Social Media પર Nana Patekarનો વીડિયો વાયરલ થયા બાદ અભિનેતાએ માગી માફી, જણાવ્યું કઈ પરિસ્થિતિમાં બની આ ઘટના...


  • Published By :
  • Published Date : 2023-11-16 10:14:55

સોશિયલ મીડિયા પર નાના પાટેકરનો વીડિયો વાયરલ થઈ રહ્યો હતો જેમાં  નાના પાટેકર સેલ્ફી લેવા આવેલા ફેનને ટપલી મારે છે. જે વીડિયો વાયરલ થયો છે તેમાં જોઈ શકાય છે કે ફિલ્મની શુટિંગ દરમિયાન એક વ્યક્તિ નાના પાટેકર સાથે સેલ્ફી લેવા આવે છે. યુવાન ફિલ્મની શુટિંગ વચ્ચે આવ્યો જેને કારણે નાના પાટેકરે તેને ટપલી મારી તેવું અનુમાન લોકો લગાવી રહ્યા હતા, વીડિયો વાયરલ થયા બાદ નાના પાટેકર ટ્રોલ પણ ઘણા થઈ રહ્યા હતા. લોકોમાં નાના પાટેકરને લઈ રોષ જોવા મળ્યો હતો. વિવાદ વધતા નાના પાટેકરે આ અંગે ખુલાસો કર્યો છે જેમાં તેઓ તે વ્યક્તિની માફી માગી રહ્યા છે. 

નાના પાટેકરનો વીડિયો થઈ રહ્યો હતો વાયરલ

જે વીડિયો નાના પાટેકર દ્વારા શેર કરવામાં આવ્યો છે તેમાં નાના પાટેકરે કહ્યું કે 'એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મેં એક છોકરાને માર્યો છે. જોકે આ સિક્વન્સ અમારી ફિલ્મનો ભાગ છે, અમે રિહર્સલ કર્યું હતું. અમે શરૂઆત કરવા જ હતા ત્યારે વીડિયોમાં દેખાતો છોકરો અંદર આવ્યો. મને ખબર ન હતી કે તે કોણ છે, મને લાગ્યું કે તે અમારા જૂથમાંથી એક છે તેથી મેં તેને ટપલી મારી. પાછળથી, મને ખબર પડી કે તે ક્રૂ મેમ્બરનો ભાગ નથી. અમે તેને બોલાવ્યો પણ ત્યાં સુધી તે ભાગી ગયો હતો. મહત્વનું છે કે ફિલ્મની શુટિંગ દરમિયાનનો તે વીડિયો વાયરલ થઈ રહ્યો છે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.