વિરામ લીધા બાદ ફરી એક વખત વરસાદ ગુજરાતને ધમરોળશે! જાણો હવામાન વિભાગે વરસાદને લઈ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-07-05 10:50:57

ચોમાસાની શરૂઆત થતાં જ રાજ્યમાં મેઘમહેર જોવા મળી હતી. અનેક જિલ્લાઓ એવા છે જ્યાં સાર્વત્રિક વરસાદ વધુ નોંધાયો છે. છેલ્લા એક બે દિવસ દરમિયાન છૂટો છવાયો વરસાદ રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળ્યો હતો પરંતુ આવનાર દિવસોમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હજી પહેલો રાઉન્ડ પૂરો નથી થયો ત્યારે વરસાદના બીજી રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેમાં સાતમી તારીખ અને આઠમી તારીખે ભારે વરસાદ વરસશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે..

આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં જોવા મળશે મેઘમહેર

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ચોમાસાના આગમન સાથે જ અનેક જળાશયો તેમજ ડેમોમાં પાણીની આવક થઈ ગઈ છે. અનેક ડેમો ઓવરફ્લો થઈ ગયા છે. અનેક ટકા વરસાદ વરસી પણ ગયો છે. ત્યારે થોડા દિવસો માટે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો હતો. પરંતુ ફરી એક વખત વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. ધોધમાર વરસાદ વરસ્યો નથી જેને કારણે બફારાનું પ્રમાણ વધી ગયું છે. બફારાનું પ્રમાણ વધવાને કારણે લોકોને પરેશાની વ્યક્ત કરવામાં આવી છે. વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં પાંચ દિવસ વરસાદ થવાની શક્યતા છે. જ્યારે સાત અને આઠમી તારીખે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી 

વરસાદને લઈ આગાહી કરતા હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે. જેમાં પહેલાના બે દિવસ ભારે વરસાદ નહીં થાય. આ સાથે તેમણે જણાવ્યુ કે, 6 તારીખથી વરસાદ વધવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સાત અને આઠમી તારીખ માટે આગાહી કરવામાં આવી છે. વલસાડ, દમણ દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે ગીર સોમનાથ, અમરેલીમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંતના પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.     


આ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ

વરસાદને લઈ વાત કરવામાં આવે તો 6 જુલાઈ, ગુરૂવારના રોજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર, જૂનાગઢ, ગીરસોમનાથમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 7 જુલાઈ માટે વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી મુજબ વલસાડ, દમણ, દાદરાનગરહવેલી, અમરેલી, ગીરસોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. જ્યારે સુરત, નવસારી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 જુલાઈ, શનિવારના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે સુરત, ડાંગ, તાપી, રાજકોટ, પોરબંદર, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.