વડાપ્રધાન મોદી બાદ યોગી આદિત્યનાથને મળી જાનથી મારી નાખવાની ધમકી! ધમકી આપનારે કહ્યું જલ્દી સીએમ યોગીને મારી નાખીશ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-25 13:39:00

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ 112 નંબર પર મેસેજ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સી સતર્ક થઈ ગઈ હતી. ધમકી મળ્યા બાદ પોલીસે અજ્ઞાત વ્યક્તિ સામે કેસ દાખલ કરી લીધો છે. ધમકી આપનાર વ્યક્તિએ જણાવ્યું કે હું જલ્દી જ સીએમ યોગી આદિત્યનાથને મારી દઈશ. ધમકી મળ્યા બાદ 112ના ઓપરેશન કમાંડરે આ મામલે કેસ દાખલ કરાવ્યો હતો.

    

પીએમ મોદીને પણ મળી હતી જાનથી મારી નાખવાની ધમકી!

રાજનેતાઓને અનેક વખત જાનથી મારી નાખવાની ધમકી મળતી હોય છે. થોડા દિવસો પહેલા વડાપ્રધાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. કોચિની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આત્મઘાતી બોમ્બ વડે મારી નાખવાની ધમકી મળી હતી. ત્યારે હવે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જે બાદ તંત્ર સતર્ક થઈ ગઈ છે. 


આ મામલે કેસ કરાયો દાખલ!

મહત્વનું છે કે થોડા દિવસો પહેલા ફેસબૂક પર પણ તેમને જાનથી મારવાની ધમકી મળી હતી. ત્યારે ફરી એક વાર 23 એપ્રિલે તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મળતી માહિતી અનુસાર યોગી આદિત્યનાથને રવિવારે સાંજે શહીદ પથ સ્થિત યુપી 112ના મુખ્યાલય પર જાનથી મારવાનો મેસેજ આવ્યો હતો. જાનથી મારી નાખવાની ધમકી મળતા પોલીસ સતર્ક થઈ છે. ધમકી આપતા વ્યક્તિએ કહ્યું હતું કે હું જલ્દી સીએમ યોગીને મારી નાખીશ. આ મામલે ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે જે મોબાઈલ નંબર પરથી ધમકી આપવામાં આવી હતી તેના આધારે રિપોર્ટ દાખલ કરીને આરોપીને ટ્રેસ કરવામાં આવી રહ્યો છે.  



પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.