અમિત શાહ બાદ સ્મૃતિ ઈરાનીનો ભારત જોડો યાત્રા પર પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 16:31:27

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. જેને લઈ રાજનીતી ગરમાઈ છે. અમિત શાહના કટાક્ષ બાદ સ્મૃતિ ઈરાનીએ પણ યાત્રા પર પ્રહાર કર્યા છે. સ્મૃતિએ ડોડ્ડાબલ્લપુરામાં સંબોધન કરતા કહ્યું કે રાહુલ ગાંધી ભારતને એકજૂથ કરવાના માર્ગ પર છે, પરંતુ તેમણે પહેલા જવાબ આપવો જોઈએ કે ભારતને તોડવાની હિંમત કોણે કરી.

ભાજપના નિશાના પર રાહુલની ભારત જોડો યાત્રા

કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર ભારતીય જનતા પાર્ટી અનેક પ્રહારો કરી રહી છે. અમિત શાહ બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલની યાત્રા પર અનેક પ્રશ્ન ઉઠાવ્યા છે. યાત્રાની નિંદા કરતા તેમણે કહ્યું રાહુલ ગાંધી ભારતને એકજૂથ કરવાના માર્ગ પર છે, પરંતુ તેમણે પહેલા જવાબ આપવો જોઈએ કે ભારતને તોડવાની હિંમત કોણે કરી. તમે એ વ્યક્તિને પોતાની પાર્ટીના સભ્ય બનાવો છો, જેણે 'ભારત તેરે ટુકડે હોંગે, ઈન્શા અલ્લાહ'નો નારો આપ્યો હતો.

ભારતની અખંડતા પર સ્મૃતિએ ઉઠાવ્યા પ્રશ્ન

પ્રશ્ન ઉઠાવતા તેમણે કહ્યું કે કોણે ભારતની એકતાને નુકસાન પહોંચાડ્યું છે, જેના માટે વિપક્ષી પાર્ટીને આ પ્રકારનું અભિયાન ચલાવવાની જરૂર પડી. એક બાદ એક ભાજપના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની આ યાત્રા પર પ્રહાર કરી રહ્યા છે. અમિત શાહે રાહુલની ટી-શર્ટ પર કટાક્ષ કર્યો હતો. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.