સાળંગપુર બાદ વધુ એક મંદિરમાં હનુમાનજીની મૂર્તિને લઈ છેડાયો વિવાદ! હનુમાનજી કરી રહ્યા છે ફળો અર્પણ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-02 16:05:58

એક તરફ હજી સાળંગપુર મંદિરનો વિવાદ શાંત નથી થયો, ત્યાં તો અનેક સ્વામીનારાયણ મંદિરોમાંથી હનુમાનજીની પ્રતિમાઓ સામે આવી રહી છે જેને કારણે તે ચર્ચાનો વિષય બન્યો છે. રાજ્યમાં આવેલા અલગ અલગ સ્વામિનારાયણ મંદિરથી મૂર્તિઓના ફોટા  સામે આવી રહ્યા છે જેમાં હનુમાનજીને દાસ બતાવવામાં આવ્યા છે. સાળંગપુર, કુંડળધામ, પાટડીમાં વણીન્દ્રા ધામ બાદ સાયલાના લોયાધામમાં હનુમાનજીને નિલકંઠવર્ણીના દાસ બતાવાયા છે.  


સાળંગપુરના ભીંતચિત્રોમાં હનુમાનજીને દર્શાવાયા છે દાસ  

સાળંગપુર મંદિરમાં 54 ફૂટની કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાની નીચે ભીંતચિત્રોમાં હનુમાનજીને નમસ્કાર મુદ્રામાં દર્શાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. આ ભીંતચિત્રોને હટાવી દેવાની માંગણી કરવામાં આવી રહી છે. આ બાબતે સાધુ-સંતો, લોક સાહિત્યકારો તેમજ હિન્દુ સંગઠનોએ જોરદાર વિરોધ પણ કર્યો છે ત્યારે હવે એક બાદ એક સ્વામિનારાયણ મંદિરમાં હનુમાનજીને દાસ બતાવાયા  હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યાં છે. 


હનુમાનજીને નિલકંઠવર્ણીના દાસ બતાવાયા છે લોયાધામમાં   

સાળંગપુર, કુંડળધામ, પાટડીમાં વણીન્દ્રા ધામ બાદ સાયલાના લોયાધામમાં હનુમાનજીને નિલકંઠવર્ણીના દાસ બતાવાયા છે. અહીં સાળંગપુર જેવી જ હનુમાનજીની મૂર્તિ બનાવાઈ છે. જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. લોયાધામ ખાતે ભીંતચિત્રોમાં હનુમાનજીને નિલકંઠવર્ણીના દાસ દર્શાવાયા છે. હનુમાનજીને નીલકંઠવર્ણીના સેવક તરીકે બતાવ્યા છે ત્યારે સંતો વિરોધ કરતાં કહે છે કે સ્વામિનારાયણના મંદિરોમાં સનાતન ધર્મનું અપમાન થઈ રહ્યું છે 


આ મંદિરમાં આવેલી મૂર્તિને લઈને પણ છેડાયો વિવાદ!

આવો જ વિવાદ સુરેન્દ્રનગરના પાટડીના વણીન્દ્રા ધામમાં પણ થયો હતો ત્યાં પણ  હનુમાનજીને નિલકંઠવર્ણીને ફળ આપતા બતાવ્યા છે. જે ચિત્રમાં જોઈ શકાય છે હનુમાનજી નિલકંઠવર્ણીની ભક્તિ કરી રહ્યાં છે. , સુરેન્દ્રનગરના છેવાડાના પાટડી તાલુકામાં વણીન્દ્રા ધામ આવેલું છે  સ્વામિનારાયણ મંદિર કુંડળધામમાં પણ હનુમાનજીની મૂર્તિ લઈને વિવાદ સર્જાયો છે. કુંડળધામમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના નિલકંઠવર્ણીને ફળાહાર અર્પણ કરતા દર્શાવાયા છે. કુંડળધામ સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં પાર્કિંગ પાસેના નદીના પુલ પાસે બનાવાયેલા બગીચામાં આ પ્રકારે ઉલ્લેખ સાથેની મૂર્તિ મૂકવામાં આવી છે. જેને લઈને હવે અલગ અલગ જગ્યાઓથી આવ્યા દ્રશ્યો સામે આવી રહ્યા છે. 


મીડિયાની એન્ટ્રી પર લગાવાયો પ્રતિબંધ 

મહત્વનું છે કે સાળંગપુરમાં વિવાદ પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. અલગ અલગ ધર્મગુરૂઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. વિવાદ બાદ સાળંગપુરમંદિરમાં પત્રકારો પર પ્રતિબંધ મુકીદેવમાં આવ્યો છે સાથે સાથે મોટી સાંખ્યમાં ત્યાં પોલીસ બંદોબસ્ત પણ કરી દેવામાં આવ્યો છે હવે આ વિવાદ ક્યારે શાંત થશે અને સંતો અને સ્વામી બધા ક્યારે સમજશે એ જોવાનું રહ્યું!



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.