જેલ મુક્ત થયા બાદ યુવરાજસિંહે ઉર્જા ભરતી અંગે ટ્વિટ કરતા લખ્યું કે જો યોગ્ય રીતે તપાસ કરવામાં આવે તો....


  • Published By :
  • Published Date : 2023-07-26 10:37:11

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ચાલતા અનેક કૌભાંડ સામે આવી રહ્યા છે. કૌભાંડ સામે આવતા અનેક વખત કાર્યવાહી કરવામાં આવે છે. ઉર્જા કૌભાંડમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વધુ 9 લોકોની ધરપકડ કરાઈ છે. મહત્વનું છે કે ઉર્જા કૌભાંડમાં હજી સુધી 15 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હજી તપાસ ચાલી રહી છે. યુવરાજસિંહે ઉર્જા કૌભાંડને લઈ ટ્વિટ કર્યું છે. 

જેલમાંથી બહાર આવ્યા બાદ એક્શન મોડમાં દેખાયા યુવરાજસિંહ 

થોડા સમય પહેલા યુવરાજસિંહ જાડેજા દ્વારા સ્પાર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવાનો ઘટસ્ફોટ કર્યો હતો. આ મામલે કાર્યવાહી પણ કરવામાં આવી. પરંતુ ધીમે ધીમે તોડકાંડનો મામલો પણ સામે આવ્યો હતો. યુવરાજસિંહ સહિત 6 લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. યુવરાજસિંહ સહિત તમામ લોકોને શરતી જામીન આપવામાં આવ્યા છે. જેલની બહાર આવ્યા બાદ યુવરાજસિંહ ફરી એક વખત એક્શન મોડમાં દેખાયા છે. ભરતીમાં થતી ગેરરીતિ તેમજ કૌભાંડ અંગે ફરી સવાલો યુવરાજસિંહ ઉઠાવી રહ્યા છે. યુવરાજસિંહે એક ટ્વિટ કરી છે જેમાં તેમણે લખ્યું કે જાન્યુઆરી 2021માં જ્યારે ઉર્જા વિભાગની પરીક્ષા ચાલુ હતી ત્યારે જ પ્રેસ કોન્ફરન્સ કરીને આ કૌભાંડને ઉજાગર કર્યું હતું.     


ઉર્જા વિભાગમાં ચાલતા કૌભાંડ અંગે યુવરાજસિંહે કરી ટ્વિટ

યુવરાજસિંહે ટ્વિટ કરી તેમાં લખ્યું કે જે સમયે પરીક્ષા ચાલતી હતી તે સમયે પ્રેસ કોન્ફરન્સ કરી ઉર્જા વિભાગના સિસ્ટમેટીક કૌભાંડ ઉજાગર કરેલ. જે નામો આપેલ હતા એ હવે પકડાય છે. તે સમયે જો એક્શન લીધા હોત તો લિસ્ટ બહું લાંબુ હોત. હજી પણ ઇચ્છાશક્તિ હોય તો  આ ભરતી(જુનિયર આસી. અને જુનિયર એન્જિનિયર) ની CBI દ્વારા તપાસ કરવામાં આવે તો આ ઓનલાઈન_સિસ્ટમેટીક_સ્કેમ માં 300+ એવા લોકો મળશે જે વર્તમાન માં ઊર્જા વિભાગની અલગ અલગ કચેરી માં "ભ્રષ્ટાચાર" થી નોકરી કરતા જોવા મળશે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.