બોરવેલની ઘટના બાદ Praful Panseriyaએ શિક્ષકોને આ જવાબદારી ઉપાડવા કરી વિનંતી, જાણો ખુલ્લા બોરવેલ અંગે શું કરવા કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-01-05 13:34:49

થોડા દિવસ પહેલા અઢી વર્ષની માસુમ બાળકી એન્જલ બોરવેલમાં પડી ગઈ હતી. નાના ગામડાઓમાં અનેક વખત બોરવેલ બનાવવામાં આવતા હોય છે પરંતુ તેને પૂરવામાં ન આવતા આવી દુર્ઘટના સર્જાય છે અને કોઈ  માસુમ પોતાનું જીવન ખોઈ બેસે છે. ત્યારે પ્રફુલ પાનસેરિયાએ શિક્ષકોને સંબોધીને પત્ર લખ્યો છે જેમાં તેમણે બિન ઉપયોગી બોરવેલ હોય તો પૂરવા માટે ગામજનોને સમજાવવામાં આવે. જો બિન ઉપયોગી બોરવેલ  હોય તો શોધી ગુરૂજનોએ આ કામ ઉપાડી લેવું જોઈએ. એક સપ્તાહ સુધી પૂરી સંવેદના સાથે આ કામ આપ કરો એવી મારી સૌને લાગણીભરી વિનંતી છે. 

Devbhoomi Dwarka: Operation Angel Successful, Baby Girl Saved After 8 Hours  Of Labor | Dwarka News: રાણ ગામે બોરવેલમાં ફસાયેલી બાળકીને બચાવી ન શકાઈ,  સારવારમાં મોત

અઢી વર્ષની બાળકીએ ગુમાવ્યો હતો પોતાનો જીવ 

દેવભૂમિ દ્વારકાથી થોડા દિવસ પહેલા એક કરૂણ ઘટના સામે આવી હતી. અઢી વર્ષની બાળકીએ રમતા રમતા પોતાનો જીવ બોરવેલમાં પડી જતા ગુમાવી દીધો. બાળકીને બચાવવા માટે એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ મેદાનમાં ઉતરી હતી. કલાકોની મહેનત બાદ બાળકીને બોરવેલમાંથી બહાર કાઢવાની સફળતા મળી હતી પરંતુ સારવાર દરમિયાન તે દીકરીએ અંતિમ શ્વાસ લીધા. તે બાદ પરિવારમાં તેમજ લોકોમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી હતી.નાના નાના ગ્રામડાઓમાં અનેક વખત આવા અનેક બોરવેલ બનાવવામાં આવતા હોય છે. બોરવેલ તો બનાવાઈ દેવાય છે પરંતુ તેને પૂરવામાં નથી આવતા તેને ઢાંકવામાં નથી આવતા. 

પ્રફુલ પાનસેરીયાએ શિક્ષકોને કરી આ વિનંતી 

ખુલ્લા બોરવેલ હોવાને કારણે અનેક વખત આવી દુર્ઘટના સર્જાતી હોય છે. કોઈ માસુમે પોતાનો જીવ ગુમાવો પડે છે. ત્યારે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ શિક્ષકોને વિનંતી કરતો એક પત્ર લખ્યો છે કે દિવસ-રાત કાર્યશીલ તંત્રની સજાગતા છતાં ખુલ્લા બોરવેલમાં બાળક પડી જવાની ઘટનાનાં પગલે આપ સૌ ગુરુજનોને મારી વિનંતિ છે કે રાજયના અઢાર હજાર ગામડાઓ, એની શાળાઓ, કોલેજો, ગામના પરિસર કે ખુલ્લી જગ્યાઓમાં બિનઉપયોગી આવા બોર ખોળી કાઢી, એને બંધ કરવાનું આ કામ સૌ ગુરુજનો ઉપાડી લ્યો. એક સપ્તાહ સુધી પૂરી સંવેદના સાથે આ કામ આપ કરો એવી મારી સૌને લાગણીભરી વિનંતિ છે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.