વડાપ્રધાન મોદી બાદ યોગી આદિત્યનાથને મળી જાનથી મારી નાખવાની ધમકી! ધમકી આપનારે કહ્યું જલ્દી સીએમ યોગીને મારી નાખીશ!


  • Published By :
  • Published Date : 2023-04-25 13:39:00

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ 112 નંબર પર મેસેજ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સી સતર્ક થઈ ગઈ હતી. ધમકી મળ્યા બાદ પોલીસે અજ્ઞાત વ્યક્તિ સામે કેસ દાખલ કરી લીધો છે. ધમકી આપનાર વ્યક્તિએ જણાવ્યું કે હું જલ્દી જ સીએમ યોગી આદિત્યનાથને મારી દઈશ. ધમકી મળ્યા બાદ 112ના ઓપરેશન કમાંડરે આ મામલે કેસ દાખલ કરાવ્યો હતો.

    

પીએમ મોદીને પણ મળી હતી જાનથી મારી નાખવાની ધમકી!

રાજનેતાઓને અનેક વખત જાનથી મારી નાખવાની ધમકી મળતી હોય છે. થોડા દિવસો પહેલા વડાપ્રધાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. કોચિની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આત્મઘાતી બોમ્બ વડે મારી નાખવાની ધમકી મળી હતી. ત્યારે હવે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જે બાદ તંત્ર સતર્ક થઈ ગઈ છે. 


આ મામલે કેસ કરાયો દાખલ!

મહત્વનું છે કે થોડા દિવસો પહેલા ફેસબૂક પર પણ તેમને જાનથી મારવાની ધમકી મળી હતી. ત્યારે ફરી એક વાર 23 એપ્રિલે તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મળતી માહિતી અનુસાર યોગી આદિત્યનાથને રવિવારે સાંજે શહીદ પથ સ્થિત યુપી 112ના મુખ્યાલય પર જાનથી મારવાનો મેસેજ આવ્યો હતો. જાનથી મારી નાખવાની ધમકી મળતા પોલીસ સતર્ક થઈ છે. ધમકી આપતા વ્યક્તિએ કહ્યું હતું કે હું જલ્દી સીએમ યોગીને મારી નાખીશ. આ મામલે ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે જે મોબાઈલ નંબર પરથી ધમકી આપવામાં આવી હતી તેના આધારે રિપોર્ટ દાખલ કરીને આરોપીને ટ્રેસ કરવામાં આવી રહ્યો છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.