ગોપાલ ઇટાલિયા બાદ હવે અરવિંદ કેજરીવાલના જૂના વિડીયો વાયરલ થયા !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 19:54:19

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે એક બાદ એક નેતાઓના વિડિયો વાઇરલ થઈ રહ્યા છે. અને ગુજરાતમાં માંનો જૂન વિડિયો વાઇરલ કરવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. ત્યારે પહેલા રાજેન્દ્ર પાલ ગૌતમ ત્યાર બાદ ગોપાલ ઇટાલિયા બાદ હવે અરવિંદ કેજરીવાલનો પણ વિડીયો શેર કરવામાં આવ્યો છે.


કયો વિડિયો થયો વાઇરલ !!!!!

ચૂંટણી નજીક આવતા જુના વિડીયો શેર થવા લાગ્યા છે જેમાં આમ આદમી પાર્ટી દિલ્હીમાં રાજેન્દ્ર પાલ ગૌતમનું રાજીનામું પણ લેવામાં આવ્યું હતું. ત્યારે બાદ ગોપાલ ઇટાલિયાના પણ વિડીયો વાઇરલ થયા જેમાં ઇટાલિયાની દિલ્હીમાં પૂછપરછ થઈ અને હવે ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ વિડીયો ટ્વિટર પર શેર કર્યો છે અને કહ્યું કે કેજરીવાલે ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે “દેશદ્રોહી” જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તમે એક નજર નાખો હવે કેજરીવાલે શું જવાબ આપવાનો છે? અને આ વિડિયોમાં અરવિંદ કેજરીવાલ બોલે છે કે  મોદીએ આતંકવાદી સાથે સેટિંગ કર્યું છે. હવે તેની પોલ ખોલવાની જરૂરૂ છે. મોદી દેશદ્રોહી છે.





સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"