નકુલ મહેતા બાદ દિશા પરમાર પણ બડે અચ્છે લગતે હેં શોને કહેશે અલવિદા


  • Published By :
  • Published Date : 2023-01-02 15:46:05

દર્શકોને સોની ટીવી પર આવતો શો 'બડે અચ્છે લગતે હેં 2' ખૂબ પસંદ આવી રહ્યો છે. રામ અને પ્રિયાની જોડી લોકોને જોવી ગમી રહી છે. પહેલા પાર્ટની જેમ આ પાર્ટને પણ લોકોનો પ્રેમ મળી રહ્યો છે. પરંતુ આ સેટ પરથી દર્શકોને નિરાશ કરે તેવા સમાચાર આવ્યા છે. રામનો કિરદાર નિભાવતા નકૂલ મહેતાએ તો શો છોડવાની જાહેરાત કરી દીધી છે ત્યારે પ્રિયાની ભૂમિકા ભજવનાર દિશા પરમારે પણ શો છોડવાની જાહેરાત કરી દીધી છે.  


Watch Bade Achhe Lagte Hain Full Epsiodes Online - Sony LIV


દિશા પરમાર ટૂંક સમયમાં શોને કહેશે ટાટા-બાય બાય

બડે અચ્છે લગતે હેંમાં સાક્ષી તનવર અને રામ કપૂરની જોડીને દર્શકો તરફથી જે પ્રેમ મળ્યો હતો તેવો જ પ્રેમ નકૂલ મહેતા અને દિશા પરમારની જોડીને મળી રહ્યો છે. સોની ટીવી પર બડે અચ્છે લગતે હેં 2માં બંને મુખ્યભૂમિકા નિભાવી રહ્યા છે. લોકો આ જોડીને જોવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે નકુલ મહેતાએ આ શોને છોડવાની જાહેરાત કરી દીધી છે ત્યારે દિશા પરમાર પણ આ શોમાં નહીં જોવા મળે. દિશા પરમાર પણ શોને અલવિદા કહી રહી છે. 


આ કારણોસર લીધો આ નિર્ણય 

કયા કારણોસર દિશા શો છોડી રહી છે તેનો જવાબ તેમણે એક ઈન્ટરવ્યુમાં આપ્યો હતો. તેમણે કીધું કે તે ઘણા સમયથી આ શો છોડવા માગતી હતી, કારણ કે તેને પાંચ વર્ષની પુત્રીની માતાનો રોલ નથી નિભાવવો. થોડા સમય સુધી તેમણે પોતાનો નિર્ણય ટાળ્યો પરંતુ હવે તે શોને છોડી રહી છે.                    




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.