Social Media પર Nana Patekarનો વીડિયો વાયરલ થયા બાદ અભિનેતાએ માગી માફી, જણાવ્યું કઈ પરિસ્થિતિમાં બની આ ઘટના...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-16 10:14:55

સોશિયલ મીડિયા પર નાના પાટેકરનો વીડિયો વાયરલ થઈ રહ્યો હતો જેમાં  નાના પાટેકર સેલ્ફી લેવા આવેલા ફેનને ટપલી મારે છે. જે વીડિયો વાયરલ થયો છે તેમાં જોઈ શકાય છે કે ફિલ્મની શુટિંગ દરમિયાન એક વ્યક્તિ નાના પાટેકર સાથે સેલ્ફી લેવા આવે છે. યુવાન ફિલ્મની શુટિંગ વચ્ચે આવ્યો જેને કારણે નાના પાટેકરે તેને ટપલી મારી તેવું અનુમાન લોકો લગાવી રહ્યા હતા, વીડિયો વાયરલ થયા બાદ નાના પાટેકર ટ્રોલ પણ ઘણા થઈ રહ્યા હતા. લોકોમાં નાના પાટેકરને લઈ રોષ જોવા મળ્યો હતો. વિવાદ વધતા નાના પાટેકરે આ અંગે ખુલાસો કર્યો છે જેમાં તેઓ તે વ્યક્તિની માફી માગી રહ્યા છે. 

નાના પાટેકરનો વીડિયો થઈ રહ્યો હતો વાયરલ

જે વીડિયો નાના પાટેકર દ્વારા શેર કરવામાં આવ્યો છે તેમાં નાના પાટેકરે કહ્યું કે 'એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મેં એક છોકરાને માર્યો છે. જોકે આ સિક્વન્સ અમારી ફિલ્મનો ભાગ છે, અમે રિહર્સલ કર્યું હતું. અમે શરૂઆત કરવા જ હતા ત્યારે વીડિયોમાં દેખાતો છોકરો અંદર આવ્યો. મને ખબર ન હતી કે તે કોણ છે, મને લાગ્યું કે તે અમારા જૂથમાંથી એક છે તેથી મેં તેને ટપલી મારી. પાછળથી, મને ખબર પડી કે તે ક્રૂ મેમ્બરનો ભાગ નથી. અમે તેને બોલાવ્યો પણ ત્યાં સુધી તે ભાગી ગયો હતો. મહત્વનું છે કે ફિલ્મની શુટિંગ દરમિયાનનો તે વીડિયો વાયરલ થઈ રહ્યો છે.  



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.