Corona બાદ Heart Attack પ્રાણઘાતક સાબિત થઈ રહ્યો છે! Rajkotમાં વધુ એક યુવાનનું અચાનક થયું મૃત્યુ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-16 11:34:41

હાર્ટ એટેકને કારણે અનેક યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ન માત્ર યુવાનો માટે હાર્ટ એટેક પ્રાણઘાતક સાબિત થઈ રહ્યો છે પરંતુ નાના બાળકો, સ્કૂલમાં ભણતા બાળકોના મોત પણ હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. રાજકોટથી તો અવાર-નવાર સમાચાર આવતા હોય છે હાર્ટ એટેકના. છેલ્લા થોડા દિવસોની અંદર જ રાજકોટમાં રહેતા અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગઈકાલે પણ બે લોકો મોતને ભેટ્યા છે ત્યારે વધુ એક કિસ્સો હાર્ટ એટેકનો સામે આવ્યો છે. રાજકોટમાં 33 વર્ષીય યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે તેવી આશંકા પરિવારના સભ્યો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.


રાજ્યમાં નાની ઉંમરે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત, રાજકોટમાં 33 વર્ષના યુવકનું મોત

આજે વધુ એક યુવાનો ગુમાવ્યો હાર્ટ એટેકને કારણે જીવ 

યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ બનવા સામાન્ય બની ગયા છે. અનેક યુવાનો મોતને ભેટ્યા છે હાર્ટ એટેકને કારણે. રાજકોટમાં 33 વર્ષનાં રાજકુમાર આહુજાનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. ગીતગુજરી સોસાયટીમાં યુવક રહેતો હતો. રાત્રિના સમયે અચાનક યુવાન બેભાન થઈ ગયો હતો. બેભાન થયા બાદ તાત્કાલીક રાજુકમારને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે હોસ્પિટલના ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. મહત્વનું છે કે ગઈકાલે પણ હાર્ટ એટેકના બે કિસ્સાઓ સામે આવ્યા હતા. એક સુરતથી અને બીજો વડોદરાથી કિસ્સો સામે આવ્યો હતો. યુવાનોના અચાનક મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક છે. 


થોડા દિવસોની અંદર અનેક લોકોએ ગુમાવ્યો છે જીવ  

રાજ્યમાં હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. લોકો ક્રિકેટ રમતા, તો કોઈ ડાન્સ કરતા મોતને વ્હાલુ થાય છે. કોઈનું કસરત કરતા -કરતા હ્રદય બંધ થઈ રહ્યું છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં ગરબા રમતા રમતા યુવાનોના મોત થઈ રહ્યા છે. ગઈકાલે વડોદરા અને સુરતથી બે હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવી હતી. બે યુવકોના મોત થયા છે. પરિવાર ભલે અલગ અલગ હોય પરંતુ પરિવારજનને ગુમાવવાનો ગમ એક સરખો હોય છે. પરિવાર પર આભ ફાટી જાય છે. ત્યારે આજે વધુ એક યુવાનનું મોત થયું છે. નવરાત્રી પર્વ અનેક પરિવારો માટે અશુભ સાબિત થયા છે.   


ગઈકાલે બે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા 

સુરતના ઇચ્છાપોરમાં એક યુવકનું મોત થયું છે, ઇચ્છાપોરમાં નવરાત્રી માટે માતાજીની મૂર્તિ લેવા ગયેલા 28 વર્ષીય યુવાનનું છાતીમાં દુઃખાવા બાદ મોત થયું છે. આ યુવકને હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા છે. મૃતક યુવક અમર કિશોર રાઠોડ હીરા કંપનીમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. મૃતકને પરણિત છે અને સંતાનમાં એક પુત્રી છે. યુવકના મોતના પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મળતી માહિતી અનુસાર યુવાન રાત્રે 3.20 વાગ્યાની આસપાસ બેભાન થયો હતો. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તે પહેલા જ તેનો જીવ જતો રહ્યો હતો. પરિવારને આશંકા છે કે યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.