ઓસ્ટ્રેલિયા સામે જીત હાંસલ કર્યા બાદ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નંબર 1 પર પહોંચી


  • Published By :
  • Published Date : 2023-02-15 17:12:02

નાગપુર ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી મેચ ચાલી રહી છે. ભારતે ચાર મેચની ટેસ્ટ સીરીઝ પહેલા જ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને  એક ઈનિંગ્સ અને 132 રનથી હરાવ્યું છે. 15 ફેબ્રુઆરીના રોજ રેન્કિંગ અપડેટ થયા હતા જે બાદ ઈન્ડિયાની ટીમ આઈસીસી ટેસ્ટ રેન્કીંગમાં નંબર વન આવી ગઈ છે. ટીમ ઈન્ડિયા એશિયાની પ્રથમ એવી ટીમ છે જે ત્રણેય ફોર્મેટમાં નંબર વન છે. 


ટેસ્ટ રેન્કીંગમાં ભારત આગળ 

ઓસ્ટ્રેલિયા સામે ભારતની ટેસ્ટ મેચ ચાલી રહી છે. સીરિઝની પ્રથમ મેચમાં ભારતનો વિજય થયો છે. નાગપુર ખાતે રમાઈ રહેલી બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં ભારતે 132 રનથી જીત મેળવી લીધી છે. જે બાદ ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ રેન્કીંગમાંથી ઓસ્ટ્રેલિયાને પાછળ મોકલી દીધો છે. ઓસ્ટ્રેલિયાના ખાતામાં 111 રેટિંગ પોઈન્ટસ છે જ્યારે ભારતના ખાતામાં 115 રેટિંગ પોઈન્સ છે. ત્રીજા ક્રમે ઈંગ્લેનડની ટીમ છે જ્યારે ચોથા નંબર પર ન્યુઝીલેન્ડની ટીમ છે. 


વનડેમાં પણ ભારત પહેલા ક્રમે 

વન ડેમાં પણ ટીમ ઈન્ડિયાની રેન્કિંગ આગળ છે. 114 પોઈન્ટ સાથે વન ડેમાં નંબર વન સ્થાન પર છે જ્યારે ટી-20માં પણ ભારત નંબર વન સ્થાને છે. 267 પોઈન્ટ સાથે ટી-20માં આગળ છે. બીજા ક્રમે ઈંગ્લેન્ડની ટીમ આવેલી છે જેના પોઈન્ટ 266 છે.  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.