ગુજરાતીઓ હવે પહેલાની જેમ ગરબે રમશે... એ હાલો!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:48:34


ગુજરાત અને ગરબા બંને એક બીજાના પૂરક છે તેવું કહેવું અતિશયોક્તિ નથી. ગુજરાત સહિત અન્ય રાજ્યો પણ રાહ જોતા હોય છે તે તહેવાર એટલે કે નવરાત્રિ. ટૂંક સમયમાં નવરાત્રિનો પાવન પર્વ આવી રહ્યો છે. નવરાત્રિ મામલે ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી છે કે હવેથી નવ શક્તિ પીઠ પર ગરબાનું આયોજન કરી શકાશે. 



કોરોનાના કારણે 2 વર્ષથી ગુજરાતીઓ ગરબા રમવા માટે થનગની રહ્યા છે. ગુજરાત સરકારે હવે અંબાજી, બહુચરાજી અને પાવાગઢ સહિતના 9 શક્તિ મંદિર પર ગરબાનું આયોજન કરવા માટે મંજૂરી આપી દીધી છે.


અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પણ ગરબાનું ભવ્ય આયોજન કરી શકાશે. આગામી 26 સપ્ટેમ્બરથી નવરાત્રિ આવી રહી છે ત્યારે ગુજરાતીઓએ દાંડિયા સાથે ગરબા રમવા માટે તૈયાર છે. કોરોનાના કારણે બંધ ગરબા પર પણ ગુજરાત સરકારે આદેશ કર્યો છે કે સામાન્ય સ્થિતિમાં ગરબાનું આયોજન કરી શકાશે.  




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .