કોર્ટ સમક્ષ આફતાબે કરી કબૂલાત, કહ્યું મારાથી ગુસ્સામાં આ ગુન્હો થયો છે


  • Published By :
  • Published Date : 2022-11-22 14:31:27

શ્રદ્ધા મર્ડર કેસમાં એક મોટો ખુલાસો થયો છે. દિલ્હીની સાકેત કોર્ટમાં આફતાબને રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં આફતાબની કસ્ટડીને ચાર દિવસ માટે વધારી દેવામાં આવી છે. કોર્ટમાં પેસી દરમિયાન આફતાબે કબૂલ્યું કે આ Heat Of The Moment છે. મતલબ જે પણ ઘટના બની તે ગુસ્સામાં થયું હતું. ઉપરાંત તેણે કઈ જગ્યાઓ પર શ્રદ્ધાના શરીરના ટુકડા ફેંક્યા છે તે પણ જણાવ્યું હતું. ઉપરાંત પોલીસ આજે આફતાબનું પોલીગ્રાફ ટેસ્ટ કરાવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.


આફતાબને કોર્ટ સમક્ષ રજૂ કરાયો 

આફતાબે કોર્ટ સમક્ષ કહ્યું કે તે તપાસમાં સારી રીતે સહયોગ આપી રહ્યો છે. ઉપરાંત ટૂકડા કઈ કઈ જગ્યાઓ પર ફેંક્યા હતા તે પણ તેણે જણાવ્યું. આ ઘટનાને ઘણો પસાર થવાને કારણે તેને વધુ યાદ નથી. ઉપરાંત આફતાબે તળાવનું ચિત્ર બનાવ્યું હતું જેમાં તેણે શ્રદ્ધાનું માથું ફેક્યું હતું.

  

પોલીસને જંગલમાંથી મળ્યા હતા હાડકા

આ કેસમાં રોજે નવા નવા વળાંક આવી રહ્યા છે. કેસની તપાસ કરી રહેલી પોલીસ પાસે નવા પુરાવા આવી રહ્યા છે. પોલીસને જંગલમાંથી હાડકા મળી આવ્યા હતા. ઉપરાંત પોલીસને આશંકા હતી કે શ્રદ્ધાનું માથું આફતાબે તળાવમાં ફેકી દીધું હતું. ત્યારે પોલીસે તળાવ ખાલી કરવી માથું શોધવાનો પ્રયાસ કરી રહી છે. આફતાબ આ કેસને લઈ વધુ વિગતો આપે તે માટે નાર્કો ટેસ્ટ કરવામાં આવવાનો હતો પરંતુ તે થઈ શક્યો ન હતો. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે હવે તેનો પોલીગ્રાફ ટેસ્ટ થવાનો છે.     



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.