બિપોરજોય બાદ કચ્છને ફરી બેઠું કરવા તંત્રની મદદે આવ્યા લોકો, ખભાથી ખભા મિલાવી લોકોએ બતાવી ખમીરવંતી, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-06-27 09:30:31

સાથી હાથ બઢાના.. એક અકેલા થક જાયેગા મિલ કર બોજ ઉઠાના... ઘણા વર્ષો પહેલા આવેલું આ ગીત આજે પણ આપણને ઘણું બધું સમજાવી જાય છે. જો લોકો એકતા સાથે ખભાથી ખભા મિલાવીને કામ કરે તો અસંભવ લાગતું કામ પણ આસાનીથી પાર પડી જાય. ત્યારે ટીમ વર્ક કોને કહેવાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ કચ્છથી સામે આવ્યું છે. બિપોરજોય વાવાઝોડાને કારણે કચ્છમાં ભારે નુકસાન થયું હતું. કચ્છ જલ્દીથી બેઠું થાય તે માટે તંત્ર દ્વારા તો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ ત્યાંના લોકો પણ એટલા જ ખમીરવંતા છે. વાવાઝોડા દરમિયાન જે વીજપોલ તેમજ વૃક્ષો ધરાશાયી થયા હતા તેને ઉઠાવવામાં લોકો મદદ કરી રહ્યા છે.   

કચ્છને ફરી બેઠું કરવા તંત્રની મદદે આવ્યા લોકો 

થોડા દિવસો પહેલા ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડું ત્રાટક્યું હતું. દરિયાકાંઠા વિસ્તારોને હાઈ એલર્ટ પર મૂકી દેવાયા હતા. વાવાઝોડાને કારણે અનેક વીજપોલ તેમજ વૃક્ષો ધરાશાયી થયા હતા. વાવાઝોડાએ તબાહી સર્જી હતી. બિપોરજોયની અસરમાંથી ધીરે ધીરે જિલ્લાઓ બહાર આવી રહ્યા છે. ત્યારે કચ્છની કાયા બદલવા માટે તંત્ર તો મહેનત કરી રહ્યું છે પરંતુ કચ્છના લોકો પણ ખભેથી ખભા મિલાવીને કામગીરી કરી રહ્યા છે. ગામના યુવાનો તેમજ ઉંમરલાયક લોકો પોતાની ક્ષમતા મુજબ યોગદાન આપી રહ્યા છે.  


વાવાઝોડાના ટેંશન વચ્ચે પણ પીવડાવી હતી ચા 

જમાવટની ટીમ જ્યારે બિપોરજોયનું કવરેજ કરવા ગઈ હતી ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં પણ કચ્છના લોકોએ પોતાની ખમીરવંતીનું ઉદાહરણ પ્રગટ કર્યું હતું. એક તરફ ઘર જમાવટની ટીમને ચા પીવડાવી હતી. એક તરફ તેજ હવા વહી રહી હતી, તેમનું ઘર રહેશે કે નહીં તેની ચિંતા તેમને સતાવી રહી હતી તો બીજી તરફ પોતાની મહેમાન નવાજીનું ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું. વાવાઝોડાની અસર બાદ તેમનું ઘર રહેશે કે નહીં તેની ચિંતા તો હતી પરંતુ ઘરે આવેલા મહેમાનને ચા પાણી કરાયા વગર કેવી રીતે મોકલાય તેની પણ ચિંતા ત્યાંના લોકોને હતી. ત્યારે આવી જ ખુમારી અને જિંદાદિલીને કારણે ગુજરાતી લોકો અલગ જણાઈ આવે છે.     



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.