કિરણ પટેલ બાદ ઠગની પત્ની વિરુદ્ધ કરાઈ કાર્યવાહી, જાણો કોની સાથે ઠગે કરી હતી છેતરપિંડી અને કોણે કરી માલિની પટેલની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-03-28 12:36:12

નકલી પીએમઓ અધિકારી બની બેઠેલા કિરણ પટેલની ધરપકડ બાદ કિરણની પત્ની માલિની પટેલની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલના પત્નીની ધરપકડ નડિયાદથી કરી લીધી છે. મકાન પચાવી પાડવાના કેસમાં માલિની પટેલની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર માલિની પટેલ સામે 35 લાખની ઠગાઈનો ગુનો નોંધાયો છે.



નડિયાદથી માલિની પટેલની થઈ ધરપકડ 

થોડા દિવસો પહેલા જમ્મુ કાશ્મીર પોલીસે નકલી પીએમઓ બની બેઠેલા કિરણ પટેલની ધરપકડ કરી લીધી છે. જે બાદ અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. કિરણ પટેલના કારનામા ધીરે ધીરે સામે આવી રહ્યા છે. કિરણ પટેલનો મામલો હજી શાંત નથી થયો ત્યાં તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલની પત્ની માલિની પટેલની ધરપકડ કરી લીધી છે. ઠગ કિરણ પટેલ અને તેની પત્ની વિરૂદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં એક ફરિયાદ નોંધવામાં આવી હતી.   


ઠગે પૂર્વમંત્રીના ભાઈનું ઘર પચાવી પાડ્યું?   

સમગ્ર મામલાની વાત કરીએ તો પૂર્વમંત્રીના ભાઈના બંગ્લામાં રિનોવેશના નામે 35 લાખ પડાવ્યા હતા જેને લઈ કિરણ પટેલ અને તેની પત્ની વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. રિનોવેશનના નામે પૂર્વમંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાના બંગલોને પચાવી લીધી હતી. જેને પગલે કિરણ પટેલ અને માલિની પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. નડિયાદથી માલિની પટેલની ધરપકડ કરવામાં આવી હતી. કિરણ પટેલે પોતે સરકારી અધિકારી છે તેવું જણાવ્યું હતું. જગદીશ ચાવડાના બંગલામાં હવન કરાવી ઘરની બહાર પોતાના નામનું બોર્ડ લખી દીધું. જગદીશ ચાવડાએ આ અંગેની ફરિયાદ નોંધાવી હતી જે બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.     




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.