કોંગ્રેસમાં જોડાયા બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરૂનો થઈ રહ્યો છે AAPમાં વિરોધ


  • Published By :
  • Published Date : 2022-11-05 10:51:34

ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટીએ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીની પસંદગી મુખ્યમંત્રીના ચહેરા તરીકે કરી છે. નામની ઘોષણા થયા બાદ આમ આદમી પાર્ટીમાં ચાલતા આંતરિક વિખવાદ બહાર આવી રહ્યા છે. કોંગ્રેસમાંથી આપમાં જોડાયેલ ઈન્દ્રનીલ રાજ્યગુરુએ આપમાંથી રાજીનામું આપી દીધું અને કોંગ્રેસમાં ઘરવાપસી કરી હતી.      


ઈસુદાનના નામની જાહેરાત થયા બાદ જોવા મળી નારાજગી

ગુજરાતમાં આ વખતે ત્રણ પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. કોંગ્રેસે તેમજ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ઉપરાંત આપે મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીની પસંદગી કરી છે. તેમનું નામ જાહેર થતા અનેક નેતાઓમાં નારાજગી જોવા મળી હતી. 


ઈન્દ્રનીલના ફોટો પર ફેરવ્યો કૂચડો

ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. કોંગ્રેસમાં જવાથી આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં તેમને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા કાર્યકરોએ પાર્ટી કાર્યાલય બહાર લાગેલા હોર્ડિંગ પર પોતાનો વિરોધ પ્રદર્શીત કર્યો હતો. કાર્યકરોએ ઈન્દ્રનીલના ફોટો પર કાળા કલરનો કૂચડો મારી દીધો હતો.


ઈન્દ્રનીલે કરી કોંગ્રેસમાં ઘરવાપસી

ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઘોષિત કરાતા રાજ્યગૂરૂએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. નારાજ થયેલા ઈન્દ્રનીલે કાલે જ આમ આદમી પાર્ટીનો સાથ છોડી કોંગ્રેસનો હાથ થામી લીધો હતો. જે બાદ આપમાં ઈન્દ્રનીલનો વિરોધ થઈ રહ્યો છે. રોષે ભરાયેલા કાર્યકરોએ હોર્ડિંગ પર લાગેલા ઈન્દ્રનીલ રાજ્યગૂરૂના ફોટા પર કાળો કૂચડો મારી દીધો હતો. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"