ભાજપ બાદ કોંગ્રેસ આજે જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો!કોંગ્રેસ શું આપશે મતદારોને વચનો? જાણો ભાજપે શું આપ્યા છે વચનો?


  • Published By :
  • Published Date : 2023-05-02 09:36:38

કર્ણાટકમાં ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગઈકાલે ભાજપ દ્વારા ઘોષણા પત્ર જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે આજે કોંગ્રેસ પણ ઘોષણા પત્ર જાહેર કરવાની છે. ભાજપે અનેક વાયદાઓ કર્યા છે પોતાના ચૂંટણી ઢંઢેરામાં. કર્ણાટકમાં અનેક નેતાઓએ પ્રચાર કરી રહ્યા છે. 


કોંગ્રેસ ઘોષણા પત્ર કરશે જાહેર!     

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ વર્ષે અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. કર્ણાટકમાં થોડા દિવસો બાદ મતદાન થવાનું છે. ત્યારે મતદારોને રિઝવવા માટે દરેક રાજકીય પાર્ટી પ્રયાસ કરી રહી છે. જેમ જેમ ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ પ્રચાર કરવા માટે દિગ્ગજ નેતાઓ કર્ણાટકના પ્રવાસે જઈ રહ્યા છે. ભાજપ દ્વારા ગઈ કાલે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે આજે કોંગ્રેસ દ્વારા ઘોષણા પત્ર જાહેર કરવામાં આવવાનો છે. 


દિગ્ગજ નેતાઓ કર્ણાટકમાં કરી રહ્યા છે પ્રચાર! 

ભાજપ માટે પ્રચાર કરવા વડાપ્રધાન પોતે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. મળતી માહિતી અનુસાર વડાપ્રધાન અનેક રેલીઓ તેમજ જનસભા સંબોધવાના છે. તે સિવાય કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા પણ પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે પ્રચાર કરી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા ઘોષણા પત્ર જાહેર કરવામાં  આવશે તે દરમિયાન પ્રિયંકા ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગે હાજર રહી શકે છે. 


ભાજપ દ્વારા કરવામાં આવ્યા અનેક વાયદા!

મતદારોને રિઝવવા માટે ભાજપે કર્ણાટકમાં 10 લાખ નોકરી આપવાનો વાયદો કર્યો છે. તે સિવાય બીપીએલ પરિવારને ત્રણ ગેસ સિલિન્ડર મફત આપવાની વાત કરી છે. તેમજ નગર નિગમના દરેક વોર્ડમાં અટલ આહાર કેન્દ્ર ખોલવાનું વચન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. તે ઉપરાંત યુનિફોર્મ સિવિલ કોર્ડને લઈ પણ  જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવી હતી. તે સિવાય ખેડૂતો માટે પણ જાહેરાત કરવામાં  આવી હતી. ત્યારે જોવાનું એ રહ્યું કે કોંગ્રેસ મતદારોને શું વાયદાઓ કરે છે?      




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.