કિરણ પટેલ બાદ ઠગની પત્ની વિરુદ્ધ કરાઈ કાર્યવાહી, જાણો કોની સાથે ઠગે કરી હતી છેતરપિંડી અને કોણે કરી માલિની પટેલની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-03-28 12:36:12

નકલી પીએમઓ અધિકારી બની બેઠેલા કિરણ પટેલની ધરપકડ બાદ કિરણની પત્ની માલિની પટેલની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલના પત્નીની ધરપકડ નડિયાદથી કરી લીધી છે. મકાન પચાવી પાડવાના કેસમાં માલિની પટેલની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર માલિની પટેલ સામે 35 લાખની ઠગાઈનો ગુનો નોંધાયો છે.



નડિયાદથી માલિની પટેલની થઈ ધરપકડ 

થોડા દિવસો પહેલા જમ્મુ કાશ્મીર પોલીસે નકલી પીએમઓ બની બેઠેલા કિરણ પટેલની ધરપકડ કરી લીધી છે. જે બાદ અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. કિરણ પટેલના કારનામા ધીરે ધીરે સામે આવી રહ્યા છે. કિરણ પટેલનો મામલો હજી શાંત નથી થયો ત્યાં તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલની પત્ની માલિની પટેલની ધરપકડ કરી લીધી છે. ઠગ કિરણ પટેલ અને તેની પત્ની વિરૂદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં એક ફરિયાદ નોંધવામાં આવી હતી.   


ઠગે પૂર્વમંત્રીના ભાઈનું ઘર પચાવી પાડ્યું?   

સમગ્ર મામલાની વાત કરીએ તો પૂર્વમંત્રીના ભાઈના બંગ્લામાં રિનોવેશના નામે 35 લાખ પડાવ્યા હતા જેને લઈ કિરણ પટેલ અને તેની પત્ની વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. રિનોવેશનના નામે પૂર્વમંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાના બંગલોને પચાવી લીધી હતી. જેને પગલે કિરણ પટેલ અને માલિની પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. નડિયાદથી માલિની પટેલની ધરપકડ કરવામાં આવી હતી. કિરણ પટેલે પોતે સરકારી અધિકારી છે તેવું જણાવ્યું હતું. જગદીશ ચાવડાના બંગલામાં હવન કરાવી ઘરની બહાર પોતાના નામનું બોર્ડ લખી દીધું. જગદીશ ચાવડાએ આ અંગેની ફરિયાદ નોંધાવી હતી જે બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.     




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે