નકુલ મહેતા બાદ દિશા પરમાર પણ બડે અચ્છે લગતે હેં શોને કહેશે અલવિદા


  • Published By :
  • Published Date : 2023-01-02 15:46:05

દર્શકોને સોની ટીવી પર આવતો શો 'બડે અચ્છે લગતે હેં 2' ખૂબ પસંદ આવી રહ્યો છે. રામ અને પ્રિયાની જોડી લોકોને જોવી ગમી રહી છે. પહેલા પાર્ટની જેમ આ પાર્ટને પણ લોકોનો પ્રેમ મળી રહ્યો છે. પરંતુ આ સેટ પરથી દર્શકોને નિરાશ કરે તેવા સમાચાર આવ્યા છે. રામનો કિરદાર નિભાવતા નકૂલ મહેતાએ તો શો છોડવાની જાહેરાત કરી દીધી છે ત્યારે પ્રિયાની ભૂમિકા ભજવનાર દિશા પરમારે પણ શો છોડવાની જાહેરાત કરી દીધી છે.  


Watch Bade Achhe Lagte Hain Full Epsiodes Online - Sony LIV


દિશા પરમાર ટૂંક સમયમાં શોને કહેશે ટાટા-બાય બાય

બડે અચ્છે લગતે હેંમાં સાક્ષી તનવર અને રામ કપૂરની જોડીને દર્શકો તરફથી જે પ્રેમ મળ્યો હતો તેવો જ પ્રેમ નકૂલ મહેતા અને દિશા પરમારની જોડીને મળી રહ્યો છે. સોની ટીવી પર બડે અચ્છે લગતે હેં 2માં બંને મુખ્યભૂમિકા નિભાવી રહ્યા છે. લોકો આ જોડીને જોવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે નકુલ મહેતાએ આ શોને છોડવાની જાહેરાત કરી દીધી છે ત્યારે દિશા પરમાર પણ આ શોમાં નહીં જોવા મળે. દિશા પરમાર પણ શોને અલવિદા કહી રહી છે. 


આ કારણોસર લીધો આ નિર્ણય 

કયા કારણોસર દિશા શો છોડી રહી છે તેનો જવાબ તેમણે એક ઈન્ટરવ્યુમાં આપ્યો હતો. તેમણે કીધું કે તે ઘણા સમયથી આ શો છોડવા માગતી હતી, કારણ કે તેને પાંચ વર્ષની પુત્રીની માતાનો રોલ નથી નિભાવવો. થોડા સમય સુધી તેમણે પોતાનો નિર્ણય ટાળ્યો પરંતુ હવે તે શોને છોડી રહી છે.                    




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી