ભાજપ,કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી પણ કરશે પક્ષવિરુદ્ધ કામ કરનાર સામે કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-01-16 14:15:14

ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીએ સંગઠનમાં અનેક ફેરફાર કર્યા છે. જે અંતર્ગત ઈસુદાન ગઢવીને પ્રદેશ અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે. ઉપરાંત ગોપાલ ઈટાલિયાને નેશનલ જોઈન્ટ સેક્રેટરીનું પદ આપવામાં આવ્યું છે. ત્યારે પદભાર સંભાળતા જ ઈસુદાન ગઢવી એક્શન મોડમાં આવી ગયા છે. પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે ચૂંટણીમાં પક્ષવિરોધી કામ કરનાર વિરૂદ્ધ પગલા લેવામાં આવશે.


ઈસુદાન ગઢવીએ સંભાળ્યું પદ 

ગત મહિને ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી જેમાં આમ આદમી પાર્ટીએ 5 સીટો પર જીત હાંસલ કરી હતી. પરંતુ આમ આદમી પાર્ટીના સંગઠનમાં ચૂંટણી બાદ ફેરફાર કરવામાં આવ્યા હતા. જે પદ પહેલા ગોપાલ ઈટાલિયા સંભાળતા હતા તે હવેથી ઈસુદાન ગઢવી સંભાળશે. ઈસુદાન ગઢવીએ પોતાનું પદ સંભાળી લીધું છે. પદ સંભાળ્યા બાદ એક્શન મોડમાં દેખાયા હતા અને પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં અનેક મહત્વપૂર્ણ નિવેદન આપ્યા હતા.


પક્ષવિરૂદ્ધ કામ કરનાર સામે લેવાશે પગલા 

ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી દરમિયાન પક્ષવિરોધી કામ કરનાર વિરૂદ્ધ દંડાત્મક પગલા લીધા છે. જે અંતર્ગત અનેક લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે આ દિશામાં આમ આદમી પાર્ટી પણ ચાલવા જઈ રહી છે. ઈસુદાન ગઢવીએ કહ્યું કે ચૂંટણીમાં પક્ષવિરૂધ કામ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમજ જે લોકો નિષ્ક્રિય રહ્યા છે તેમના વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. 



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .