અમિત શાહ બાદ સ્મૃતિ ઈરાનીનો ભારત જોડો યાત્રા પર પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 16:31:27

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. જેને લઈ રાજનીતી ગરમાઈ છે. અમિત શાહના કટાક્ષ બાદ સ્મૃતિ ઈરાનીએ પણ યાત્રા પર પ્રહાર કર્યા છે. સ્મૃતિએ ડોડ્ડાબલ્લપુરામાં સંબોધન કરતા કહ્યું કે રાહુલ ગાંધી ભારતને એકજૂથ કરવાના માર્ગ પર છે, પરંતુ તેમણે પહેલા જવાબ આપવો જોઈએ કે ભારતને તોડવાની હિંમત કોણે કરી.

ભાજપના નિશાના પર રાહુલની ભારત જોડો યાત્રા

કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર ભારતીય જનતા પાર્ટી અનેક પ્રહારો કરી રહી છે. અમિત શાહ બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલની યાત્રા પર અનેક પ્રશ્ન ઉઠાવ્યા છે. યાત્રાની નિંદા કરતા તેમણે કહ્યું રાહુલ ગાંધી ભારતને એકજૂથ કરવાના માર્ગ પર છે, પરંતુ તેમણે પહેલા જવાબ આપવો જોઈએ કે ભારતને તોડવાની હિંમત કોણે કરી. તમે એ વ્યક્તિને પોતાની પાર્ટીના સભ્ય બનાવો છો, જેણે 'ભારત તેરે ટુકડે હોંગે, ઈન્શા અલ્લાહ'નો નારો આપ્યો હતો.

ભારતની અખંડતા પર સ્મૃતિએ ઉઠાવ્યા પ્રશ્ન

પ્રશ્ન ઉઠાવતા તેમણે કહ્યું કે કોણે ભારતની એકતાને નુકસાન પહોંચાડ્યું છે, જેના માટે વિપક્ષી પાર્ટીને આ પ્રકારનું અભિયાન ચલાવવાની જરૂર પડી. એક બાદ એક ભાજપના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની આ યાત્રા પર પ્રહાર કરી રહ્યા છે. અમિત શાહે રાહુલની ટી-શર્ટ પર કટાક્ષ કર્યો હતો. 



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.