સિવિલના ઇન્ચાર્જનો ફોન ચોર્યા બાદ બીકના માર્યે પરત મૂકી ગયો


  • Published By :
  • Published Date : 2022-11-04 15:17:37

નવી સિવિલ હોસ્પિટલમાં આરએમઓ ઓફિસમાં આજે સવારે ઇન્ચાર્જ આરએમઓનો મોબાઈલ નજર સામેથી ગાયબ થઇ ગયો હતો.


સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આર.એમ.ઓ ઓફિસમાં ઇન્ચાર્જ આરએમઓ ડો.ઓનકાર ચૌધરીનો ગુરુવારે સવારે અચાનક ટેબલ પરથી તેમનો ફોન ગાયબ થઇ ગયો હતો.જોકે તેમની પાસે દર્દી, તેમના સંબંધી સહિતના વ્યકિતો કામ અર્થે કે મુલાકાત માટે અવાર જવર કરતા હોય છે. તેવા સમયે ડો. ચૌધરી પોતાના કામમાં વ્યસ્ત હતા. તે સમયે તેમની નજર સાથે ટેબલ ઉપર મુકેલો મોબાઇલ કોઇ વ્યકિત લઇને જતો રહ્યો હતો. બાદમાં તે વ્યકિતએ મોબાઇલ સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. જોકે તેમણે તથા ત્યાંના સ્ટાફે ધણી શોધખોળ કરતા મોબાઇલ મળ્યો ન હતો. જેથી આ અંગે તેમણે ખટોદરા પોલીસ મથકમાં અરજી આપી હતી. જોકે ત્યાંના  સી.સી ટીવી કેમેરા ચેક કરવાના કર્મચારીઓએ શરૃ કર્યા હતા. ત્યારે સાંજે આર.એમ.ઓ કચેરીની એક ઓફિસ માંથી ફાઇલ નીચેથી તેમનો મોબાઇલ મળી આવ્યો હતો. જોકે કોઇ વ્યકિત તેમનો મોબાઇલ કોઇ કારણસર સંતાડી દીધો હતો. જયારે પકડાઇ જવાની બીકના લીધે તે વ્યકિત મોબાલઇ મુકી દીધો હશે. એવુ ડોકટરે કહ્યુ હતું.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.