નકુલ મહેતા બાદ દિશા પરમાર પણ બડે અચ્છે લગતે હેં શોને કહેશે અલવિદા


  • Published By :
  • Published Date : 2023-01-02 15:46:05

દર્શકોને સોની ટીવી પર આવતો શો 'બડે અચ્છે લગતે હેં 2' ખૂબ પસંદ આવી રહ્યો છે. રામ અને પ્રિયાની જોડી લોકોને જોવી ગમી રહી છે. પહેલા પાર્ટની જેમ આ પાર્ટને પણ લોકોનો પ્રેમ મળી રહ્યો છે. પરંતુ આ સેટ પરથી દર્શકોને નિરાશ કરે તેવા સમાચાર આવ્યા છે. રામનો કિરદાર નિભાવતા નકૂલ મહેતાએ તો શો છોડવાની જાહેરાત કરી દીધી છે ત્યારે પ્રિયાની ભૂમિકા ભજવનાર દિશા પરમારે પણ શો છોડવાની જાહેરાત કરી દીધી છે.  


Watch Bade Achhe Lagte Hain Full Epsiodes Online - Sony LIV


દિશા પરમાર ટૂંક સમયમાં શોને કહેશે ટાટા-બાય બાય

બડે અચ્છે લગતે હેંમાં સાક્ષી તનવર અને રામ કપૂરની જોડીને દર્શકો તરફથી જે પ્રેમ મળ્યો હતો તેવો જ પ્રેમ નકૂલ મહેતા અને દિશા પરમારની જોડીને મળી રહ્યો છે. સોની ટીવી પર બડે અચ્છે લગતે હેં 2માં બંને મુખ્યભૂમિકા નિભાવી રહ્યા છે. લોકો આ જોડીને જોવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે નકુલ મહેતાએ આ શોને છોડવાની જાહેરાત કરી દીધી છે ત્યારે દિશા પરમાર પણ આ શોમાં નહીં જોવા મળે. દિશા પરમાર પણ શોને અલવિદા કહી રહી છે. 


આ કારણોસર લીધો આ નિર્ણય 

કયા કારણોસર દિશા શો છોડી રહી છે તેનો જવાબ તેમણે એક ઈન્ટરવ્યુમાં આપ્યો હતો. તેમણે કીધું કે તે ઘણા સમયથી આ શો છોડવા માગતી હતી, કારણ કે તેને પાંચ વર્ષની પુત્રીની માતાનો રોલ નથી નિભાવવો. થોડા સમય સુધી તેમણે પોતાનો નિર્ણય ટાળ્યો પરંતુ હવે તે શોને છોડી રહી છે.                    




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .