જેલ મુક્ત થયા બાદ યુવરાજસિંહે ઉર્જા ભરતી અંગે ટ્વિટ કરતા લખ્યું કે જો યોગ્ય રીતે તપાસ કરવામાં આવે તો....


  • Published By :
  • Published Date : 2023-07-26 10:37:11

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ચાલતા અનેક કૌભાંડ સામે આવી રહ્યા છે. કૌભાંડ સામે આવતા અનેક વખત કાર્યવાહી કરવામાં આવે છે. ઉર્જા કૌભાંડમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વધુ 9 લોકોની ધરપકડ કરાઈ છે. મહત્વનું છે કે ઉર્જા કૌભાંડમાં હજી સુધી 15 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હજી તપાસ ચાલી રહી છે. યુવરાજસિંહે ઉર્જા કૌભાંડને લઈ ટ્વિટ કર્યું છે. 

જેલમાંથી બહાર આવ્યા બાદ એક્શન મોડમાં દેખાયા યુવરાજસિંહ 

થોડા સમય પહેલા યુવરાજસિંહ જાડેજા દ્વારા સ્પાર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવાનો ઘટસ્ફોટ કર્યો હતો. આ મામલે કાર્યવાહી પણ કરવામાં આવી. પરંતુ ધીમે ધીમે તોડકાંડનો મામલો પણ સામે આવ્યો હતો. યુવરાજસિંહ સહિત 6 લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. યુવરાજસિંહ સહિત તમામ લોકોને શરતી જામીન આપવામાં આવ્યા છે. જેલની બહાર આવ્યા બાદ યુવરાજસિંહ ફરી એક વખત એક્શન મોડમાં દેખાયા છે. ભરતીમાં થતી ગેરરીતિ તેમજ કૌભાંડ અંગે ફરી સવાલો યુવરાજસિંહ ઉઠાવી રહ્યા છે. યુવરાજસિંહે એક ટ્વિટ કરી છે જેમાં તેમણે લખ્યું કે જાન્યુઆરી 2021માં જ્યારે ઉર્જા વિભાગની પરીક્ષા ચાલુ હતી ત્યારે જ પ્રેસ કોન્ફરન્સ કરીને આ કૌભાંડને ઉજાગર કર્યું હતું.     


ઉર્જા વિભાગમાં ચાલતા કૌભાંડ અંગે યુવરાજસિંહે કરી ટ્વિટ

યુવરાજસિંહે ટ્વિટ કરી તેમાં લખ્યું કે જે સમયે પરીક્ષા ચાલતી હતી તે સમયે પ્રેસ કોન્ફરન્સ કરી ઉર્જા વિભાગના સિસ્ટમેટીક કૌભાંડ ઉજાગર કરેલ. જે નામો આપેલ હતા એ હવે પકડાય છે. તે સમયે જો એક્શન લીધા હોત તો લિસ્ટ બહું લાંબુ હોત. હજી પણ ઇચ્છાશક્તિ હોય તો  આ ભરતી(જુનિયર આસી. અને જુનિયર એન્જિનિયર) ની CBI દ્વારા તપાસ કરવામાં આવે તો આ ઓનલાઈન_સિસ્ટમેટીક_સ્કેમ માં 300+ એવા લોકો મળશે જે વર્તમાન માં ઊર્જા વિભાગની અલગ અલગ કચેરી માં "ભ્રષ્ટાચાર" થી નોકરી કરતા જોવા મળશે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.