેકી દીધું હતું. ત્યારે પોલીસે તળાવ ખાલી કરવી માથું શોધવાનો પ્રયાસ કરી રહી છે. આફતાબ આ કેસને લઈ વધુ વિગતો આપે તે માટે નાર્કો ટેસ્ટ કરવામાં આવવાનો હતો પરંતુ તે થઈ શક્યો ન હતો. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે હવે તેનો પોલીગ્રાફ ટેસ્ટ થવાનો છે.     



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.