બિપોરજોય બાદ કચ્છને ફરી બેઠું કરવા તંત્રની મદદે આવ્યા લોકો, ખભાથી ખભા મિલાવી લોકોએ બતાવી ખમીરવંતી, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-06-27 09:30:31

સાથી હાથ બઢાના.. એક અકેલા થક જાયેગા મિલ કર બોજ ઉઠાના... ઘણા વર્ષો પહેલા આવેલું આ ગીત આજે પણ આપણને ઘણું બધું સમજાવી જાય છે. જો લોકો એકતા સાથે ખભાથી ખભા મિલાવીને કામ કરે તો અસંભવ લાગતું કામ પણ આસાનીથી પાર પડી જાય. ત્યારે ટીમ વર્ક કોને કહેવાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ કચ્છથી સામે આવ્યું છે. બિપોરજોય વાવાઝોડાને કારણે કચ્છમાં ભારે નુકસાન થયું હતું. કચ્છ જલ્દીથી બેઠું થાય તે માટે તંત્ર દ્વારા તો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ ત્યાંના લોકો પણ એટલા જ ખમીરવંતા છે. વાવાઝોડા દરમિયાન જે વીજપોલ તેમજ વૃક્ષો ધરાશાયી થયા હતા તેને ઉઠાવવામાં લોકો મદદ કરી રહ્યા છે.   

કચ્છને ફરી બેઠું કરવા તંત્રની મદદે આવ્યા લોકો 

થોડા દિવસો પહેલા ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડું ત્રાટક્યું હતું. દરિયાકાંઠા વિસ્તારોને હાઈ એલર્ટ પર મૂકી દેવાયા હતા. વાવાઝોડાને કારણે અનેક વીજપોલ તેમજ વૃક્ષો ધરાશાયી થયા હતા. વાવાઝોડાએ તબાહી સર્જી હતી. બિપોરજોયની અસરમાંથી ધીરે ધીરે જિલ્લાઓ બહાર આવી રહ્યા છે. ત્યારે કચ્છની કાયા બદલવા માટે તંત્ર તો મહેનત કરી રહ્યું છે પરંતુ કચ્છના લોકો પણ ખભેથી ખભા મિલાવીને કામગીરી કરી રહ્યા છે. ગામના યુવાનો તેમજ ઉંમરલાયક લોકો પોતાની ક્ષમતા મુજબ યોગદાન આપી રહ્યા છે.  


વાવાઝોડાના ટેંશન વચ્ચે પણ પીવડાવી હતી ચા 

જમાવટની ટીમ જ્યારે બિપોરજોયનું કવરેજ કરવા ગઈ હતી ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં પણ કચ્છના લોકોએ પોતાની ખમીરવંતીનું ઉદાહરણ પ્રગટ કર્યું હતું. એક તરફ ઘર જમાવટની ટીમને ચા પીવડાવી હતી. એક તરફ તેજ હવા વહી રહી હતી, તેમનું ઘર રહેશે કે નહીં તેની ચિંતા તેમને સતાવી રહી હતી તો બીજી તરફ પોતાની મહેમાન નવાજીનું ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું. વાવાઝોડાની અસર બાદ તેમનું ઘર રહેશે કે નહીં તેની ચિંતા તો હતી પરંતુ ઘરે આવેલા મહેમાનને ચા પાણી કરાયા વગર કેવી રીતે મોકલાય તેની પણ ચિંતા ત્યાંના લોકોને હતી. ત્યારે આવી જ ખુમારી અને જિંદાદિલીને કારણે ગુજરાતી લોકો અલગ જણાઈ આવે છે.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.