ધારાસભ્ય બન્યા બાદ વડોદરાના મેયરના પદ ઉપરથી કેયુર રોકડિયાએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2023-02-21 16:19:53

ભાજપે ગુજરાતમાં ઐતિહાસિક જીત હાંસલ કરી છે. એક વ્યક્તિ એક પદના સૂત્રના અમલીકરણને ધ્યાનમાં રાખી ધારાસભ્ય બનેલા કેયુર રોકડિયાએ મેયર પદેથી રાજીનામું આપી દીધું છે. પોતાના  પદ ઉપરથી રાજીનામું આપે તેવી માગણી વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી. જે બાદ કેયુર રોકડિયાએ મેયર પદેથી રાજીનામું આપી દીધું છે. પોતાનું રાજીનામું તેમણે સભા સેક્રેટરીને સોંપ્યું છે.    


વડોદરાના મેયરના પદ ઉપરથી આપ્યું રાજીનામું 

ગુજરાતમાં જીત મેળવ્યા બાદ ભાજપે પોતાના સંગઠનમાં અનેક ફેરફાર કર્યા છે. એક વ્યક્તિ એક પદના સૂત્રમાં ભાજપ માનનારુ છે. આ સૂત્રને સાર્થક કરવા વડોદરાના સયાજીગંજના ધારાસભ્યએ મેયર કેયુર રોકડીયાએ મેયર પદ છોડી દીધું છેે. સભા સેક્રેટરીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. ગઈકાલે ધારાસભ્ય દર્શિતા શાહે રાજકોટ ડેપ્યુટી મેયરના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે વડોદરાના મેયર તરીકે કેયુર રોકડીયાએ પોતાનું રાજીનામું આપી દીધું છે. તેમણે માર્ચ 2021માં પોતાનું પદ સંભાળ્યું હતું. મેયર તરીકેના અઢી વર્ષના કાર્યકાળમાં સાત મહિનાનો સમયગાળો બાકી રહ્યો હતો 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.