ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ભાજપે કરી ટ્વિટ - ગુજરાતનો ભરોસો ભાજપ પર


  • Published By :
  • Published Date : 2022-11-03 13:51:50

ગુજરાત ચૂંટણી માટેની તારીખો જાહેર થઈ ગઈ છે. જે અનુસાર 2 તબક્કામાં આ મતદાન યોજાવાનું છે. પહેલા તબક્કાનું મતદાન 1લી ડિસેમ્બરના રોજ થવાનું છે જ્યારે બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. જ્યારે મતગણતરિ 8 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે. ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ભાજપે એક ટ્વિટ કરી હતી, જેમાં પાર્ટીએ લખ્યું હતું કે 8 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં કમળ ખીલશે.

 

ભાજપ દ્વારા કરવામાં આવેલો પ્રચાર થશે મદદરૂપ?? 

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. ત્યારે આ વખતે પણ ગુજરાતમાં કમળ ખીલે તે માટે ભારતીય જનતા પાર્ટીએ અનેક પ્રયાસો કર્યા છે. પ્રચાર માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ જેવા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓએ ગુજરાતમાં પ્રવાસ કરી ભાજપનો પ્રચાર કર્યો હતો. ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થતા ભાજપે 8 ડિસેમ્બરના રોજ તેમની જીત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. ત્યારે ખરેખર 8 ડિસેમ્બરે કમળ ખીલશે કે નહિં તે તો મતદારો જ નક્કી કરશે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.