ધારાસભ્ય બન્યા બાદ વડોદરાના મેયરના પદ ઉપરથી કેયુર રોકડિયાએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2023-02-21 16:19:53

ભાજપે ગુજરાતમાં ઐતિહાસિક જીત હાંસલ કરી છે. એક વ્યક્તિ એક પદના સૂત્રના અમલીકરણને ધ્યાનમાં રાખી ધારાસભ્ય બનેલા કેયુર રોકડિયાએ મેયર પદેથી રાજીનામું આપી દીધું છે. પોતાના  પદ ઉપરથી રાજીનામું આપે તેવી માગણી વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી. જે બાદ કેયુર રોકડિયાએ મેયર પદેથી રાજીનામું આપી દીધું છે. પોતાનું રાજીનામું તેમણે સભા સેક્રેટરીને સોંપ્યું છે.    


વડોદરાના મેયરના પદ ઉપરથી આપ્યું રાજીનામું 

ગુજરાતમાં જીત મેળવ્યા બાદ ભાજપે પોતાના સંગઠનમાં અનેક ફેરફાર કર્યા છે. એક વ્યક્તિ એક પદના સૂત્રમાં ભાજપ માનનારુ છે. આ સૂત્રને સાર્થક કરવા વડોદરાના સયાજીગંજના ધારાસભ્યએ મેયર કેયુર રોકડીયાએ મેયર પદ છોડી દીધું છેે. સભા સેક્રેટરીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. ગઈકાલે ધારાસભ્ય દર્શિતા શાહે રાજકોટ ડેપ્યુટી મેયરના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે વડોદરાના મેયર તરીકે કેયુર રોકડીયાએ પોતાનું રાજીનામું આપી દીધું છે. તેમણે માર્ચ 2021માં પોતાનું પદ સંભાળ્યું હતું. મેયર તરીકેના અઢી વર્ષના કાર્યકાળમાં સાત મહિનાનો સમયગાળો બાકી રહ્યો હતો 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.