Corona બાદ Heart Attack પ્રાણઘાતક સાબિત થઈ રહ્યો છે! Rajkotમાં વધુ એક યુવાનનું અચાનક થયું મૃત્યુ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-16 11:34:41

હાર્ટ એટેકને કારણે અનેક યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ન માત્ર યુવાનો માટે હાર્ટ એટેક પ્રાણઘાતક સાબિત થઈ રહ્યો છે પરંતુ નાના બાળકો, સ્કૂલમાં ભણતા બાળકોના મોત પણ હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. રાજકોટથી તો અવાર-નવાર સમાચાર આવતા હોય છે હાર્ટ એટેકના. છેલ્લા થોડા દિવસોની અંદર જ રાજકોટમાં રહેતા અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગઈકાલે પણ બે લોકો મોતને ભેટ્યા છે ત્યારે વધુ એક કિસ્સો હાર્ટ એટેકનો સામે આવ્યો છે. રાજકોટમાં 33 વર્ષીય યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે તેવી આશંકા પરિવારના સભ્યો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.


રાજ્યમાં નાની ઉંમરે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત, રાજકોટમાં 33 વર્ષના યુવકનું મોત

આજે વધુ એક યુવાનો ગુમાવ્યો હાર્ટ એટેકને કારણે જીવ 

યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ બનવા સામાન્ય બની ગયા છે. અનેક યુવાનો મોતને ભેટ્યા છે હાર્ટ એટેકને કારણે. રાજકોટમાં 33 વર્ષનાં રાજકુમાર આહુજાનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. ગીતગુજરી સોસાયટીમાં યુવક રહેતો હતો. રાત્રિના સમયે અચાનક યુવાન બેભાન થઈ ગયો હતો. બેભાન થયા બાદ તાત્કાલીક રાજુકમારને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે હોસ્પિટલના ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. મહત્વનું છે કે ગઈકાલે પણ હાર્ટ એટેકના બે કિસ્સાઓ સામે આવ્યા હતા. એક સુરતથી અને બીજો વડોદરાથી કિસ્સો સામે આવ્યો હતો. યુવાનોના અચાનક મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક છે. 


થોડા દિવસોની અંદર અનેક લોકોએ ગુમાવ્યો છે જીવ  

રાજ્યમાં હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. લોકો ક્રિકેટ રમતા, તો કોઈ ડાન્સ કરતા મોતને વ્હાલુ થાય છે. કોઈનું કસરત કરતા -કરતા હ્રદય બંધ થઈ રહ્યું છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં ગરબા રમતા રમતા યુવાનોના મોત થઈ રહ્યા છે. ગઈકાલે વડોદરા અને સુરતથી બે હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવી હતી. બે યુવકોના મોત થયા છે. પરિવાર ભલે અલગ અલગ હોય પરંતુ પરિવારજનને ગુમાવવાનો ગમ એક સરખો હોય છે. પરિવાર પર આભ ફાટી જાય છે. ત્યારે આજે વધુ એક યુવાનનું મોત થયું છે. નવરાત્રી પર્વ અનેક પરિવારો માટે અશુભ સાબિત થયા છે.   


ગઈકાલે બે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા 

સુરતના ઇચ્છાપોરમાં એક યુવકનું મોત થયું છે, ઇચ્છાપોરમાં નવરાત્રી માટે માતાજીની મૂર્તિ લેવા ગયેલા 28 વર્ષીય યુવાનનું છાતીમાં દુઃખાવા બાદ મોત થયું છે. આ યુવકને હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા છે. મૃતક યુવક અમર કિશોર રાઠોડ હીરા કંપનીમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. મૃતકને પરણિત છે અને સંતાનમાં એક પુત્રી છે. યુવકના મોતના પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મળતી માહિતી અનુસાર યુવાન રાત્રે 3.20 વાગ્યાની આસપાસ બેભાન થયો હતો. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તે પહેલા જ તેનો જીવ જતો રહ્યો હતો. પરિવારને આશંકા છે કે યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.  




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.