ગોપાલ ઇટાલિયા બાદ હવે અરવિંદ કેજરીવાલના જૂના વિડીયો વાયરલ થયા !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 19:54:19

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે એક બાદ એક નેતાઓના વિડિયો વાઇરલ થઈ રહ્યા છે. અને ગુજરાતમાં માંનો જૂન વિડિયો વાઇરલ કરવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. ત્યારે પહેલા રાજેન્દ્ર પાલ ગૌતમ ત્યાર બાદ ગોપાલ ઇટાલિયા બાદ હવે અરવિંદ કેજરીવાલનો પણ વિડીયો શેર કરવામાં આવ્યો છે.


કયો વિડિયો થયો વાઇરલ !!!!!

ચૂંટણી નજીક આવતા જુના વિડીયો શેર થવા લાગ્યા છે જેમાં આમ આદમી પાર્ટી દિલ્હીમાં રાજેન્દ્ર પાલ ગૌતમનું રાજીનામું પણ લેવામાં આવ્યું હતું. ત્યારે બાદ ગોપાલ ઇટાલિયાના પણ વિડીયો વાઇરલ થયા જેમાં ઇટાલિયાની દિલ્હીમાં પૂછપરછ થઈ અને હવે ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ વિડીયો ટ્વિટર પર શેર કર્યો છે અને કહ્યું કે કેજરીવાલે ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે “દેશદ્રોહી” જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તમે એક નજર નાખો હવે કેજરીવાલે શું જવાબ આપવાનો છે? અને આ વિડિયોમાં અરવિંદ કેજરીવાલ બોલે છે કે  મોદીએ આતંકવાદી સાથે સેટિંગ કર્યું છે. હવે તેની પોલ ખોલવાની જરૂરૂ છે. મોદી દેશદ્રોહી છે.





ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .