કોંગ્રેસમાં જોડાયા બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરૂનો થઈ રહ્યો છે AAPમાં વિરોધ


  • Published By :
  • Published Date : 2022-11-05 10:51:34

ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટીએ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીની પસંદગી મુખ્યમંત્રીના ચહેરા તરીકે કરી છે. નામની ઘોષણા થયા બાદ આમ આદમી પાર્ટીમાં ચાલતા આંતરિક વિખવાદ બહાર આવી રહ્યા છે. કોંગ્રેસમાંથી આપમાં જોડાયેલ ઈન્દ્રનીલ રાજ્યગુરુએ આપમાંથી રાજીનામું આપી દીધું અને કોંગ્રેસમાં ઘરવાપસી કરી હતી.      


ઈસુદાનના નામની જાહેરાત થયા બાદ જોવા મળી નારાજગી

ગુજરાતમાં આ વખતે ત્રણ પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. કોંગ્રેસે તેમજ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ઉપરાંત આપે મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીની પસંદગી કરી છે. તેમનું નામ જાહેર થતા અનેક નેતાઓમાં નારાજગી જોવા મળી હતી. 


ઈન્દ્રનીલના ફોટો પર ફેરવ્યો કૂચડો

ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. કોંગ્રેસમાં જવાથી આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં તેમને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા કાર્યકરોએ પાર્ટી કાર્યાલય બહાર લાગેલા હોર્ડિંગ પર પોતાનો વિરોધ પ્રદર્શીત કર્યો હતો. કાર્યકરોએ ઈન્દ્રનીલના ફોટો પર કાળા કલરનો કૂચડો મારી દીધો હતો.


ઈન્દ્રનીલે કરી કોંગ્રેસમાં ઘરવાપસી

ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઘોષિત કરાતા રાજ્યગૂરૂએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. નારાજ થયેલા ઈન્દ્રનીલે કાલે જ આમ આદમી પાર્ટીનો સાથ છોડી કોંગ્રેસનો હાથ થામી લીધો હતો. જે બાદ આપમાં ઈન્દ્રનીલનો વિરોધ થઈ રહ્યો છે. રોષે ભરાયેલા કાર્યકરોએ હોર્ડિંગ પર લાગેલા ઈન્દ્રનીલ રાજ્યગૂરૂના ફોટા પર કાળો કૂચડો મારી દીધો હતો. 



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.