લાહોરમાં આપેલા નિવેદન બાદ જાવેદ અખ્તરે કહ્યું કે, ભારત પરત ફર્યો ત્યારે મને લાગ્યું કે હું વર્લ્ડ વોર 3 જીતી ગયો છું


  • Published By :
  • Published Date : 2023-02-25 15:47:46

પાકિસ્તાનમાં આયોજીત એક કાર્યક્રમમાં બોલિવુડના ગીતકાર જાવેદ અખ્તર સામેલ થયા હતા જેમાં તેમણે પાકિસ્તાન પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. લાહોરમાં આયોજીત ફૈઝ ફેસ્વિટલમાં સામેલ થયા બાદ 26 નવેમ્બરના રોજ મુંબઈ પર થયેલા આતંકી હુમલાને લઈ પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. પાકિસ્તાન આતંકીઓને આશરો આપી રહ્યું છે તે વાતની નિંદા કરી હતી. ત્યારે ફરી એક વખત જાવેદ અખ્તર ચર્ચામાં આવ્યા છે. પાકિસ્તાનના પ્રવાસ બાદ તેમણે એક ચેનલમાં ઈન્ટરવ્યુ આપ્યો હતો જેમાં તેમણે કહ્યું કે જ્યારે તે પાકિસ્તાનથી પાછા ફર્યા ત્યારે લોકોની પ્રતિક્રિયા એવી હતી કે જાણે તે ત્રીજું વિશ્વયુદ્ધ જીતીને આવ્યા હોય.


લાહોર જઈ 26-11 હુમલાનો કર્યો હતો ઉલ્લેખ  

લાહોરમાં આયોજીત ફેઝ ફેસ્ટિવલથી પાછા આવ્યા બાદ જાવેદ અખ્તર ચર્ચામાં આવ્યા છે. ફેસ્ટિવલમાં મુબંઈમાં થયેલા 26-11 આતંકી હુમલાની નિંદા કરી હતી. હુમલાની નિંદા કરતા તેમણે કહ્યું કે આ હુમલો કરનારા લોકો હજુ પણ તમારા દેશમાં આઝાદીથી ફરે છે અને આ ફરિયાદ દરેક ભારતીયના દિલમાં છે પણ આ વાત સાંભળીને તમને ખરાબ ન લાગવું જોઈએ. આ વાત જ્યારે જાવેદ અખ્તર કહી રહ્યા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોએ તાળીઓ પાડી હતી. પરંતુ આ નિવેદન બાદ તેમની ટિકાઓ પણ થવા લાગી હતી. ત્યારે આ નિવેદન બાદ ફરી જાવેદ અખ્તર ચર્ચામાં આવ્યા છે. 

    

ત્રીજું વિશ્વ યુદ્ધ જીતીને આવ્યો છું - જાવેદ અખ્તર 

પાકિસ્તાનના પ્રવાસથી પરત આવ્યા બાદ જાવેદ અખ્તરે એક ખાનગી ન્યુઝ ચેનલમાં હાજરી આપી હતી જેને કારણે ફરી તેઓ ચર્ચામાં આવ્યા છે. 24 ફેબ્રુઆરીના રોજ આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાકિસ્તાની પ્રવાસની વાત કરતા તેમણે કહ્યું કે કોઈ પણ દેશ ધર્મથી નથી બનતો, પહેલી વાત એ છે કે પાકિસ્તાન દેશ બનવો જોઈએ જ નહીં. પાકિસ્તાનનું બનવુંએ માનવ ઈતિહાસની સૌથી મોટી ભૂલ છે. જો કોઈ પુસ્તક લખવામાં આવે કે માણસે તેના ઈતિહાસમાં એવી 10 ભૂલો શું કરી છે, તો તેમાં પાકિસ્તાન પણ એક હશે. જાવેદ અખ્તરે કહ્યું હતું કે જ્યારે તે પાકિસ્તાનથી પાછા ફર્યા ત્યારે લોકોની પ્રતિક્રિયા એવી હતી કે જાણે તે ત્રીજું વિશ્વયુદ્ધ જીતીને આવ્યા હોય. મને ઘણા કોલ્સ અને મેસેજ આવવા લાગ્યા હતા. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.