સાળંગપુર બાદ વધુ એક મંદિરમાં હનુમાનજીની મૂર્તિને લઈ છેડાયો વિવાદ! હનુમાનજી કરી રહ્યા છે ફળો અર્પણ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-02 16:05:58

એક તરફ હજી સાળંગપુર મંદિરનો વિવાદ શાંત નથી થયો, ત્યાં તો અનેક સ્વામીનારાયણ મંદિરોમાંથી હનુમાનજીની પ્રતિમાઓ સામે આવી રહી છે જેને કારણે તે ચર્ચાનો વિષય બન્યો છે. રાજ્યમાં આવેલા અલગ અલગ સ્વામિનારાયણ મંદિરથી મૂર્તિઓના ફોટા  સામે આવી રહ્યા છે જેમાં હનુમાનજીને દાસ બતાવવામાં આવ્યા છે. સાળંગપુર, કુંડળધામ, પાટડીમાં વણીન્દ્રા ધામ બાદ સાયલાના લોયાધામમાં હનુમાનજીને નિલકંઠવર્ણીના દાસ બતાવાયા છે.  


સાળંગપુરના ભીંતચિત્રોમાં હનુમાનજીને દર્શાવાયા છે દાસ  

સાળંગપુર મંદિરમાં 54 ફૂટની કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાની નીચે ભીંતચિત્રોમાં હનુમાનજીને નમસ્કાર મુદ્રામાં દર્શાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. આ ભીંતચિત્રોને હટાવી દેવાની માંગણી કરવામાં આવી રહી છે. આ બાબતે સાધુ-સંતો, લોક સાહિત્યકારો તેમજ હિન્દુ સંગઠનોએ જોરદાર વિરોધ પણ કર્યો છે ત્યારે હવે એક બાદ એક સ્વામિનારાયણ મંદિરમાં હનુમાનજીને દાસ બતાવાયા  હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યાં છે. 


હનુમાનજીને નિલકંઠવર્ણીના દાસ બતાવાયા છે લોયાધામમાં   

સાળંગપુર, કુંડળધામ, પાટડીમાં વણીન્દ્રા ધામ બાદ સાયલાના લોયાધામમાં હનુમાનજીને નિલકંઠવર્ણીના દાસ બતાવાયા છે. અહીં સાળંગપુર જેવી જ હનુમાનજીની મૂર્તિ બનાવાઈ છે. જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. લોયાધામ ખાતે ભીંતચિત્રોમાં હનુમાનજીને નિલકંઠવર્ણીના દાસ દર્શાવાયા છે. હનુમાનજીને નીલકંઠવર્ણીના સેવક તરીકે બતાવ્યા છે ત્યારે સંતો વિરોધ કરતાં કહે છે કે સ્વામિનારાયણના મંદિરોમાં સનાતન ધર્મનું અપમાન થઈ રહ્યું છે 


આ મંદિરમાં આવેલી મૂર્તિને લઈને પણ છેડાયો વિવાદ!

આવો જ વિવાદ સુરેન્દ્રનગરના પાટડીના વણીન્દ્રા ધામમાં પણ થયો હતો ત્યાં પણ  હનુમાનજીને નિલકંઠવર્ણીને ફળ આપતા બતાવ્યા છે. જે ચિત્રમાં જોઈ શકાય છે હનુમાનજી નિલકંઠવર્ણીની ભક્તિ કરી રહ્યાં છે. , સુરેન્દ્રનગરના છેવાડાના પાટડી તાલુકામાં વણીન્દ્રા ધામ આવેલું છે  સ્વામિનારાયણ મંદિર કુંડળધામમાં પણ હનુમાનજીની મૂર્તિ લઈને વિવાદ સર્જાયો છે. કુંડળધામમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના નિલકંઠવર્ણીને ફળાહાર અર્પણ કરતા દર્શાવાયા છે. કુંડળધામ સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં પાર્કિંગ પાસેના નદીના પુલ પાસે બનાવાયેલા બગીચામાં આ પ્રકારે ઉલ્લેખ સાથેની મૂર્તિ મૂકવામાં આવી છે. જેને લઈને હવે અલગ અલગ જગ્યાઓથી આવ્યા દ્રશ્યો સામે આવી રહ્યા છે. 


મીડિયાની એન્ટ્રી પર લગાવાયો પ્રતિબંધ 

મહત્વનું છે કે સાળંગપુરમાં વિવાદ પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. અલગ અલગ ધર્મગુરૂઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. વિવાદ બાદ સાળંગપુરમંદિરમાં પત્રકારો પર પ્રતિબંધ મુકીદેવમાં આવ્યો છે સાથે સાથે મોટી સાંખ્યમાં ત્યાં પોલીસ બંદોબસ્ત પણ કરી દેવામાં આવ્યો છે હવે આ વિવાદ ક્યારે શાંત થશે અને સંતો અને સ્વામી બધા ક્યારે સમજશે એ જોવાનું રહ્યું!



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.