ઓસ્ટ્રેલિયા સામે જીત હાંસલ કર્યા બાદ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નંબર 1 પર પહોંચી


  • Published By :
  • Published Date : 2023-02-15 17:12:02

નાગપુર ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી મેચ ચાલી રહી છે. ભારતે ચાર મેચની ટેસ્ટ સીરીઝ પહેલા જ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને  એક ઈનિંગ્સ અને 132 રનથી હરાવ્યું છે. 15 ફેબ્રુઆરીના રોજ રેન્કિંગ અપડેટ થયા હતા જે બાદ ઈન્ડિયાની ટીમ આઈસીસી ટેસ્ટ રેન્કીંગમાં નંબર વન આવી ગઈ છે. ટીમ ઈન્ડિયા એશિયાની પ્રથમ એવી ટીમ છે જે ત્રણેય ફોર્મેટમાં નંબર વન છે. 


ટેસ્ટ રેન્કીંગમાં ભારત આગળ 

ઓસ્ટ્રેલિયા સામે ભારતની ટેસ્ટ મેચ ચાલી રહી છે. સીરિઝની પ્રથમ મેચમાં ભારતનો વિજય થયો છે. નાગપુર ખાતે રમાઈ રહેલી બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં ભારતે 132 રનથી જીત મેળવી લીધી છે. જે બાદ ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ રેન્કીંગમાંથી ઓસ્ટ્રેલિયાને પાછળ મોકલી દીધો છે. ઓસ્ટ્રેલિયાના ખાતામાં 111 રેટિંગ પોઈન્ટસ છે જ્યારે ભારતના ખાતામાં 115 રેટિંગ પોઈન્સ છે. ત્રીજા ક્રમે ઈંગ્લેનડની ટીમ છે જ્યારે ચોથા નંબર પર ન્યુઝીલેન્ડની ટીમ છે. 


વનડેમાં પણ ભારત પહેલા ક્રમે 

વન ડેમાં પણ ટીમ ઈન્ડિયાની રેન્કિંગ આગળ છે. 114 પોઈન્ટ સાથે વન ડેમાં નંબર વન સ્થાન પર છે જ્યારે ટી-20માં પણ ભારત નંબર વન સ્થાને છે. 267 પોઈન્ટ સાથે ટી-20માં આગળ છે. બીજા ક્રમે ઈંગ્લેન્ડની ટીમ આવેલી છે જેના પોઈન્ટ 266 છે.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.