એક દિવસ બાદ ફરી શરૂ થઈ ભારત જોડો યાત્રા, યાત્રામાં પ્રિયંકા ગાંધી અને મહેબુબા થયા સામેલ


  • Published By :
  • Published Date : 2023-01-28 17:15:51

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જમ્મુ-કાશ્મીરમાં પહોંચી છે. ગઈ કાલે યાત્રા સુરક્ષામાં ચૂક થવાને કારણે યાત્રાને સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે આજે ફરી યાત્રાની શરૂઆત થઈ છે. રાહુલ ગાંધીએ અવંતીપોરાથી ફરી યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રામાં પ્રિયંકા ગાંધી તેમજ પીડીપીના પ્રમુખ મહેબુબા મુફ્તી પણ સામેલ થયા હતા.


યાત્રાને સ્થગિત કરાઈ હતી

કન્યાકુમારીથી રાહુલ ગાંધીએ કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા નીકાળી હતી. આ યાત્રા પોતાના અંતિમ પડાવમાં પહોંચી ગઈ છે. આ યાત્રાને માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે. શ્રીનગર ખાતે રાહુલ ગાંધી ધ્વજવંદન કરશે તે બાદ આ યાત્રા પૂરી થશે.  ગઈ કાલે સુરક્ષા વ્યવસ્થા ખોરવાતા યાત્રાને સ્થગિત કરવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીએ આકરા પ્રહાર કર્યા હતા. 


પુલવામાં શહીદ થયેલા જવાનોને આપી શ્રદ્ધાંજલિ 

રાહુલ ગાંધી આ યાત્રા દરમિયાન અનેક શહેરો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો ફર્યા છે. આ યાત્રાને માત્ર બે દિવસ બાકી રહ્યા છે. જમ્મુ પહોંચેલી આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ પુલવામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમની સાથે આ યાત્રામાં તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા હતા. તે સિવાય મહેબુબા મુફ્તી પણ હાજર રહ્યા હતા. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.