વિરામ લીધા બાદ ફરી એક વખત વરસાદ ગુજરાતને ધમરોળશે! જાણો હવામાન વિભાગે વરસાદને લઈ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-07-05 10:50:57

ચોમાસાની શરૂઆત થતાં જ રાજ્યમાં મેઘમહેર જોવા મળી હતી. અનેક જિલ્લાઓ એવા છે જ્યાં સાર્વત્રિક વરસાદ વધુ નોંધાયો છે. છેલ્લા એક બે દિવસ દરમિયાન છૂટો છવાયો વરસાદ રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળ્યો હતો પરંતુ આવનાર દિવસોમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હજી પહેલો રાઉન્ડ પૂરો નથી થયો ત્યારે વરસાદના બીજી રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેમાં સાતમી તારીખ અને આઠમી તારીખે ભારે વરસાદ વરસશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે..

આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં જોવા મળશે મેઘમહેર

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ચોમાસાના આગમન સાથે જ અનેક જળાશયો તેમજ ડેમોમાં પાણીની આવક થઈ ગઈ છે. અનેક ડેમો ઓવરફ્લો થઈ ગયા છે. અનેક ટકા વરસાદ વરસી પણ ગયો છે. ત્યારે થોડા દિવસો માટે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો હતો. પરંતુ ફરી એક વખત વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. ધોધમાર વરસાદ વરસ્યો નથી જેને કારણે બફારાનું પ્રમાણ વધી ગયું છે. બફારાનું પ્રમાણ વધવાને કારણે લોકોને પરેશાની વ્યક્ત કરવામાં આવી છે. વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં પાંચ દિવસ વરસાદ થવાની શક્યતા છે. જ્યારે સાત અને આઠમી તારીખે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી 

વરસાદને લઈ આગાહી કરતા હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે. જેમાં પહેલાના બે દિવસ ભારે વરસાદ નહીં થાય. આ સાથે તેમણે જણાવ્યુ કે, 6 તારીખથી વરસાદ વધવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સાત અને આઠમી તારીખ માટે આગાહી કરવામાં આવી છે. વલસાડ, દમણ દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે ગીર સોમનાથ, અમરેલીમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંતના પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.     


આ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ

વરસાદને લઈ વાત કરવામાં આવે તો 6 જુલાઈ, ગુરૂવારના રોજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર, જૂનાગઢ, ગીરસોમનાથમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 7 જુલાઈ માટે વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી મુજબ વલસાડ, દમણ, દાદરાનગરહવેલી, અમરેલી, ગીરસોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. જ્યારે સુરત, નવસારી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 જુલાઈ, શનિવારના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે સુરત, ડાંગ, તાપી, રાજકોટ, પોરબંદર, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે