ભાજપ,કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી પણ કરશે પક્ષવિરુદ્ધ કામ કરનાર સામે કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-01-16 14:15:14

ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીએ સંગઠનમાં અનેક ફેરફાર કર્યા છે. જે અંતર્ગત ઈસુદાન ગઢવીને પ્રદેશ અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે. ઉપરાંત ગોપાલ ઈટાલિયાને નેશનલ જોઈન્ટ સેક્રેટરીનું પદ આપવામાં આવ્યું છે. ત્યારે પદભાર સંભાળતા જ ઈસુદાન ગઢવી એક્શન મોડમાં આવી ગયા છે. પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે ચૂંટણીમાં પક્ષવિરોધી કામ કરનાર વિરૂદ્ધ પગલા લેવામાં આવશે.


ઈસુદાન ગઢવીએ સંભાળ્યું પદ 

ગત મહિને ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી જેમાં આમ આદમી પાર્ટીએ 5 સીટો પર જીત હાંસલ કરી હતી. પરંતુ આમ આદમી પાર્ટીના સંગઠનમાં ચૂંટણી બાદ ફેરફાર કરવામાં આવ્યા હતા. જે પદ પહેલા ગોપાલ ઈટાલિયા સંભાળતા હતા તે હવેથી ઈસુદાન ગઢવી સંભાળશે. ઈસુદાન ગઢવીએ પોતાનું પદ સંભાળી લીધું છે. પદ સંભાળ્યા બાદ એક્શન મોડમાં દેખાયા હતા અને પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં અનેક મહત્વપૂર્ણ નિવેદન આપ્યા હતા.


પક્ષવિરૂદ્ધ કામ કરનાર સામે લેવાશે પગલા 

ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી દરમિયાન પક્ષવિરોધી કામ કરનાર વિરૂદ્ધ દંડાત્મક પગલા લીધા છે. જે અંતર્ગત અનેક લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે આ દિશામાં આમ આદમી પાર્ટી પણ ચાલવા જઈ રહી છે. ઈસુદાન ગઢવીએ કહ્યું કે ચૂંટણીમાં પક્ષવિરૂધ કામ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમજ જે લોકો નિષ્ક્રિય રહ્યા છે તેમના વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.