સિવિલના ઇન્ચાર્જનો ફોન ચોર્યા બાદ બીકના માર્યે પરત મૂકી ગયો


  • Published By :
  • Published Date : 2022-11-04 15:17:37

નવી સિવિલ હોસ્પિટલમાં આરએમઓ ઓફિસમાં આજે સવારે ઇન્ચાર્જ આરએમઓનો મોબાઈલ નજર સામેથી ગાયબ થઇ ગયો હતો.


સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આર.એમ.ઓ ઓફિસમાં ઇન્ચાર્જ આરએમઓ ડો.ઓનકાર ચૌધરીનો ગુરુવારે સવારે અચાનક ટેબલ પરથી તેમનો ફોન ગાયબ થઇ ગયો હતો.જોકે તેમની પાસે દર્દી, તેમના સંબંધી સહિતના વ્યકિતો કામ અર્થે કે મુલાકાત માટે અવાર જવર કરતા હોય છે. તેવા સમયે ડો. ચૌધરી પોતાના કામમાં વ્યસ્ત હતા. તે સમયે તેમની નજર સાથે ટેબલ ઉપર મુકેલો મોબાઇલ કોઇ વ્યકિત લઇને જતો રહ્યો હતો. બાદમાં તે વ્યકિતએ મોબાઇલ સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. જોકે તેમણે તથા ત્યાંના સ્ટાફે ધણી શોધખોળ કરતા મોબાઇલ મળ્યો ન હતો. જેથી આ અંગે તેમણે ખટોદરા પોલીસ મથકમાં અરજી આપી હતી. જોકે ત્યાંના  સી.સી ટીવી કેમેરા ચેક કરવાના કર્મચારીઓએ શરૃ કર્યા હતા. ત્યારે સાંજે આર.એમ.ઓ કચેરીની એક ઓફિસ માંથી ફાઇલ નીચેથી તેમનો મોબાઇલ મળી આવ્યો હતો. જોકે કોઇ વ્યકિત તેમનો મોબાઇલ કોઇ કારણસર સંતાડી દીધો હતો. જયારે પકડાઇ જવાની બીકના લીધે તે વ્યકિત મોબાલઇ મુકી દીધો હશે. એવુ ડોકટરે કહ્યુ હતું.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.