સિવિલના ઇન્ચાર્જનો ફોન ચોર્યા બાદ બીકના માર્યે પરત મૂકી ગયો


  • Published By :
  • Published Date : 2022-11-04 15:17:37

નવી સિવિલ હોસ્પિટલમાં આરએમઓ ઓફિસમાં આજે સવારે ઇન્ચાર્જ આરએમઓનો મોબાઈલ નજર સામેથી ગાયબ થઇ ગયો હતો.


સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આર.એમ.ઓ ઓફિસમાં ઇન્ચાર્જ આરએમઓ ડો.ઓનકાર ચૌધરીનો ગુરુવારે સવારે અચાનક ટેબલ પરથી તેમનો ફોન ગાયબ થઇ ગયો હતો.જોકે તેમની પાસે દર્દી, તેમના સંબંધી સહિતના વ્યકિતો કામ અર્થે કે મુલાકાત માટે અવાર જવર કરતા હોય છે. તેવા સમયે ડો. ચૌધરી પોતાના કામમાં વ્યસ્ત હતા. તે સમયે તેમની નજર સાથે ટેબલ ઉપર મુકેલો મોબાઇલ કોઇ વ્યકિત લઇને જતો રહ્યો હતો. બાદમાં તે વ્યકિતએ મોબાઇલ સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. જોકે તેમણે તથા ત્યાંના સ્ટાફે ધણી શોધખોળ કરતા મોબાઇલ મળ્યો ન હતો. જેથી આ અંગે તેમણે ખટોદરા પોલીસ મથકમાં અરજી આપી હતી. જોકે ત્યાંના  સી.સી ટીવી કેમેરા ચેક કરવાના કર્મચારીઓએ શરૃ કર્યા હતા. ત્યારે સાંજે આર.એમ.ઓ કચેરીની એક ઓફિસ માંથી ફાઇલ નીચેથી તેમનો મોબાઇલ મળી આવ્યો હતો. જોકે કોઇ વ્યકિત તેમનો મોબાઇલ કોઇ કારણસર સંતાડી દીધો હતો. જયારે પકડાઇ જવાની બીકના લીધે તે વ્યકિત મોબાલઇ મુકી દીધો હશે. એવુ ડોકટરે કહ્યુ હતું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે