સોનિયા ગાંધી બાદ પ્રિયંકા ગાંધી સામેલ થયા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં


  • Published By :
  • Published Date : 2022-11-24 09:32:03

રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી નિકળેલી આ યાત્રા કાશ્મીર સુધી જવાની છે. હાલ આ યાત્રા મધ્યપ્રદેશ પહોંચી છે. આ યાત્રામાં પ્રિયંકા ગાંધી પણ સામેલ થયા છે. પ્રિયંકા ગાંધી પોતાના પતિ રોબર્ટ વાડ્રા સાથે આ યાત્રામાં સામેલ થઈ છે. આ પહેલા આ યાત્રામાં સોનિયા ગાંધી પણ સામેલ થયા છે ઉપરાંત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ આ યાત્રામાં ભાગ લઈ ચૂક્યા છે. ત્યારે આજે પ્રિયંકા ગાંધી પણ રાહુલ ગાંધી સાથે ચાલતા જોવા મળ્યા હતા.

પ્રિયંકા ગાંધી પતિ સાથે થયા ભારત જોડો યાત્રામાં સામેલ 

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. ત્યારે આ યાત્રામાં પ્રિયંકા ગાંધીએ પણ ભાગ લીધો છે. હાલ આ યાત્રા મધ્યપ્રદેશ પહોંચી છે. મધ્યપ્રદેશના ખંડવા ખાતેથી પ્રિયંકા આ યાત્રામાં જોડાઈ છે. ભારત જોડો યાત્રાને અંદાજીત 78 દિવસ વિતી ગયા છે. પરંતુ આટલા દિવસો સુધી રાહુલ ગાંધીની યાત્રામાં પ્રિયંકા ગાંધી દેખાયા ન હતા જેને કારણે ભાજપે તેમની આ યાત્રા પર પ્રહાર કર્યા હતા.


આ કારણથી રાહુલ ગાંધીએ શરૂ કરી ભારત જોડો યાત્રા

આ યાત્રા દરમિયાન ભાજપ પર રાહુલ ગાંધીએ આકરા પ્રહાર કર્યા હતા. મધ્યપ્રદેશની ચૂંટણીને લઈ ભાજપ પર રાહુલે પ્રહાર કર્યા હતા. ઉપરાંત ભારત જોડો યાત્રા કેમ કરવી પડી તે અંગે ખુલાસો આપતા કહ્યું કે લોકતંત્રના બધા રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. એટલે અમે વિચાર્યું કે રોડ પર ઉતરી અને જનતા વચ્ચે જઈએ. રોડ પર યાત્રા કરી જનતાને મળીએ, ખેડૂટતોને ગળે લગાવીયે, મજૂરો અને વેપારીઓની વાતો સાંભળીયે. આ બધા માટે ભારત જોડો યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.