ગુજરાતીઓ હવે પહેલાની જેમ ગરબે રમશે... એ હાલો!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:48:34


ગુજરાત અને ગરબા બંને એક બીજાના પૂરક છે તેવું કહેવું અતિશયોક્તિ નથી. ગુજરાત સહિત અન્ય રાજ્યો પણ રાહ જોતા હોય છે તે તહેવાર એટલે કે નવરાત્રિ. ટૂંક સમયમાં નવરાત્રિનો પાવન પર્વ આવી રહ્યો છે. નવરાત્રિ મામલે ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી છે કે હવેથી નવ શક્તિ પીઠ પર ગરબાનું આયોજન કરી શકાશે. 



કોરોનાના કારણે 2 વર્ષથી ગુજરાતીઓ ગરબા રમવા માટે થનગની રહ્યા છે. ગુજરાત સરકારે હવે અંબાજી, બહુચરાજી અને પાવાગઢ સહિતના 9 શક્તિ મંદિર પર ગરબાનું આયોજન કરવા માટે મંજૂરી આપી દીધી છે.


અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પણ ગરબાનું ભવ્ય આયોજન કરી શકાશે. આગામી 26 સપ્ટેમ્બરથી નવરાત્રિ આવી રહી છે ત્યારે ગુજરાતીઓએ દાંડિયા સાથે ગરબા રમવા માટે તૈયાર છે. કોરોનાના કારણે બંધ ગરબા પર પણ ગુજરાત સરકારે આદેશ કર્યો છે કે સામાન્ય સ્થિતિમાં ગરબાનું આયોજન કરી શકાશે.  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.