કોંગ્રેસમાં જોડાયા બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરૂનો થઈ રહ્યો છે AAPમાં વિરોધ


  • Published By :
  • Published Date : 2022-11-05 10:51:34

ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટીએ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીની પસંદગી મુખ્યમંત્રીના ચહેરા તરીકે કરી છે. નામની ઘોષણા થયા બાદ આમ આદમી પાર્ટીમાં ચાલતા આંતરિક વિખવાદ બહાર આવી રહ્યા છે. કોંગ્રેસમાંથી આપમાં જોડાયેલ ઈન્દ્રનીલ રાજ્યગુરુએ આપમાંથી રાજીનામું આપી દીધું અને કોંગ્રેસમાં ઘરવાપસી કરી હતી.      


ઈસુદાનના નામની જાહેરાત થયા બાદ જોવા મળી નારાજગી

ગુજરાતમાં આ વખતે ત્રણ પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. કોંગ્રેસે તેમજ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ઉપરાંત આપે મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીની પસંદગી કરી છે. તેમનું નામ જાહેર થતા અનેક નેતાઓમાં નારાજગી જોવા મળી હતી. 


ઈન્દ્રનીલના ફોટો પર ફેરવ્યો કૂચડો

ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. કોંગ્રેસમાં જવાથી આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં તેમને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા કાર્યકરોએ પાર્ટી કાર્યાલય બહાર લાગેલા હોર્ડિંગ પર પોતાનો વિરોધ પ્રદર્શીત કર્યો હતો. કાર્યકરોએ ઈન્દ્રનીલના ફોટો પર કાળા કલરનો કૂચડો મારી દીધો હતો.


ઈન્દ્રનીલે કરી કોંગ્રેસમાં ઘરવાપસી

ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઘોષિત કરાતા રાજ્યગૂરૂએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. નારાજ થયેલા ઈન્દ્રનીલે કાલે જ આમ આદમી પાર્ટીનો સાથ છોડી કોંગ્રેસનો હાથ થામી લીધો હતો. જે બાદ આપમાં ઈન્દ્રનીલનો વિરોધ થઈ રહ્યો છે. રોષે ભરાયેલા કાર્યકરોએ હોર્ડિંગ પર લાગેલા ઈન્દ્રનીલ રાજ્યગૂરૂના ફોટા પર કાળો કૂચડો મારી દીધો હતો. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.