ટિકિટ ફાળવણી બાદ ભાજપમાં દેખાયો આંતરિક વિવાદ, કાર્યકરોએ આપ્યા રાજીનામા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-10 18:03:35

ભાજપે પોતાના 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ ભાજપના અનેક નેતાઓ અને તેમના સમર્થકો નારાજ થઈ રહ્યા છે. ભાજપમાં ટિકિટની ફાળવણી અંગે નારાજગી સામે નથી આવતી પરંતુ આ વખતે ભાજપમાંથી વિરોધના સુર ઉઠી રહ્યા છે. ભાજપને ભાવનગરના મહુવાથી સૌથી મોટો ઝટકો લાગ્યો છે. શિવાભાઈ ગોહિલને ટિકિટ અપાતા ભાજપ તાલુકા સંગઠન, શહેર સંગઠનના તમામ સભ્યોએ રાજીનામું આપી દીધું છે. 


રાઘવ મકવાણાની ટિકિટ કાપવામાં આવતા તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમની ટિકિટ કપાતા જિલ્લા પંચાયતના સભ્યોએ તેમજ તાલુકા પંચાયતના સભ્યોએ ભાજપને અલવિદા કહી દીધું છે. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે તેમના રાજીનામાથી કોઈ અસર નહીં થાય. 




પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.