ભાજપ બાદ કોંગ્રેસ આજે જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો!કોંગ્રેસ શું આપશે મતદારોને વચનો? જાણો ભાજપે શું આપ્યા છે વચનો?


  • Published By :
  • Published Date : 2023-05-02 09:36:38

કર્ણાટકમાં ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગઈકાલે ભાજપ દ્વારા ઘોષણા પત્ર જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે આજે કોંગ્રેસ પણ ઘોષણા પત્ર જાહેર કરવાની છે. ભાજપે અનેક વાયદાઓ કર્યા છે પોતાના ચૂંટણી ઢંઢેરામાં. કર્ણાટકમાં અનેક નેતાઓએ પ્રચાર કરી રહ્યા છે. 


કોંગ્રેસ ઘોષણા પત્ર કરશે જાહેર!     

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ વર્ષે અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. કર્ણાટકમાં થોડા દિવસો બાદ મતદાન થવાનું છે. ત્યારે મતદારોને રિઝવવા માટે દરેક રાજકીય પાર્ટી પ્રયાસ કરી રહી છે. જેમ જેમ ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ પ્રચાર કરવા માટે દિગ્ગજ નેતાઓ કર્ણાટકના પ્રવાસે જઈ રહ્યા છે. ભાજપ દ્વારા ગઈ કાલે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે આજે કોંગ્રેસ દ્વારા ઘોષણા પત્ર જાહેર કરવામાં આવવાનો છે. 


દિગ્ગજ નેતાઓ કર્ણાટકમાં કરી રહ્યા છે પ્રચાર! 

ભાજપ માટે પ્રચાર કરવા વડાપ્રધાન પોતે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. મળતી માહિતી અનુસાર વડાપ્રધાન અનેક રેલીઓ તેમજ જનસભા સંબોધવાના છે. તે સિવાય કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા પણ પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે પ્રચાર કરી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા ઘોષણા પત્ર જાહેર કરવામાં  આવશે તે દરમિયાન પ્રિયંકા ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગે હાજર રહી શકે છે. 


ભાજપ દ્વારા કરવામાં આવ્યા અનેક વાયદા!

મતદારોને રિઝવવા માટે ભાજપે કર્ણાટકમાં 10 લાખ નોકરી આપવાનો વાયદો કર્યો છે. તે સિવાય બીપીએલ પરિવારને ત્રણ ગેસ સિલિન્ડર મફત આપવાની વાત કરી છે. તેમજ નગર નિગમના દરેક વોર્ડમાં અટલ આહાર કેન્દ્ર ખોલવાનું વચન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. તે ઉપરાંત યુનિફોર્મ સિવિલ કોર્ડને લઈ પણ  જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવી હતી. તે સિવાય ખેડૂતો માટે પણ જાહેરાત કરવામાં  આવી હતી. ત્યારે જોવાનું એ રહ્યું કે કોંગ્રેસ મતદારોને શું વાયદાઓ કરે છે?      




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.