Corona બાદ Heart Attack પ્રાણઘાતક સાબિત થઈ રહ્યો છે! Rajkotમાં વધુ એક યુવાનનું અચાનક થયું મૃત્યુ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-16 11:34:41

હાર્ટ એટેકને કારણે અનેક યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ન માત્ર યુવાનો માટે હાર્ટ એટેક પ્રાણઘાતક સાબિત થઈ રહ્યો છે પરંતુ નાના બાળકો, સ્કૂલમાં ભણતા બાળકોના મોત પણ હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. રાજકોટથી તો અવાર-નવાર સમાચાર આવતા હોય છે હાર્ટ એટેકના. છેલ્લા થોડા દિવસોની અંદર જ રાજકોટમાં રહેતા અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગઈકાલે પણ બે લોકો મોતને ભેટ્યા છે ત્યારે વધુ એક કિસ્સો હાર્ટ એટેકનો સામે આવ્યો છે. રાજકોટમાં 33 વર્ષીય યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે તેવી આશંકા પરિવારના સભ્યો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.


રાજ્યમાં નાની ઉંમરે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત, રાજકોટમાં 33 વર્ષના યુવકનું મોત

આજે વધુ એક યુવાનો ગુમાવ્યો હાર્ટ એટેકને કારણે જીવ 

યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ બનવા સામાન્ય બની ગયા છે. અનેક યુવાનો મોતને ભેટ્યા છે હાર્ટ એટેકને કારણે. રાજકોટમાં 33 વર્ષનાં રાજકુમાર આહુજાનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. ગીતગુજરી સોસાયટીમાં યુવક રહેતો હતો. રાત્રિના સમયે અચાનક યુવાન બેભાન થઈ ગયો હતો. બેભાન થયા બાદ તાત્કાલીક રાજુકમારને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે હોસ્પિટલના ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. મહત્વનું છે કે ગઈકાલે પણ હાર્ટ એટેકના બે કિસ્સાઓ સામે આવ્યા હતા. એક સુરતથી અને બીજો વડોદરાથી કિસ્સો સામે આવ્યો હતો. યુવાનોના અચાનક મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક છે. 


થોડા દિવસોની અંદર અનેક લોકોએ ગુમાવ્યો છે જીવ  

રાજ્યમાં હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. લોકો ક્રિકેટ રમતા, તો કોઈ ડાન્સ કરતા મોતને વ્હાલુ થાય છે. કોઈનું કસરત કરતા -કરતા હ્રદય બંધ થઈ રહ્યું છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં ગરબા રમતા રમતા યુવાનોના મોત થઈ રહ્યા છે. ગઈકાલે વડોદરા અને સુરતથી બે હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવી હતી. બે યુવકોના મોત થયા છે. પરિવાર ભલે અલગ અલગ હોય પરંતુ પરિવારજનને ગુમાવવાનો ગમ એક સરખો હોય છે. પરિવાર પર આભ ફાટી જાય છે. ત્યારે આજે વધુ એક યુવાનનું મોત થયું છે. નવરાત્રી પર્વ અનેક પરિવારો માટે અશુભ સાબિત થયા છે.   


ગઈકાલે બે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા 

સુરતના ઇચ્છાપોરમાં એક યુવકનું મોત થયું છે, ઇચ્છાપોરમાં નવરાત્રી માટે માતાજીની મૂર્તિ લેવા ગયેલા 28 વર્ષીય યુવાનનું છાતીમાં દુઃખાવા બાદ મોત થયું છે. આ યુવકને હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા છે. મૃતક યુવક અમર કિશોર રાઠોડ હીરા કંપનીમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. મૃતકને પરણિત છે અને સંતાનમાં એક પુત્રી છે. યુવકના મોતના પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મળતી માહિતી અનુસાર યુવાન રાત્રે 3.20 વાગ્યાની આસપાસ બેભાન થયો હતો. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તે પહેલા જ તેનો જીવ જતો રહ્યો હતો. પરિવારને આશંકા છે કે યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.  




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી