સોનિયા ગાંધી બાદ પ્રિયંકા ગાંધી સામેલ થયા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં


  • Published By :
  • Published Date : 2022-11-24 09:32:03

રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી નિકળેલી આ યાત્રા કાશ્મીર સુધી જવાની છે. હાલ આ યાત્રા મધ્યપ્રદેશ પહોંચી છે. આ યાત્રામાં પ્રિયંકા ગાંધી પણ સામેલ થયા છે. પ્રિયંકા ગાંધી પોતાના પતિ રોબર્ટ વાડ્રા સાથે આ યાત્રામાં સામેલ થઈ છે. આ પહેલા આ યાત્રામાં સોનિયા ગાંધી પણ સામેલ થયા છે ઉપરાંત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ આ યાત્રામાં ભાગ લઈ ચૂક્યા છે. ત્યારે આજે પ્રિયંકા ગાંધી પણ રાહુલ ગાંધી સાથે ચાલતા જોવા મળ્યા હતા.

પ્રિયંકા ગાંધી પતિ સાથે થયા ભારત જોડો યાત્રામાં સામેલ 

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. ત્યારે આ યાત્રામાં પ્રિયંકા ગાંધીએ પણ ભાગ લીધો છે. હાલ આ યાત્રા મધ્યપ્રદેશ પહોંચી છે. મધ્યપ્રદેશના ખંડવા ખાતેથી પ્રિયંકા આ યાત્રામાં જોડાઈ છે. ભારત જોડો યાત્રાને અંદાજીત 78 દિવસ વિતી ગયા છે. પરંતુ આટલા દિવસો સુધી રાહુલ ગાંધીની યાત્રામાં પ્રિયંકા ગાંધી દેખાયા ન હતા જેને કારણે ભાજપે તેમની આ યાત્રા પર પ્રહાર કર્યા હતા.


આ કારણથી રાહુલ ગાંધીએ શરૂ કરી ભારત જોડો યાત્રા

આ યાત્રા દરમિયાન ભાજપ પર રાહુલ ગાંધીએ આકરા પ્રહાર કર્યા હતા. મધ્યપ્રદેશની ચૂંટણીને લઈ ભાજપ પર રાહુલે પ્રહાર કર્યા હતા. ઉપરાંત ભારત જોડો યાત્રા કેમ કરવી પડી તે અંગે ખુલાસો આપતા કહ્યું કે લોકતંત્રના બધા રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. એટલે અમે વિચાર્યું કે રોડ પર ઉતરી અને જનતા વચ્ચે જઈએ. રોડ પર યાત્રા કરી જનતાને મળીએ, ખેડૂટતોને ગળે લગાવીયે, મજૂરો અને વેપારીઓની વાતો સાંભળીયે. આ બધા માટે ભારત જોડો યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.