ભાજપ,કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી પણ કરશે પક્ષવિરુદ્ધ કામ કરનાર સામે કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-01-16 14:15:14

ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીએ સંગઠનમાં અનેક ફેરફાર કર્યા છે. જે અંતર્ગત ઈસુદાન ગઢવીને પ્રદેશ અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે. ઉપરાંત ગોપાલ ઈટાલિયાને નેશનલ જોઈન્ટ સેક્રેટરીનું પદ આપવામાં આવ્યું છે. ત્યારે પદભાર સંભાળતા જ ઈસુદાન ગઢવી એક્શન મોડમાં આવી ગયા છે. પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે ચૂંટણીમાં પક્ષવિરોધી કામ કરનાર વિરૂદ્ધ પગલા લેવામાં આવશે.


ઈસુદાન ગઢવીએ સંભાળ્યું પદ 

ગત મહિને ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી જેમાં આમ આદમી પાર્ટીએ 5 સીટો પર જીત હાંસલ કરી હતી. પરંતુ આમ આદમી પાર્ટીના સંગઠનમાં ચૂંટણી બાદ ફેરફાર કરવામાં આવ્યા હતા. જે પદ પહેલા ગોપાલ ઈટાલિયા સંભાળતા હતા તે હવેથી ઈસુદાન ગઢવી સંભાળશે. ઈસુદાન ગઢવીએ પોતાનું પદ સંભાળી લીધું છે. પદ સંભાળ્યા બાદ એક્શન મોડમાં દેખાયા હતા અને પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં અનેક મહત્વપૂર્ણ નિવેદન આપ્યા હતા.


પક્ષવિરૂદ્ધ કામ કરનાર સામે લેવાશે પગલા 

ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી દરમિયાન પક્ષવિરોધી કામ કરનાર વિરૂદ્ધ દંડાત્મક પગલા લીધા છે. જે અંતર્ગત અનેક લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે આ દિશામાં આમ આદમી પાર્ટી પણ ચાલવા જઈ રહી છે. ઈસુદાન ગઢવીએ કહ્યું કે ચૂંટણીમાં પક્ષવિરૂધ કામ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમજ જે લોકો નિષ્ક્રિય રહ્યા છે તેમના વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.