એક દિવસ બાદ ફરી શરૂ થઈ ભારત જોડો યાત્રા, યાત્રામાં પ્રિયંકા ગાંધી અને મહેબુબા થયા સામેલ


  • Published By :
  • Published Date : 2023-01-28 17:15:51

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જમ્મુ-કાશ્મીરમાં પહોંચી છે. ગઈ કાલે યાત્રા સુરક્ષામાં ચૂક થવાને કારણે યાત્રાને સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે આજે ફરી યાત્રાની શરૂઆત થઈ છે. રાહુલ ગાંધીએ અવંતીપોરાથી ફરી યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રામાં પ્રિયંકા ગાંધી તેમજ પીડીપીના પ્રમુખ મહેબુબા મુફ્તી પણ સામેલ થયા હતા.


યાત્રાને સ્થગિત કરાઈ હતી

કન્યાકુમારીથી રાહુલ ગાંધીએ કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા નીકાળી હતી. આ યાત્રા પોતાના અંતિમ પડાવમાં પહોંચી ગઈ છે. આ યાત્રાને માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે. શ્રીનગર ખાતે રાહુલ ગાંધી ધ્વજવંદન કરશે તે બાદ આ યાત્રા પૂરી થશે.  ગઈ કાલે સુરક્ષા વ્યવસ્થા ખોરવાતા યાત્રાને સ્થગિત કરવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીએ આકરા પ્રહાર કર્યા હતા. 


પુલવામાં શહીદ થયેલા જવાનોને આપી શ્રદ્ધાંજલિ 

રાહુલ ગાંધી આ યાત્રા દરમિયાન અનેક શહેરો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો ફર્યા છે. આ યાત્રાને માત્ર બે દિવસ બાકી રહ્યા છે. જમ્મુ પહોંચેલી આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ પુલવામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમની સાથે આ યાત્રામાં તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા હતા. તે સિવાય મહેબુબા મુફ્તી પણ હાજર રહ્યા હતા. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.