કિરણ પટેલ બાદ ઠગની પત્ની વિરુદ્ધ કરાઈ કાર્યવાહી, જાણો કોની સાથે ઠગે કરી હતી છેતરપિંડી અને કોણે કરી માલિની પટેલની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-03-28 12:36:12

નકલી પીએમઓ અધિકારી બની બેઠેલા કિરણ પટેલની ધરપકડ બાદ કિરણની પત્ની માલિની પટેલની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલના પત્નીની ધરપકડ નડિયાદથી કરી લીધી છે. મકાન પચાવી પાડવાના કેસમાં માલિની પટેલની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર માલિની પટેલ સામે 35 લાખની ઠગાઈનો ગુનો નોંધાયો છે.



નડિયાદથી માલિની પટેલની થઈ ધરપકડ 

થોડા દિવસો પહેલા જમ્મુ કાશ્મીર પોલીસે નકલી પીએમઓ બની બેઠેલા કિરણ પટેલની ધરપકડ કરી લીધી છે. જે બાદ અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. કિરણ પટેલના કારનામા ધીરે ધીરે સામે આવી રહ્યા છે. કિરણ પટેલનો મામલો હજી શાંત નથી થયો ત્યાં તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલની પત્ની માલિની પટેલની ધરપકડ કરી લીધી છે. ઠગ કિરણ પટેલ અને તેની પત્ની વિરૂદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં એક ફરિયાદ નોંધવામાં આવી હતી.   


ઠગે પૂર્વમંત્રીના ભાઈનું ઘર પચાવી પાડ્યું?   

સમગ્ર મામલાની વાત કરીએ તો પૂર્વમંત્રીના ભાઈના બંગ્લામાં રિનોવેશના નામે 35 લાખ પડાવ્યા હતા જેને લઈ કિરણ પટેલ અને તેની પત્ની વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. રિનોવેશનના નામે પૂર્વમંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાના બંગલોને પચાવી લીધી હતી. જેને પગલે કિરણ પટેલ અને માલિની પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. નડિયાદથી માલિની પટેલની ધરપકડ કરવામાં આવી હતી. કિરણ પટેલે પોતે સરકારી અધિકારી છે તેવું જણાવ્યું હતું. જગદીશ ચાવડાના બંગલામાં હવન કરાવી ઘરની બહાર પોતાના નામનું બોર્ડ લખી દીધું. જગદીશ ચાવડાએ આ અંગેની ફરિયાદ નોંધાવી હતી જે બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.     




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.