Corona બાદ Heart Attack પ્રાણઘાતક સાબિત થઈ રહ્યો છે! Rajkotમાં વધુ એક યુવાનનું અચાનક થયું મૃત્યુ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-16 11:34:41

હાર્ટ એટેકને કારણે અનેક યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ન માત્ર યુવાનો માટે હાર્ટ એટેક પ્રાણઘાતક સાબિત થઈ રહ્યો છે પરંતુ નાના બાળકો, સ્કૂલમાં ભણતા બાળકોના મોત પણ હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. રાજકોટથી તો અવાર-નવાર સમાચાર આવતા હોય છે હાર્ટ એટેકના. છેલ્લા થોડા દિવસોની અંદર જ રાજકોટમાં રહેતા અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગઈકાલે પણ બે લોકો મોતને ભેટ્યા છે ત્યારે વધુ એક કિસ્સો હાર્ટ એટેકનો સામે આવ્યો છે. રાજકોટમાં 33 વર્ષીય યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે તેવી આશંકા પરિવારના સભ્યો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.


રાજ્યમાં નાની ઉંમરે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત, રાજકોટમાં 33 વર્ષના યુવકનું મોત

આજે વધુ એક યુવાનો ગુમાવ્યો હાર્ટ એટેકને કારણે જીવ 

યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ બનવા સામાન્ય બની ગયા છે. અનેક યુવાનો મોતને ભેટ્યા છે હાર્ટ એટેકને કારણે. રાજકોટમાં 33 વર્ષનાં રાજકુમાર આહુજાનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. ગીતગુજરી સોસાયટીમાં યુવક રહેતો હતો. રાત્રિના સમયે અચાનક યુવાન બેભાન થઈ ગયો હતો. બેભાન થયા બાદ તાત્કાલીક રાજુકમારને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે હોસ્પિટલના ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. મહત્વનું છે કે ગઈકાલે પણ હાર્ટ એટેકના બે કિસ્સાઓ સામે આવ્યા હતા. એક સુરતથી અને બીજો વડોદરાથી કિસ્સો સામે આવ્યો હતો. યુવાનોના અચાનક મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક છે. 


થોડા દિવસોની અંદર અનેક લોકોએ ગુમાવ્યો છે જીવ  

રાજ્યમાં હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. લોકો ક્રિકેટ રમતા, તો કોઈ ડાન્સ કરતા મોતને વ્હાલુ થાય છે. કોઈનું કસરત કરતા -કરતા હ્રદય બંધ થઈ રહ્યું છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં ગરબા રમતા રમતા યુવાનોના મોત થઈ રહ્યા છે. ગઈકાલે વડોદરા અને સુરતથી બે હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવી હતી. બે યુવકોના મોત થયા છે. પરિવાર ભલે અલગ અલગ હોય પરંતુ પરિવારજનને ગુમાવવાનો ગમ એક સરખો હોય છે. પરિવાર પર આભ ફાટી જાય છે. ત્યારે આજે વધુ એક યુવાનનું મોત થયું છે. નવરાત્રી પર્વ અનેક પરિવારો માટે અશુભ સાબિત થયા છે.   


ગઈકાલે બે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા 

સુરતના ઇચ્છાપોરમાં એક યુવકનું મોત થયું છે, ઇચ્છાપોરમાં નવરાત્રી માટે માતાજીની મૂર્તિ લેવા ગયેલા 28 વર્ષીય યુવાનનું છાતીમાં દુઃખાવા બાદ મોત થયું છે. આ યુવકને હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા છે. મૃતક યુવક અમર કિશોર રાઠોડ હીરા કંપનીમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. મૃતકને પરણિત છે અને સંતાનમાં એક પુત્રી છે. યુવકના મોતના પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મળતી માહિતી અનુસાર યુવાન રાત્રે 3.20 વાગ્યાની આસપાસ બેભાન થયો હતો. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તે પહેલા જ તેનો જીવ જતો રહ્યો હતો. પરિવારને આશંકા છે કે યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.