બિપોરજોય બાદ કચ્છને ફરી બેઠું કરવા તંત્રની મદદે આવ્યા લોકો, ખભાથી ખભા મિલાવી લોકોએ બતાવી ખમીરવંતી, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-06-27 09:30:31

સાથી હાથ બઢાના.. એક અકેલા થક જાયેગા મિલ કર બોજ ઉઠાના... ઘણા વર્ષો પહેલા આવેલું આ ગીત આજે પણ આપણને ઘણું બધું સમજાવી જાય છે. જો લોકો એકતા સાથે ખભાથી ખભા મિલાવીને કામ કરે તો અસંભવ લાગતું કામ પણ આસાનીથી પાર પડી જાય. ત્યારે ટીમ વર્ક કોને કહેવાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ કચ્છથી સામે આવ્યું છે. બિપોરજોય વાવાઝોડાને કારણે કચ્છમાં ભારે નુકસાન થયું હતું. કચ્છ જલ્દીથી બેઠું થાય તે માટે તંત્ર દ્વારા તો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ ત્યાંના લોકો પણ એટલા જ ખમીરવંતા છે. વાવાઝોડા દરમિયાન જે વીજપોલ તેમજ વૃક્ષો ધરાશાયી થયા હતા તેને ઉઠાવવામાં લોકો મદદ કરી રહ્યા છે.   

કચ્છને ફરી બેઠું કરવા તંત્રની મદદે આવ્યા લોકો 

થોડા દિવસો પહેલા ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડું ત્રાટક્યું હતું. દરિયાકાંઠા વિસ્તારોને હાઈ એલર્ટ પર મૂકી દેવાયા હતા. વાવાઝોડાને કારણે અનેક વીજપોલ તેમજ વૃક્ષો ધરાશાયી થયા હતા. વાવાઝોડાએ તબાહી સર્જી હતી. બિપોરજોયની અસરમાંથી ધીરે ધીરે જિલ્લાઓ બહાર આવી રહ્યા છે. ત્યારે કચ્છની કાયા બદલવા માટે તંત્ર તો મહેનત કરી રહ્યું છે પરંતુ કચ્છના લોકો પણ ખભેથી ખભા મિલાવીને કામગીરી કરી રહ્યા છે. ગામના યુવાનો તેમજ ઉંમરલાયક લોકો પોતાની ક્ષમતા મુજબ યોગદાન આપી રહ્યા છે.  


વાવાઝોડાના ટેંશન વચ્ચે પણ પીવડાવી હતી ચા 

જમાવટની ટીમ જ્યારે બિપોરજોયનું કવરેજ કરવા ગઈ હતી ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં પણ કચ્છના લોકોએ પોતાની ખમીરવંતીનું ઉદાહરણ પ્રગટ કર્યું હતું. એક તરફ ઘર જમાવટની ટીમને ચા પીવડાવી હતી. એક તરફ તેજ હવા વહી રહી હતી, તેમનું ઘર રહેશે કે નહીં તેની ચિંતા તેમને સતાવી રહી હતી તો બીજી તરફ પોતાની મહેમાન નવાજીનું ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું. વાવાઝોડાની અસર બાદ તેમનું ઘર રહેશે કે નહીં તેની ચિંતા તો હતી પરંતુ ઘરે આવેલા મહેમાનને ચા પાણી કરાયા વગર કેવી રીતે મોકલાય તેની પણ ચિંતા ત્યાંના લોકોને હતી. ત્યારે આવી જ ખુમારી અને જિંદાદિલીને કારણે ગુજરાતી લોકો અલગ જણાઈ આવે છે.     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.