ઓસ્ટ્રેલિયા સામે જીત હાંસલ કર્યા બાદ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નંબર 1 પર પહોંચી


  • Published By :
  • Published Date : 2023-02-15 17:12:02

નાગપુર ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી મેચ ચાલી રહી છે. ભારતે ચાર મેચની ટેસ્ટ સીરીઝ પહેલા જ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને  એક ઈનિંગ્સ અને 132 રનથી હરાવ્યું છે. 15 ફેબ્રુઆરીના રોજ રેન્કિંગ અપડેટ થયા હતા જે બાદ ઈન્ડિયાની ટીમ આઈસીસી ટેસ્ટ રેન્કીંગમાં નંબર વન આવી ગઈ છે. ટીમ ઈન્ડિયા એશિયાની પ્રથમ એવી ટીમ છે જે ત્રણેય ફોર્મેટમાં નંબર વન છે. 


ટેસ્ટ રેન્કીંગમાં ભારત આગળ 

ઓસ્ટ્રેલિયા સામે ભારતની ટેસ્ટ મેચ ચાલી રહી છે. સીરિઝની પ્રથમ મેચમાં ભારતનો વિજય થયો છે. નાગપુર ખાતે રમાઈ રહેલી બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં ભારતે 132 રનથી જીત મેળવી લીધી છે. જે બાદ ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ રેન્કીંગમાંથી ઓસ્ટ્રેલિયાને પાછળ મોકલી દીધો છે. ઓસ્ટ્રેલિયાના ખાતામાં 111 રેટિંગ પોઈન્ટસ છે જ્યારે ભારતના ખાતામાં 115 રેટિંગ પોઈન્સ છે. ત્રીજા ક્રમે ઈંગ્લેનડની ટીમ છે જ્યારે ચોથા નંબર પર ન્યુઝીલેન્ડની ટીમ છે. 


વનડેમાં પણ ભારત પહેલા ક્રમે 

વન ડેમાં પણ ટીમ ઈન્ડિયાની રેન્કિંગ આગળ છે. 114 પોઈન્ટ સાથે વન ડેમાં નંબર વન સ્થાન પર છે જ્યારે ટી-20માં પણ ભારત નંબર વન સ્થાને છે. 267 પોઈન્ટ સાથે ટી-20માં આગળ છે. બીજા ક્રમે ઈંગ્લેન્ડની ટીમ આવેલી છે જેના પોઈન્ટ 266 છે.  




ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.