લાહોરમાં આપેલા નિવેદન બાદ જાવેદ અખ્તરે કહ્યું કે, ભારત પરત ફર્યો ત્યારે મને લાગ્યું કે હું વર્લ્ડ વોર 3 જીતી ગયો છું


  • Published By :
  • Published Date : 2023-02-25 15:47:46

પાકિસ્તાનમાં આયોજીત એક કાર્યક્રમમાં બોલિવુડના ગીતકાર જાવેદ અખ્તર સામેલ થયા હતા જેમાં તેમણે પાકિસ્તાન પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. લાહોરમાં આયોજીત ફૈઝ ફેસ્વિટલમાં સામેલ થયા બાદ 26 નવેમ્બરના રોજ મુંબઈ પર થયેલા આતંકી હુમલાને લઈ પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. પાકિસ્તાન આતંકીઓને આશરો આપી રહ્યું છે તે વાતની નિંદા કરી હતી. ત્યારે ફરી એક વખત જાવેદ અખ્તર ચર્ચામાં આવ્યા છે. પાકિસ્તાનના પ્રવાસ બાદ તેમણે એક ચેનલમાં ઈન્ટરવ્યુ આપ્યો હતો જેમાં તેમણે કહ્યું કે જ્યારે તે પાકિસ્તાનથી પાછા ફર્યા ત્યારે લોકોની પ્રતિક્રિયા એવી હતી કે જાણે તે ત્રીજું વિશ્વયુદ્ધ જીતીને આવ્યા હોય.


લાહોર જઈ 26-11 હુમલાનો કર્યો હતો ઉલ્લેખ  

લાહોરમાં આયોજીત ફેઝ ફેસ્ટિવલથી પાછા આવ્યા બાદ જાવેદ અખ્તર ચર્ચામાં આવ્યા છે. ફેસ્ટિવલમાં મુબંઈમાં થયેલા 26-11 આતંકી હુમલાની નિંદા કરી હતી. હુમલાની નિંદા કરતા તેમણે કહ્યું કે આ હુમલો કરનારા લોકો હજુ પણ તમારા દેશમાં આઝાદીથી ફરે છે અને આ ફરિયાદ દરેક ભારતીયના દિલમાં છે પણ આ વાત સાંભળીને તમને ખરાબ ન લાગવું જોઈએ. આ વાત જ્યારે જાવેદ અખ્તર કહી રહ્યા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોએ તાળીઓ પાડી હતી. પરંતુ આ નિવેદન બાદ તેમની ટિકાઓ પણ થવા લાગી હતી. ત્યારે આ નિવેદન બાદ ફરી જાવેદ અખ્તર ચર્ચામાં આવ્યા છે. 

    

ત્રીજું વિશ્વ યુદ્ધ જીતીને આવ્યો છું - જાવેદ અખ્તર 

પાકિસ્તાનના પ્રવાસથી પરત આવ્યા બાદ જાવેદ અખ્તરે એક ખાનગી ન્યુઝ ચેનલમાં હાજરી આપી હતી જેને કારણે ફરી તેઓ ચર્ચામાં આવ્યા છે. 24 ફેબ્રુઆરીના રોજ આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાકિસ્તાની પ્રવાસની વાત કરતા તેમણે કહ્યું કે કોઈ પણ દેશ ધર્મથી નથી બનતો, પહેલી વાત એ છે કે પાકિસ્તાન દેશ બનવો જોઈએ જ નહીં. પાકિસ્તાનનું બનવુંએ માનવ ઈતિહાસની સૌથી મોટી ભૂલ છે. જો કોઈ પુસ્તક લખવામાં આવે કે માણસે તેના ઈતિહાસમાં એવી 10 ભૂલો શું કરી છે, તો તેમાં પાકિસ્તાન પણ એક હશે. જાવેદ અખ્તરે કહ્યું હતું કે જ્યારે તે પાકિસ્તાનથી પાછા ફર્યા ત્યારે લોકોની પ્રતિક્રિયા એવી હતી કે જાણે તે ત્રીજું વિશ્વયુદ્ધ જીતીને આવ્યા હોય. મને ઘણા કોલ્સ અને મેસેજ આવવા લાગ્યા હતા. 




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.