લાહોરમાં આપેલા નિવેદન બાદ જાવેદ અખ્તરે કહ્યું કે, ભારત પરત ફર્યો ત્યારે મને લાગ્યું કે હું વર્લ્ડ વોર 3 જીતી ગયો છું


  • Published By :
  • Published Date : 2023-02-25 15:47:46

પાકિસ્તાનમાં આયોજીત એક કાર્યક્રમમાં બોલિવુડના ગીતકાર જાવેદ અખ્તર સામેલ થયા હતા જેમાં તેમણે પાકિસ્તાન પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. લાહોરમાં આયોજીત ફૈઝ ફેસ્વિટલમાં સામેલ થયા બાદ 26 નવેમ્બરના રોજ મુંબઈ પર થયેલા આતંકી હુમલાને લઈ પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. પાકિસ્તાન આતંકીઓને આશરો આપી રહ્યું છે તે વાતની નિંદા કરી હતી. ત્યારે ફરી એક વખત જાવેદ અખ્તર ચર્ચામાં આવ્યા છે. પાકિસ્તાનના પ્રવાસ બાદ તેમણે એક ચેનલમાં ઈન્ટરવ્યુ આપ્યો હતો જેમાં તેમણે કહ્યું કે જ્યારે તે પાકિસ્તાનથી પાછા ફર્યા ત્યારે લોકોની પ્રતિક્રિયા એવી હતી કે જાણે તે ત્રીજું વિશ્વયુદ્ધ જીતીને આવ્યા હોય.


લાહોર જઈ 26-11 હુમલાનો કર્યો હતો ઉલ્લેખ  

લાહોરમાં આયોજીત ફેઝ ફેસ્ટિવલથી પાછા આવ્યા બાદ જાવેદ અખ્તર ચર્ચામાં આવ્યા છે. ફેસ્ટિવલમાં મુબંઈમાં થયેલા 26-11 આતંકી હુમલાની નિંદા કરી હતી. હુમલાની નિંદા કરતા તેમણે કહ્યું કે આ હુમલો કરનારા લોકો હજુ પણ તમારા દેશમાં આઝાદીથી ફરે છે અને આ ફરિયાદ દરેક ભારતીયના દિલમાં છે પણ આ વાત સાંભળીને તમને ખરાબ ન લાગવું જોઈએ. આ વાત જ્યારે જાવેદ અખ્તર કહી રહ્યા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોએ તાળીઓ પાડી હતી. પરંતુ આ નિવેદન બાદ તેમની ટિકાઓ પણ થવા લાગી હતી. ત્યારે આ નિવેદન બાદ ફરી જાવેદ અખ્તર ચર્ચામાં આવ્યા છે. 

    

ત્રીજું વિશ્વ યુદ્ધ જીતીને આવ્યો છું - જાવેદ અખ્તર 

પાકિસ્તાનના પ્રવાસથી પરત આવ્યા બાદ જાવેદ અખ્તરે એક ખાનગી ન્યુઝ ચેનલમાં હાજરી આપી હતી જેને કારણે ફરી તેઓ ચર્ચામાં આવ્યા છે. 24 ફેબ્રુઆરીના રોજ આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાકિસ્તાની પ્રવાસની વાત કરતા તેમણે કહ્યું કે કોઈ પણ દેશ ધર્મથી નથી બનતો, પહેલી વાત એ છે કે પાકિસ્તાન દેશ બનવો જોઈએ જ નહીં. પાકિસ્તાનનું બનવુંએ માનવ ઈતિહાસની સૌથી મોટી ભૂલ છે. જો કોઈ પુસ્તક લખવામાં આવે કે માણસે તેના ઈતિહાસમાં એવી 10 ભૂલો શું કરી છે, તો તેમાં પાકિસ્તાન પણ એક હશે. જાવેદ અખ્તરે કહ્યું હતું કે જ્યારે તે પાકિસ્તાનથી પાછા ફર્યા ત્યારે લોકોની પ્રતિક્રિયા એવી હતી કે જાણે તે ત્રીજું વિશ્વયુદ્ધ જીતીને આવ્યા હોય. મને ઘણા કોલ્સ અને મેસેજ આવવા લાગ્યા હતા. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.