જેલ મુક્ત થયા બાદ યુવરાજસિંહે ઉર્જા ભરતી અંગે ટ્વિટ કરતા લખ્યું કે જો યોગ્ય રીતે તપાસ કરવામાં આવે તો....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-26 10:37:11

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ચાલતા અનેક કૌભાંડ સામે આવી રહ્યા છે. કૌભાંડ સામે આવતા અનેક વખત કાર્યવાહી કરવામાં આવે છે. ઉર્જા કૌભાંડમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વધુ 9 લોકોની ધરપકડ કરાઈ છે. મહત્વનું છે કે ઉર્જા કૌભાંડમાં હજી સુધી 15 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હજી તપાસ ચાલી રહી છે. યુવરાજસિંહે ઉર્જા કૌભાંડને લઈ ટ્વિટ કર્યું છે. 

જેલમાંથી બહાર આવ્યા બાદ એક્શન મોડમાં દેખાયા યુવરાજસિંહ 

થોડા સમય પહેલા યુવરાજસિંહ જાડેજા દ્વારા સ્પાર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવાનો ઘટસ્ફોટ કર્યો હતો. આ મામલે કાર્યવાહી પણ કરવામાં આવી. પરંતુ ધીમે ધીમે તોડકાંડનો મામલો પણ સામે આવ્યો હતો. યુવરાજસિંહ સહિત 6 લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. યુવરાજસિંહ સહિત તમામ લોકોને શરતી જામીન આપવામાં આવ્યા છે. જેલની બહાર આવ્યા બાદ યુવરાજસિંહ ફરી એક વખત એક્શન મોડમાં દેખાયા છે. ભરતીમાં થતી ગેરરીતિ તેમજ કૌભાંડ અંગે ફરી સવાલો યુવરાજસિંહ ઉઠાવી રહ્યા છે. યુવરાજસિંહે એક ટ્વિટ કરી છે જેમાં તેમણે લખ્યું કે જાન્યુઆરી 2021માં જ્યારે ઉર્જા વિભાગની પરીક્ષા ચાલુ હતી ત્યારે જ પ્રેસ કોન્ફરન્સ કરીને આ કૌભાંડને ઉજાગર કર્યું હતું.     


ઉર્જા વિભાગમાં ચાલતા કૌભાંડ અંગે યુવરાજસિંહે કરી ટ્વિટ

યુવરાજસિંહે ટ્વિટ કરી તેમાં લખ્યું કે જે સમયે પરીક્ષા ચાલતી હતી તે સમયે પ્રેસ કોન્ફરન્સ કરી ઉર્જા વિભાગના સિસ્ટમેટીક કૌભાંડ ઉજાગર કરેલ. જે નામો આપેલ હતા એ હવે પકડાય છે. તે સમયે જો એક્શન લીધા હોત તો લિસ્ટ બહું લાંબુ હોત. હજી પણ ઇચ્છાશક્તિ હોય તો  આ ભરતી(જુનિયર આસી. અને જુનિયર એન્જિનિયર) ની CBI દ્વારા તપાસ કરવામાં આવે તો આ ઓનલાઈન_સિસ્ટમેટીક_સ્કેમ માં 300+ એવા લોકો મળશે જે વર્તમાન માં ઊર્જા વિભાગની અલગ અલગ કચેરી માં "ભ્રષ્ટાચાર" થી નોકરી કરતા જોવા મળશે. 



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે