ધારાસભ્ય બન્યા બાદ વડોદરાના મેયરના પદ ઉપરથી કેયુર રોકડિયાએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2023-02-21 16:19:53

ભાજપે ગુજરાતમાં ઐતિહાસિક જીત હાંસલ કરી છે. એક વ્યક્તિ એક પદના સૂત્રના અમલીકરણને ધ્યાનમાં રાખી ધારાસભ્ય બનેલા કેયુર રોકડિયાએ મેયર પદેથી રાજીનામું આપી દીધું છે. પોતાના  પદ ઉપરથી રાજીનામું આપે તેવી માગણી વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી. જે બાદ કેયુર રોકડિયાએ મેયર પદેથી રાજીનામું આપી દીધું છે. પોતાનું રાજીનામું તેમણે સભા સેક્રેટરીને સોંપ્યું છે.    


વડોદરાના મેયરના પદ ઉપરથી આપ્યું રાજીનામું 

ગુજરાતમાં જીત મેળવ્યા બાદ ભાજપે પોતાના સંગઠનમાં અનેક ફેરફાર કર્યા છે. એક વ્યક્તિ એક પદના સૂત્રમાં ભાજપ માનનારુ છે. આ સૂત્રને સાર્થક કરવા વડોદરાના સયાજીગંજના ધારાસભ્યએ મેયર કેયુર રોકડીયાએ મેયર પદ છોડી દીધું છેે. સભા સેક્રેટરીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. ગઈકાલે ધારાસભ્ય દર્શિતા શાહે રાજકોટ ડેપ્યુટી મેયરના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે વડોદરાના મેયર તરીકે કેયુર રોકડીયાએ પોતાનું રાજીનામું આપી દીધું છે. તેમણે માર્ચ 2021માં પોતાનું પદ સંભાળ્યું હતું. મેયર તરીકેના અઢી વર્ષના કાર્યકાળમાં સાત મહિનાનો સમયગાળો બાકી રહ્યો હતો 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.