બોરવેલની ઘટના બાદ Praful Panseriyaએ શિક્ષકોને આ જવાબદારી ઉપાડવા કરી વિનંતી, જાણો ખુલ્લા બોરવેલ અંગે શું કરવા કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-01-05 13:34:49

થોડા દિવસ પહેલા અઢી વર્ષની માસુમ બાળકી એન્જલ બોરવેલમાં પડી ગઈ હતી. નાના ગામડાઓમાં અનેક વખત બોરવેલ બનાવવામાં આવતા હોય છે પરંતુ તેને પૂરવામાં ન આવતા આવી દુર્ઘટના સર્જાય છે અને કોઈ  માસુમ પોતાનું જીવન ખોઈ બેસે છે. ત્યારે પ્રફુલ પાનસેરિયાએ શિક્ષકોને સંબોધીને પત્ર લખ્યો છે જેમાં તેમણે બિન ઉપયોગી બોરવેલ હોય તો પૂરવા માટે ગામજનોને સમજાવવામાં આવે. જો બિન ઉપયોગી બોરવેલ  હોય તો શોધી ગુરૂજનોએ આ કામ ઉપાડી લેવું જોઈએ. એક સપ્તાહ સુધી પૂરી સંવેદના સાથે આ કામ આપ કરો એવી મારી સૌને લાગણીભરી વિનંતી છે. 

Devbhoomi Dwarka: Operation Angel Successful, Baby Girl Saved After 8 Hours  Of Labor | Dwarka News: રાણ ગામે બોરવેલમાં ફસાયેલી બાળકીને બચાવી ન શકાઈ,  સારવારમાં મોત

અઢી વર્ષની બાળકીએ ગુમાવ્યો હતો પોતાનો જીવ 

દેવભૂમિ દ્વારકાથી થોડા દિવસ પહેલા એક કરૂણ ઘટના સામે આવી હતી. અઢી વર્ષની બાળકીએ રમતા રમતા પોતાનો જીવ બોરવેલમાં પડી જતા ગુમાવી દીધો. બાળકીને બચાવવા માટે એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ મેદાનમાં ઉતરી હતી. કલાકોની મહેનત બાદ બાળકીને બોરવેલમાંથી બહાર કાઢવાની સફળતા મળી હતી પરંતુ સારવાર દરમિયાન તે દીકરીએ અંતિમ શ્વાસ લીધા. તે બાદ પરિવારમાં તેમજ લોકોમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી હતી.નાના નાના ગ્રામડાઓમાં અનેક વખત આવા અનેક બોરવેલ બનાવવામાં આવતા હોય છે. બોરવેલ તો બનાવાઈ દેવાય છે પરંતુ તેને પૂરવામાં નથી આવતા તેને ઢાંકવામાં નથી આવતા. 

પ્રફુલ પાનસેરીયાએ શિક્ષકોને કરી આ વિનંતી 

ખુલ્લા બોરવેલ હોવાને કારણે અનેક વખત આવી દુર્ઘટના સર્જાતી હોય છે. કોઈ માસુમે પોતાનો જીવ ગુમાવો પડે છે. ત્યારે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ શિક્ષકોને વિનંતી કરતો એક પત્ર લખ્યો છે કે દિવસ-રાત કાર્યશીલ તંત્રની સજાગતા છતાં ખુલ્લા બોરવેલમાં બાળક પડી જવાની ઘટનાનાં પગલે આપ સૌ ગુરુજનોને મારી વિનંતિ છે કે રાજયના અઢાર હજાર ગામડાઓ, એની શાળાઓ, કોલેજો, ગામના પરિસર કે ખુલ્લી જગ્યાઓમાં બિનઉપયોગી આવા બોર ખોળી કાઢી, એને બંધ કરવાનું આ કામ સૌ ગુરુજનો ઉપાડી લ્યો. એક સપ્તાહ સુધી પૂરી સંવેદના સાથે આ કામ આપ કરો એવી મારી સૌને લાગણીભરી વિનંતિ છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.