એક દિવસ બાદ ફરી શરૂ થઈ ભારત જોડો યાત્રા, યાત્રામાં પ્રિયંકા ગાંધી અને મહેબુબા થયા સામેલ


  • Published By :
  • Published Date : 2023-01-28 17:15:51

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જમ્મુ-કાશ્મીરમાં પહોંચી છે. ગઈ કાલે યાત્રા સુરક્ષામાં ચૂક થવાને કારણે યાત્રાને સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે આજે ફરી યાત્રાની શરૂઆત થઈ છે. રાહુલ ગાંધીએ અવંતીપોરાથી ફરી યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રામાં પ્રિયંકા ગાંધી તેમજ પીડીપીના પ્રમુખ મહેબુબા મુફ્તી પણ સામેલ થયા હતા.


યાત્રાને સ્થગિત કરાઈ હતી

કન્યાકુમારીથી રાહુલ ગાંધીએ કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા નીકાળી હતી. આ યાત્રા પોતાના અંતિમ પડાવમાં પહોંચી ગઈ છે. આ યાત્રાને માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે. શ્રીનગર ખાતે રાહુલ ગાંધી ધ્વજવંદન કરશે તે બાદ આ યાત્રા પૂરી થશે.  ગઈ કાલે સુરક્ષા વ્યવસ્થા ખોરવાતા યાત્રાને સ્થગિત કરવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીએ આકરા પ્રહાર કર્યા હતા. 


પુલવામાં શહીદ થયેલા જવાનોને આપી શ્રદ્ધાંજલિ 

રાહુલ ગાંધી આ યાત્રા દરમિયાન અનેક શહેરો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો ફર્યા છે. આ યાત્રાને માત્ર બે દિવસ બાકી રહ્યા છે. જમ્મુ પહોંચેલી આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ પુલવામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમની સાથે આ યાત્રામાં તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા હતા. તે સિવાય મહેબુબા મુફ્તી પણ હાજર રહ્યા હતા. 




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.