વિરામ લીધા બાદ ફરી એક વખત વરસાદ ગુજરાતને ધમરોળશે! જાણો હવામાન વિભાગે વરસાદને લઈ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-07-05 10:50:57

ચોમાસાની શરૂઆત થતાં જ રાજ્યમાં મેઘમહેર જોવા મળી હતી. અનેક જિલ્લાઓ એવા છે જ્યાં સાર્વત્રિક વરસાદ વધુ નોંધાયો છે. છેલ્લા એક બે દિવસ દરમિયાન છૂટો છવાયો વરસાદ રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળ્યો હતો પરંતુ આવનાર દિવસોમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હજી પહેલો રાઉન્ડ પૂરો નથી થયો ત્યારે વરસાદના બીજી રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેમાં સાતમી તારીખ અને આઠમી તારીખે ભારે વરસાદ વરસશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે..

આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં જોવા મળશે મેઘમહેર

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ચોમાસાના આગમન સાથે જ અનેક જળાશયો તેમજ ડેમોમાં પાણીની આવક થઈ ગઈ છે. અનેક ડેમો ઓવરફ્લો થઈ ગયા છે. અનેક ટકા વરસાદ વરસી પણ ગયો છે. ત્યારે થોડા દિવસો માટે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો હતો. પરંતુ ફરી એક વખત વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. ધોધમાર વરસાદ વરસ્યો નથી જેને કારણે બફારાનું પ્રમાણ વધી ગયું છે. બફારાનું પ્રમાણ વધવાને કારણે લોકોને પરેશાની વ્યક્ત કરવામાં આવી છે. વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં પાંચ દિવસ વરસાદ થવાની શક્યતા છે. જ્યારે સાત અને આઠમી તારીખે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી 

વરસાદને લઈ આગાહી કરતા હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે. જેમાં પહેલાના બે દિવસ ભારે વરસાદ નહીં થાય. આ સાથે તેમણે જણાવ્યુ કે, 6 તારીખથી વરસાદ વધવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સાત અને આઠમી તારીખ માટે આગાહી કરવામાં આવી છે. વલસાડ, દમણ દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે ગીર સોમનાથ, અમરેલીમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંતના પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.     


આ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ

વરસાદને લઈ વાત કરવામાં આવે તો 6 જુલાઈ, ગુરૂવારના રોજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર, જૂનાગઢ, ગીરસોમનાથમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 7 જુલાઈ માટે વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી મુજબ વલસાડ, દમણ, દાદરાનગરહવેલી, અમરેલી, ગીરસોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. જ્યારે સુરત, નવસારી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 જુલાઈ, શનિવારના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે સુરત, ડાંગ, તાપી, રાજકોટ, પોરબંદર, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.