Social Media પર Nana Patekarનો વીડિયો વાયરલ થયા બાદ અભિનેતાએ માગી માફી, જણાવ્યું કઈ પરિસ્થિતિમાં બની આ ઘટના...


  • Published By :
  • Published Date : 2023-11-16 10:14:55

સોશિયલ મીડિયા પર નાના પાટેકરનો વીડિયો વાયરલ થઈ રહ્યો હતો જેમાં  નાના પાટેકર સેલ્ફી લેવા આવેલા ફેનને ટપલી મારે છે. જે વીડિયો વાયરલ થયો છે તેમાં જોઈ શકાય છે કે ફિલ્મની શુટિંગ દરમિયાન એક વ્યક્તિ નાના પાટેકર સાથે સેલ્ફી લેવા આવે છે. યુવાન ફિલ્મની શુટિંગ વચ્ચે આવ્યો જેને કારણે નાના પાટેકરે તેને ટપલી મારી તેવું અનુમાન લોકો લગાવી રહ્યા હતા, વીડિયો વાયરલ થયા બાદ નાના પાટેકર ટ્રોલ પણ ઘણા થઈ રહ્યા હતા. લોકોમાં નાના પાટેકરને લઈ રોષ જોવા મળ્યો હતો. વિવાદ વધતા નાના પાટેકરે આ અંગે ખુલાસો કર્યો છે જેમાં તેઓ તે વ્યક્તિની માફી માગી રહ્યા છે. 

નાના પાટેકરનો વીડિયો થઈ રહ્યો હતો વાયરલ

જે વીડિયો નાના પાટેકર દ્વારા શેર કરવામાં આવ્યો છે તેમાં નાના પાટેકરે કહ્યું કે 'એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મેં એક છોકરાને માર્યો છે. જોકે આ સિક્વન્સ અમારી ફિલ્મનો ભાગ છે, અમે રિહર્સલ કર્યું હતું. અમે શરૂઆત કરવા જ હતા ત્યારે વીડિયોમાં દેખાતો છોકરો અંદર આવ્યો. મને ખબર ન હતી કે તે કોણ છે, મને લાગ્યું કે તે અમારા જૂથમાંથી એક છે તેથી મેં તેને ટપલી મારી. પાછળથી, મને ખબર પડી કે તે ક્રૂ મેમ્બરનો ભાગ નથી. અમે તેને બોલાવ્યો પણ ત્યાં સુધી તે ભાગી ગયો હતો. મહત્વનું છે કે ફિલ્મની શુટિંગ દરમિયાનનો તે વીડિયો વાયરલ થઈ રહ્યો છે.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી