વડાપ્રધાન મોદી બાદ યોગી આદિત્યનાથને મળી જાનથી મારી નાખવાની ધમકી! ધમકી આપનારે કહ્યું જલ્દી સીએમ યોગીને મારી નાખીશ!


  • Published By :
  • Published Date : 2023-04-25 13:39:00

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ 112 નંબર પર મેસેજ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સી સતર્ક થઈ ગઈ હતી. ધમકી મળ્યા બાદ પોલીસે અજ્ઞાત વ્યક્તિ સામે કેસ દાખલ કરી લીધો છે. ધમકી આપનાર વ્યક્તિએ જણાવ્યું કે હું જલ્દી જ સીએમ યોગી આદિત્યનાથને મારી દઈશ. ધમકી મળ્યા બાદ 112ના ઓપરેશન કમાંડરે આ મામલે કેસ દાખલ કરાવ્યો હતો.

    

પીએમ મોદીને પણ મળી હતી જાનથી મારી નાખવાની ધમકી!

રાજનેતાઓને અનેક વખત જાનથી મારી નાખવાની ધમકી મળતી હોય છે. થોડા દિવસો પહેલા વડાપ્રધાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. કોચિની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આત્મઘાતી બોમ્બ વડે મારી નાખવાની ધમકી મળી હતી. ત્યારે હવે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જે બાદ તંત્ર સતર્ક થઈ ગઈ છે. 


આ મામલે કેસ કરાયો દાખલ!

મહત્વનું છે કે થોડા દિવસો પહેલા ફેસબૂક પર પણ તેમને જાનથી મારવાની ધમકી મળી હતી. ત્યારે ફરી એક વાર 23 એપ્રિલે તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મળતી માહિતી અનુસાર યોગી આદિત્યનાથને રવિવારે સાંજે શહીદ પથ સ્થિત યુપી 112ના મુખ્યાલય પર જાનથી મારવાનો મેસેજ આવ્યો હતો. જાનથી મારી નાખવાની ધમકી મળતા પોલીસ સતર્ક થઈ છે. ધમકી આપતા વ્યક્તિએ કહ્યું હતું કે હું જલ્દી સીએમ યોગીને મારી નાખીશ. આ મામલે ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે જે મોબાઈલ નંબર પરથી ધમકી આપવામાં આવી હતી તેના આધારે રિપોર્ટ દાખલ કરીને આરોપીને ટ્રેસ કરવામાં આવી રહ્યો છે.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.