ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ભાજપે કરી ટ્વિટ - ગુજરાતનો ભરોસો ભાજપ પર


  • Published By :
  • Published Date : 2022-11-03 13:51:50

ગુજરાત ચૂંટણી માટેની તારીખો જાહેર થઈ ગઈ છે. જે અનુસાર 2 તબક્કામાં આ મતદાન યોજાવાનું છે. પહેલા તબક્કાનું મતદાન 1લી ડિસેમ્બરના રોજ થવાનું છે જ્યારે બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. જ્યારે મતગણતરિ 8 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે. ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ભાજપે એક ટ્વિટ કરી હતી, જેમાં પાર્ટીએ લખ્યું હતું કે 8 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં કમળ ખીલશે.

 

ભાજપ દ્વારા કરવામાં આવેલો પ્રચાર થશે મદદરૂપ?? 

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. ત્યારે આ વખતે પણ ગુજરાતમાં કમળ ખીલે તે માટે ભારતીય જનતા પાર્ટીએ અનેક પ્રયાસો કર્યા છે. પ્રચાર માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ જેવા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓએ ગુજરાતમાં પ્રવાસ કરી ભાજપનો પ્રચાર કર્યો હતો. ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થતા ભાજપે 8 ડિસેમ્બરના રોજ તેમની જીત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. ત્યારે ખરેખર 8 ડિસેમ્બરે કમળ ખીલશે કે નહિં તે તો મતદારો જ નક્કી કરશે.  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.