સોનિયા ગાંધી બાદ પ્રિયંકા ગાંધી સામેલ થયા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં


  • Published By :
  • Published Date : 2022-11-24 09:32:03

રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી નિકળેલી આ યાત્રા કાશ્મીર સુધી જવાની છે. હાલ આ યાત્રા મધ્યપ્રદેશ પહોંચી છે. આ યાત્રામાં પ્રિયંકા ગાંધી પણ સામેલ થયા છે. પ્રિયંકા ગાંધી પોતાના પતિ રોબર્ટ વાડ્રા સાથે આ યાત્રામાં સામેલ થઈ છે. આ પહેલા આ યાત્રામાં સોનિયા ગાંધી પણ સામેલ થયા છે ઉપરાંત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ આ યાત્રામાં ભાગ લઈ ચૂક્યા છે. ત્યારે આજે પ્રિયંકા ગાંધી પણ રાહુલ ગાંધી સાથે ચાલતા જોવા મળ્યા હતા.

પ્રિયંકા ગાંધી પતિ સાથે થયા ભારત જોડો યાત્રામાં સામેલ 

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. ત્યારે આ યાત્રામાં પ્રિયંકા ગાંધીએ પણ ભાગ લીધો છે. હાલ આ યાત્રા મધ્યપ્રદેશ પહોંચી છે. મધ્યપ્રદેશના ખંડવા ખાતેથી પ્રિયંકા આ યાત્રામાં જોડાઈ છે. ભારત જોડો યાત્રાને અંદાજીત 78 દિવસ વિતી ગયા છે. પરંતુ આટલા દિવસો સુધી રાહુલ ગાંધીની યાત્રામાં પ્રિયંકા ગાંધી દેખાયા ન હતા જેને કારણે ભાજપે તેમની આ યાત્રા પર પ્રહાર કર્યા હતા.


આ કારણથી રાહુલ ગાંધીએ શરૂ કરી ભારત જોડો યાત્રા

આ યાત્રા દરમિયાન ભાજપ પર રાહુલ ગાંધીએ આકરા પ્રહાર કર્યા હતા. મધ્યપ્રદેશની ચૂંટણીને લઈ ભાજપ પર રાહુલે પ્રહાર કર્યા હતા. ઉપરાંત ભારત જોડો યાત્રા કેમ કરવી પડી તે અંગે ખુલાસો આપતા કહ્યું કે લોકતંત્રના બધા રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. એટલે અમે વિચાર્યું કે રોડ પર ઉતરી અને જનતા વચ્ચે જઈએ. રોડ પર યાત્રા કરી જનતાને મળીએ, ખેડૂટતોને ગળે લગાવીયે, મજૂરો અને વેપારીઓની વાતો સાંભળીયે. આ બધા માટે ભારત જોડો યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.