સોનિયા ગાંધી બાદ પ્રિયંકા ગાંધી સામેલ થયા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં


  • Published By :
  • Published Date : 2022-11-24 09:32:03

રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી નિકળેલી આ યાત્રા કાશ્મીર સુધી જવાની છે. હાલ આ યાત્રા મધ્યપ્રદેશ પહોંચી છે. આ યાત્રામાં પ્રિયંકા ગાંધી પણ સામેલ થયા છે. પ્રિયંકા ગાંધી પોતાના પતિ રોબર્ટ વાડ્રા સાથે આ યાત્રામાં સામેલ થઈ છે. આ પહેલા આ યાત્રામાં સોનિયા ગાંધી પણ સામેલ થયા છે ઉપરાંત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ આ યાત્રામાં ભાગ લઈ ચૂક્યા છે. ત્યારે આજે પ્રિયંકા ગાંધી પણ રાહુલ ગાંધી સાથે ચાલતા જોવા મળ્યા હતા.

પ્રિયંકા ગાંધી પતિ સાથે થયા ભારત જોડો યાત્રામાં સામેલ 

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. ત્યારે આ યાત્રામાં પ્રિયંકા ગાંધીએ પણ ભાગ લીધો છે. હાલ આ યાત્રા મધ્યપ્રદેશ પહોંચી છે. મધ્યપ્રદેશના ખંડવા ખાતેથી પ્રિયંકા આ યાત્રામાં જોડાઈ છે. ભારત જોડો યાત્રાને અંદાજીત 78 દિવસ વિતી ગયા છે. પરંતુ આટલા દિવસો સુધી રાહુલ ગાંધીની યાત્રામાં પ્રિયંકા ગાંધી દેખાયા ન હતા જેને કારણે ભાજપે તેમની આ યાત્રા પર પ્રહાર કર્યા હતા.


આ કારણથી રાહુલ ગાંધીએ શરૂ કરી ભારત જોડો યાત્રા

આ યાત્રા દરમિયાન ભાજપ પર રાહુલ ગાંધીએ આકરા પ્રહાર કર્યા હતા. મધ્યપ્રદેશની ચૂંટણીને લઈ ભાજપ પર રાહુલે પ્રહાર કર્યા હતા. ઉપરાંત ભારત જોડો યાત્રા કેમ કરવી પડી તે અંગે ખુલાસો આપતા કહ્યું કે લોકતંત્રના બધા રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. એટલે અમે વિચાર્યું કે રોડ પર ઉતરી અને જનતા વચ્ચે જઈએ. રોડ પર યાત્રા કરી જનતાને મળીએ, ખેડૂટતોને ગળે લગાવીયે, મજૂરો અને વેપારીઓની વાતો સાંભળીયે. આ બધા માટે ભારત જોડો યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે