ગોપાલ ઇટાલિયા બાદ હવે અરવિંદ કેજરીવાલના જૂના વિડીયો વાયરલ થયા !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 19:54:19

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે એક બાદ એક નેતાઓના વિડિયો વાઇરલ થઈ રહ્યા છે. અને ગુજરાતમાં માંનો જૂન વિડિયો વાઇરલ કરવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. ત્યારે પહેલા રાજેન્દ્ર પાલ ગૌતમ ત્યાર બાદ ગોપાલ ઇટાલિયા બાદ હવે અરવિંદ કેજરીવાલનો પણ વિડીયો શેર કરવામાં આવ્યો છે.


કયો વિડિયો થયો વાઇરલ !!!!!

ચૂંટણી નજીક આવતા જુના વિડીયો શેર થવા લાગ્યા છે જેમાં આમ આદમી પાર્ટી દિલ્હીમાં રાજેન્દ્ર પાલ ગૌતમનું રાજીનામું પણ લેવામાં આવ્યું હતું. ત્યારે બાદ ગોપાલ ઇટાલિયાના પણ વિડીયો વાઇરલ થયા જેમાં ઇટાલિયાની દિલ્હીમાં પૂછપરછ થઈ અને હવે ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ વિડીયો ટ્વિટર પર શેર કર્યો છે અને કહ્યું કે કેજરીવાલે ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે “દેશદ્રોહી” જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તમે એક નજર નાખો હવે કેજરીવાલે શું જવાબ આપવાનો છે? અને આ વિડિયોમાં અરવિંદ કેજરીવાલ બોલે છે કે  મોદીએ આતંકવાદી સાથે સેટિંગ કર્યું છે. હવે તેની પોલ ખોલવાની જરૂરૂ છે. મોદી દેશદ્રોહી છે.





પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.